નિતાંતરીત: નીતા દવે
મનના ભાવ પ્રદર્શિત કરવા માટે ઈમોજી, સ્ટીકર તથા આર્ટિફિશિયલ ફોટોગ્રાફનો સહારો લેવામાં આવે છે, પોતાની સ્ટોરી પર રડતો ઈમોજી મૂકનાર વ્યક્તિ ખરેખર વાસ્તવિકતામાં ઉદાસ છે ?
- Advertisement -
આજ નો માનવી માનવીય ક્ષમતા કરતા મશીનની ટેકનોલોજી ઉપર વધારે વિશ્વાસ દાખવતો થયો છે. આપણે બધા વર્ચ્યુઅલ વર્લ્ડમાં જીવીએ છીએ. બધી સુવિધા સ્પર્શ જેટલા જ અંતરથી ! કશું શોધવું છે, ક્યાં જવું છે, કંઈક શીખવું છે, કોઈને મળવું છે ? બસ બધું જ એક ‘ટચ’થી ઉપલબ્ધ થઈ જાય છે. ખરા અર્થમાં જોઈએ તો મોબાઈલ એ ખરેખર દુનિયાને મુઠ્ઠીમાં કરી દીધી છે. બસ એક સંવેદના ને છોડીને! આપણે ટચની ટેકનોલોજીને તો શીખી ગયા, પરંતુ સ્પર્શની સંવેદનાને ભૂલતા થઈ ગયા હોય તેવી બનાવટી દુનિયામાં જીવીએ છીએ. આજે લગભગ દરેક વ્યક્તિ મોબાઈલ પર ના સોશિયલ મીડિયા સાથે સંપર્ક ધરાવતી હશે. એન્ડ્રોઇડ ફોન આવ્યા પહેલા સોશિયલ મીડિયા કે વર્ચ્યુઅલ વર્લ્ડનું અસ્તિત્વ ન હતું. પરંતુ થોડાક જ વર્ષોનાં આ સમયગાળામાં સમાજના માળખામાં જે પરિવર્તનો આવ્યા છે. તેમાંથી ઘણા ખરાં સબંધોનાં પરિવર્તનો આ સોશિયલ મીડિયાને આભારી કહી શકાય. મનુષ્ય જીવનનું મૂળ તત્વ એટલે લાગણી, સંબંધો અને સમાજ વ્યવસ્થા… માનવી એકલો રહી ને લાંબો સમય જીવન જીવી શકતો નથી. તેને જીવન જીવવા માટે સમૂહની, સમાજની, અને મિત્રોની જરૂર પડે છે. આપણા તહેવારો, આપણા સામાજિક રીત-રિવાજો, તેનાં જ ઉદાહરણ સમાન છે. પરંતું હાલની પરિસ્થિતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે વ્યક્તિ જાહેરમાં હોવા છતાં પણ એકલો પડતો જાય છે, સમૂહમાં હોવા છતાં પણ તેની સંવેદનાઓ શૂન્યાવકાશ માં ગરકાવ થયેલી જોવા મળે છે. આપણે સોશિયલ મીડિયાને આપણું વ્યસન બનાવી દીધું છે એમ કહું તો અતિશયોકતી નહિ થાય ..! ખરા અર્થમાં સોશિયલ મીડિયાએ એક દેખાવ ની દુનિયા છે. અહીંયા લોકો પોતાના ઘર-કુટુંબ અને અંગત મિત્રો ને છોડી દૂર વસતા અજાણ્યા વ્યક્તિની વાહ વાહીમા રહેતા હોય છે. લાઈક અને કોમેન્ટ ઉપર વ્યક્તિની મનોદશા આધારિત બની ગઈ છે.
મનના ભાવ પ્રદર્શિત કરવા માટે ઈમોજી, સ્ટીકર તથા આર્ટિફિશિયલ ફોટોગ્રાફનો સહારો લેવામાં આવે છે. પોતાની સ્ટોરી પર રડતો ઈમોજી મૂકનાર વ્યક્તિ ખરેખર વાસ્તવિકતામાં ઉદાસ છે ? અથવા રેસ્ટોરેન્ટમાં કુટુંબ સાથે જમવા ગયાનો ફોટોગ્રાફ મૂકનાર વ્યક્તિ વાસ્તવિક જીવનમાં શું પોતાના કુટુંબીજનોની એટલો નજીક છે ? એ આ દેખાવ ની દુનીયાથી જાણી શકાતું નથી.સમજવામાં સ્માર્ટ દેખાતી આ એક ભ્રમણાની દુનિયા છે. જેમાં કેટલાંક લોકો પોતાની સંવેદનાઓનો વેપાર કરે છે તો કેટલાક લોકો એ સંવેદનાઓથી પોતાના જીવનમાં રહેલો ખાલીપો દુર કરે છે. ઋફભયબજ્ઞજ્ઞસ શક્ષતફિંલફિળ કે ૂવફતિંફાામાં હજારો કોન્ટેક લાઈવ હોવા છતાં વ્યક્તિ અંગત જીવનમાં એકલો પડતો જાય છે. એક સમય સુધી આ સંબંધો મનને આકર્ષે છે અને તેમાંથી સમય પસાર કરવા અથવા પોતાની લાગણીને અભિવ્યકત કરવા તેનો ઉપયોગ પણ કરાય છે. પરંતુ એકાંતે એ જ્યારે વ્યક્તિ રડે છે ત્યારે પ્રત્યક્ષ ખંભાની જરૂર પડે છે, કે જીવનમાં આવેલી ખુશીને વેચવા વાસ્તવિક જીવનમાં વાઇ-ફાઇ આપી શકે એવા એક મિત્રની જરૂર પડે છે. ત્યારે તે સ્થાન ખાલી જણાય છે અને વ્યક્તિ હતાશામાં ડુબી થઈ જાય છે, મનોરોગી બની જાય છે. ખાસ કરીને આ સમસ્યા બાળકો અને યુવાનોમાં વધારે પડતી જોવા મળે છે. ઉંમરની અપરિપક્વતા અને અનુભવ ની ઉણપ…વ્યક્તિની સાચી ઓળખ મેળવવામાં અસમર્થ બને છે. ઘણી વખત લાગણીના આવેશમાં પસંદ કરેલી વ્યક્તિ દ્વારા અસ્વીકાર, અનાદર, કે જાકારો દેવામાં આવે ત્યારે ખૂબ જ ‘નજીક ’માની લીધેલા એ દૂરનો સબંધએ વ્યક્તિના જીવનમાંથી જીવંતતાને દૂર કરી દેતો હોય છે.ઓનલાઇન મીડિયા એક એવું માધ્યમ છે કે જ્યાં બહુ જ સરળતાથી અને બહુ જ રૂપકડી રીતે દરેક બાબતની પ્રસ્તુતિ કરવામાં આવે છે. લોકો બીજાના ફોટોગ્રાફ અથવા બીજા ની પોસ્ટ જોઈ પોતાના જીવનમાં રહેલી નકારાત્મકતાને દોષ આપે છે. ક્યારેક કોઈ પણ કારણસર કોઈ આત્મીય સ્વજનને મોકલેલા મેસેજનો જવાબ લેટ અપાય અથવા ન અપાય ત્યારે એવી અનુભૂતિ થાય છે કે, જાણે સંબંધોનું જીવંત તત્વ ખૂટી રહ્યું છે. જ્યારે હકીકત કંઇક જુદી જ હોય છે. વાસ્તવિક જીવનમાં સંબંધોમાં સમજણ ભર્યો સાથ દરેક સંબંધની જવાબદારી બનતી હોય છે.
એ સંબંધને સાચવવો તેની ગરિમા જાળવવી એ પ્રત્યક્ષ સ્વજનો જે રીતે પુર્ણ સમર્પણથી નીભાવી શકે એવું સોશિયલ મીડિયાના સંપર્કમાં બનતું નથી. ક્યારેક કોઈ બે વ્યક્તિ વચ્ચે બનેલો અણબનાવ કે થયેલું બ્રેકઅપ મીડિયાના મેસેજ દ્વારા વહેતું કરવામાં આવે છે, અને લોકો પોતાની ખરી ઓળખ કે સાચા સંબંધમાં મળેલો દગો પચાવી ન શકતા નિરાશાનો ભોગ બને છે અને કોઈ તો આત્મ હત્યા કરી મૃત્યુને પણ વ્હાલું કરતું હોય તેવા કિસ્સાઓ અહીં છાશવારે જોવા મળે છે.અહીંયા કહેવાનો અર્થ એવો નથી કે સોશિયલ મિડીયાનો ઉપયોગ કરતી દરેક વ્યક્તિ વાસ્તવિક જીવનમાં અયોગ્ય અથવા ચાલબાજ જ હોય..! પરંતુ આ વિશાળ સોશિયલ મીડિયા માંથી સત્યતાની શોધ અને સાચો માનવીય સંબંધનું મળવું એટલે “કોલસાની ખાણમાંથી હીરો શોધવા”જેટલું અઘરું કામ કહી શકાય. અહીંયાં લોકો “રોબોટિક રિલેશનશિપ” જીવતા હોય છે રોબોટિક રિલેશનશિપ એટલે કે સામેની વ્યક્તિને જે રીતે ગમે તે રીતનું વર્તન કરવાનું ! આ માનવીય સંવેદનાની ખૂબ જ હિણપત ભરેલી રમત ગણી શકાય..! દરેક વ્યક્તિ પોતાની લાગણીનો સ્વીકાર ઈચ્છે છે. દરેક માનવ મન સંવેદનાના પડઘાને આવકારે છે…
- Advertisement -
પણ એ લાગણી એ સંવેદના સત્ય હોવી જોઇએ બનાવટી નહિ.મીડિયા પર દેખાતા દરેક ચહેરા” માસ્ક ધારી” છે. એટલે કે વાસ્તવિક જીવનથી જોજનો દૂર. આ માસ્ક આ મુખવટા પાછળ વ્યક્તિની સાચી ઓળખ હંમેશા છુપાયેલી રહે છે. કારણ માસ્કમાં કરચલીઓ નથી પડતી, માસ્ક ચહેરાના હાવ ભાવ ને કે હાસ્ય માં છુપાયેલા કપટને પ્રગટ કરતું નથી, વ્યક્તિના ગમા-અણગમા કે મન ના ભાવને જાહેર થવા નથી દેતું. તેના સુખ-દુ:ખ, આંસુ- હાસ્ય, સામાજિક, આંતરિક, અને માનસિક પરિસ્થિતિ ઘણી બધી બાબતો અહીં સ્પષ્ટ થઈ શકતી નથી. ઠવફતિંફાાના માલિક ષફક્ષ સજ્ઞીક્ષ ફક્ષમ ઇશિફક્ષ અભજ્ઞિંક્ષ તથા રફભયબજ્ઞજ્ઞસ ના પ્રણેતા ખફસિ ણીભસયબિયલિ પણ એ સત્યને સ્વીકારે છે કે સોશિયલ મીડિયા પર મળતા લોકો વાસ્તવિક જીવનના સંબંધોની બરાબરી નથી કરી શકતા. ઇમેઇલ કે મિડિયા દ્વારા થતી ચર્ચા વિચારણા કે યુક્તિ પ્રયુક્તિઓની આપ- લે જેટલી વાસ્તવિક જીવનમાં બે વ્યકિત ટેબલ પર સામસામે બેસીને કરી શકે કેટલી અર્થપુર્ણ અહીં શક્ય બનતી નથી. ખરા અર્થમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ તો આ માધ્યમ વિચારોના આદાન-પ્રદાન માટેનું તથા મનોરંજન માટેનું ઉત્તમ માધ્યમ ગણી શકાય! પરંતુ શરત બસ એટલી જ છે કે અહીં મુકવામાં આવતા દરેક વ્યક્તિના વિચારોને તે વ્યકિતનું સત્ય ન માનવું. અહીંયા પીરસવામાં આવતા લાગણીસભર સંબંધો અને શબ્દોના અલંકાર ને હકીકત ન માનવા. આપણે જ્યારે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ છીએ ત્યારે મેનુમાં બતાવેલી દરેક વાનગીઓનો ટેસ્ટ નથી કરતા કે બધી જ વાનગીઓનો ઓર્ડર નથી કરતા. બસ એવી જ રીતે મીડિયા પર મુકેલો દરેેકે દરેક વિચાર, મંતવ્ય કે ભાવાનુભૂતી માત્ર વાંચન માટે છે, અનુભૂતી માટે નહિ … એ યાદ રાખવું.



