નવનિયુક્ત હોદેદારોએ સંગઠનને વધુ મજબૂત અને કાર્યદક્ષ બનાવવા ખાતરી આપી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા તાલુકા તલાટી કમ મંત્રી સંગઠનના નવા પદાધિકારીઓની વરણી કરવા તાલાલા તાલુકા તલાટી કમ મંત્રી ભાઈ બહેનોની કારોબારી બેઠક તાલુકા પંચાયતના સભાખંડમાં મળી હતી.
આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા,વિચારણા બાદ સંગઠનના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જેમાં ઘુંસિયા ગામના મંત્રી ભરતભાઈ બઢ(પ્રમુખ),ધાવા ગીર મંત્રી કૃષ્ણપાલસિંહ રાયજાદા(ઉપપ્રમુખ),ગુંદરણ ગીર મંત્રી ખીમાભાઈ બામણીયા(મહામંત્રી),આંકોલવાડી ગીર મંત્રી ચેતનભાઈ કાતરીયા(કોષાધ્યક્ષ)પદે પસંદગી થઈ હતી.તાલાલા તાલુકાના કાર્યદક્ષ નવનિયુકત પદાધીકારીઓને મંત્રી મંડળના ભાઈ બહેનોએ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી.બેઠકમાં તાલાલા પંથકના તલાટી કમ મંત્રી મંડળની વિવિધ માંગણી અને પ્રશ્નો ની ચર્ચાઓ કરી લાગતા વળગતા અધિકારીઓ તથા પદાધિકારીઓ સમક્ષ રજુઆતો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.છેલ્લે તાલાલા તાલુકા તલાટી કમ મંત્રી મંડળમાં સર્વાનુમતે પસંદગી કરવા બદલ નવનિયુક્ત હોદેદારોએ તમામ તલાટી મંત્રી મંડળનો આભાર વ્યક્ત કરી સંગઠન ને વધુ મજબૂત અને કાર્યદક્ષ બનાવવા ખાત્રી આપી હતી.