જૂનાગઢ સહિત 6 જિલ્લાઓમાંથી મહિલાઓએ ભાગ લીધો
મેંદરડાનાં બહેનો પણ જોડાયા હતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢમાં સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારત મહિલા સંગઠન સમિતિ દ્વારા સનાતન ધર્મના ધર્મગુરુ દ્વારકાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદથી તેમજ મુક્તાનંદ બાપુના માર્ગદર્શન હેઠળ તેમજ ઉષાબેન કપૂરના પ્રમુખ પદે તેમજ જૂનાગઢ જિલ્લાના પ્રમુખ કૈલાશબેન વેગડા, જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના પ્રમુખ રંજનબેન દવે, ઉપપ્રમુખ ભગવતીબેન મહેતા, મંત્રી ભાવનાબેન ભોવાણી, મહામંત્રી જોશનાબેન ગજેરા, ખજાનચી છાયાબેન મહેતા, તેમજ કાર્યકારી બહેનો, અમિતાબેન બાલધા, કંચનબેન ગોહેલ, કંચનબેન પાનસુરીયા, તૃપ્તિબેન મહેતા, આશાબેન વઘાસિયા, જાનવીબેન દવે, રાણીબેન ટારિયા બહેનોની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ સહિત 6 જિલ્લાઓ માંથી મહિલાઓએ ભાગ લીધો હતો જયારે મેંદરડાની બહેનો પણ જોડાયા હતા. ચાંપરડા બ્રહ્મમાંનંદ આશ્રમના મહંત અને મુક્તાનંદ બાપુએ મહિલા ઓને માર્ગદર્શન આપ્યું તેમને જણાવાયું હતું કે, સનાતન ધર્મના સંસ્કારોના જતન માટે મહિલાઓની ભૂમિકા મહત્વની છે ભજન, કીર્તન અને ધાર્મિક ઉજવણીઓમાં મહિલાઓનું યોગદાન અમૂલ્ય છે. વધુમાં જણાવ્યું હતુ કે આ સંગઠનો દ્વારા સંતો મહંતોનું પણ સંગઠન તૈયાર કરવામાં આવ્યું છે તેમજ સાથે સાથે કલાકારોનું પણ સંગઠન કરવામાં આવ્યું છે તેવી જ રીતે આ એક મહિલાઓનું સંગઠન તૈયાર કરવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં સંગઠન તાલુકા કક્ષા ના હોદ્દેદારો દ્વારા ગામડાઓમાં ધર્મજાગૃતી તહેવાર ઉજવણી પારિવારિક સંસ્કારો અંગે કાર્યકમો કરાશે.