ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
વોર્ડ નં. 2માં જામનગર રોડ પર આવેલ સાંઢીયા પુલ નીચે ભોમેશ્ર્વર જતાં ભૂતનાથ મહાદેવ મંદિર રસ્તા પર આવેલા વરસાદી પાણીના વોંકળા ઉપરનું નાલુ પહોળું કરવાનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. જામનગર રોડ પર આવેલ સાંઢીયા પુલ નીચે ભોમેશ્ર્વર જતાં ભૂતનાથ મહાદેવ મંદિર રસ્તા પર આવેલ વરસાદી પાણીના વોંકળા ઉપરનું નાલુ પહોળું કરવાનું ખાતમુહુર્ત 69-વિધાનસભા ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા તેમજ વોર્ડ નં.2ના કોર્પોરેટર મીનાબા જાડેજાના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ પ્રસંગે વોર્ડ નં.2ના પ્રભારી કુલદીપસિંહ જાડેજા, વોર્ડ નં.2ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.2ના મહામંત્રી કૌશિકભાઈ અઢિયા, જયરાજસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાણા, વિક્રમસિંહ જાડેજા, જોરૂભા ઝાલા, જયસુખભાઈ પરમાર, સંજયભાઈ મિયાત્રા, યોગરાજસિંહ, ગેલાભાઈ ધોળકિયા, ધર્મેન્દ્રભાઈ મિરાણી, હર્ષવર્ધનભાઈ કહોર, અનિલભાઈ મકવાણા, ધર્મેન્દ્રભાઈ મિરાણી, રાજનભાઈ સિંઘવ, લીલાબા જાડેજા, દિપાબેન કાચા, દેવ્યાનીબેન રાવલ, સીમાબેન, જસુમતીબેન વસાણી, પલ્લવીબેન, ભાવનાબેન પોપટ તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ.