જીવનનગર વિકાસ સમિતિ, જાગૃત નાગરિક મંડળ અને મહાદેવધામ મહિલા સત્સંગ મંડળનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
ભારત જન વિજ્ઞાન જાથા, જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડનં.10 જાગૃત નાગરિક મંડળ, મહાદેવ ધામ મહિલા સંત્સગ મંડળના સંયુક્ત ઉપક્રમે બુધવારે 17જૂનના રોજ સાંજે 7 કલાકે 2હિશો, નાગરિકોની હાજરીમાં સામુહિક શ્રધ્ધાંજલિ આપવામાં આવશે. વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત તમામ મુસાફરો, દિવગંતોને પુષ્પાંજલી, કેન્ડલમાર્ચથી આપવામાં આવશે. જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવપરા, અમી પાર્ક, શિવપરા, તિરુપતિ, બ્રહ્મસમાજના રહિશો હાજરીમાં કરવામાં આવશે. તમામ દિવંગતો માટે સામુહિક પ્રાર્થના કરવામાં આવશે. વિજ્ઞાન જાથા જયંત પંડયા, દિનેશ હુંબલ, નિર્મળ મેત્રા, ઉમેશ રાવ, અંકલેશ ગોહિલ, મહાદેવધામના વિજયભાઈ જોબનપુત્રા, વિનુભાઈ ભટ્ટ, કેતનભાઈ મકવાણા, વિપુલભાઈ પંડ્યા, અશોકભાઈ વાઘેલા, શૈલેશભાઈ પુજારા, મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, યોગિતાબેન જોબનપુત્રા, હર્ષાબેન પંડ્યા વકીલ, શોભનાબેન ભાણવડિયા, ભક્તિબેન ખખ્ખર, આશાબેન મજેઠીયા, ભારતીબેન ગંગદેવ, અંલ્કાબેન પંડ્યા, મહિલા સદસ્યો હાજરી આપશે.