રાજકોટ મહાનગરપાલિકાની કચેરીએ મહિલાઓ રણચંડી બની: ‘પાણી આપો, પાણી આપો’ની માંગ સાથે વિરોધ
મેયર દ્વારા મહિલાઓને યોગ્ય કરવાની ખાત્રી આપવામાં આવી
- Advertisement -
નવા ભળેલા માધાપર ગામ, પરાશર પાર્ક સહિતની સોસાયટીમાં પાણીનો પોકાર
ખાસ-ખબર સંવાદદાતા
હજુ તો ઊનાળાની શરૂઆત નથી થઈ. ત્યાં જ પાણીની પળોજણ શરૂ થઈ ગઈ છે. નવા ભળેલા વિસ્તારો જેવા કે, માધાપર ગામ, સત્યમ શિવમ સુંદરમ, પરાશર પાર્ક સહિતની સોસાયટીની મહિલાઓએ એકત્ર થઈ મહાનગરપાલિકાના સત્તાધીશો પાસે રોષ પ્રગટ કરી પૂરતું પાણી નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અપુરતુ પાણી આવતા મહિલાઓ રણચંડી બની હતી. એક તરફ મહાનગરાપાલિકા ભરઊનાળે આજી ડેમ છલકાવવાની વાતો કરે છે જ્યારે બીજી બાજુ અનેક વિસ્તારોમાં પાઈપ લાઈન પણ હજુ નાખવામાં ન આવતા પાણી માટે લોકો ટળવળી રહ્યા છે. રાજકોટમાં મહિલાઓના જીદની જીત થઇ છે. જેમાં મહિલાઓને મેયર ચેમ્બરમાં જવા દેવાયા હતા. તથા મેયર પ્રદીપ ડવને મળીને મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જેમાં મેયર દ્વારા મહિલાઓને યોગ્ય કરવાની ખાત્રી આપવામાં આવી છે. કમિશનરે કહ્યું અમે પ્રશ્ન સભાળશું. અમે પાણીના ટાંકા આપી રહ્યા છીએ. તથા પાણી મુદ્દે મેયર પ્રદીપ ડવ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે માધાપર વિસ્તાર નવો ભળ્યો છે. તેથી પાણીના ટેન્કરો ચાલી રહ્યા છે. પાણીનો પ્રશ્ન હાલ થઈ જશે. તથા પાણીની લાઈનો નાખવામાં આવશે.
જોકે, મહિલાઓ કોર્પોરેટરની વાતથી સંતુષ્ટ ન થતાં તેઓએ મેયરને મળવાની જીદ પકડી હતી. ત્યારે મહિલાઓ ચાલુ જનરલ બોર્ડે મેયર સુધી ન પહોંચે તે માટે વિજિલન્સ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા મહાનગરપાલિકાના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે વિજિલન્સ અને સ્થાનિક મહિલા પોલીસ અને વિરોધ કરી રહેલી મહિલાઓ વચ્ચે એક તબક્કે ઘર્ષણ પણ થયું હતું.
- Advertisement -
મહિલાઓએ કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજાનો ઉધડો લીધો
તેમ છતાં આજે પણ તેમની સોસાયટીમાં પાણીના ટેન્કર મારફતે તેમને પાણી આપવામાં આવી રહ્યું છે. શહેરના અન્ય વિસ્તારોમાં 20 મિનિટ પાણી આપવામાં આવે છે જ્યારે કે આ સોસાયટીની રહેવાસી મહિલાઓને ઘર દીઠ એકાતરા 150 લીટર પાણી જ આપવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ મહિલાઓનો પાણીદાર વિરોધ જોઈને વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજા જનરલ બોર્ડ છોડી મહિલાઓ પાસે દોડી ગયા હતા. ત્યારે સ્થાનિક મહિલાઓએ કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજાનો પણ ઉધડો લીધો હતો.
મિલકત વેરામાં સૂચવેલા વધારા સહિતના કરવેરાને બજેટ બોર્ડમાં બહાલી
રાજકોટ મહાનગરપાલિકા ખાતે આજ રોજ ‘બજેટ’ બોર્ડ મળ્યું હતું. આજે મળેલા જનરલ બોર્ડમાં આજરોજ બજેટને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બજેટમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તાજેતરમાં પાણી વેરામાં સૂચવેલો વધારો તેમજ મિલકત વેરામાં સૂચવેલો વધારો સહિતના કરવેરાને બહાલી આપવામાં આવી હતી. મ્યુનિ. કમિશનરે કહ્યું અમે પ્રશ્ન સભાળશું. અમે પાણીના ટાંકા આપી રહ્યા છીએ. તથા પાણી મુદ્દે મેયર પ્રદીપ ડવ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે માધાપર વિસ્તાર નવો ભળ્યો છે. તેથી પાણીના ટેન્કરો ચાલી રહ્યા છે. પાણીનો પ્રશ્ર્ન હાલ થઈ જશે. તથા પાણીની લાઈનો નાખવામાં આવશે.