અમદાવાદથી પાદરાના 11 કિમી અંતર માટે વધુ 95 ચૂકવવા પડશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.15
દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે દેશના તમામ રાજ્યોને જોડતો હોવાથી તેને ભારત માલા નામ આપવામાં આવ્યું છે. તબક્કાવાર શરૂ કરવામાં આવી રહેલા આ એક્સપ્રેસવે 8 લેનનો છે .જે દેશમાં એકમાત્ર આઠ લાઈન એક્સપ્રેસવે તરીકે કાર્યરત થયો છે. ગત 22 ફેબ્રુઆરીના રોજ વડોદરા ભરૂચ વચ્ચે એક્સપ્રેસવે કાર્યરત કરવામાં આવ્યો હતો. એનઇ -4તરીકે ઓળખાતા આ એક્સપ્રેસવે ઉપર વડોદરાથી એન્ટ્રી લેવા માટે અમદાવાદ વડોદરા એક્સપ્રેસવે, અટલાદરા થી પાદરા રોડ ઉપર તેમજ વાસદ પાસે ફાજલપુર થી જઈ શકાય છે. ફોરવીલર માટે ત્રણ જગ્યાએથી ત્રણ અલગ ટોલ ટેક્સ ચૂકવવા પડશે. જ્યારે વડોદરામાં પાદરા થી એક્ઝિટ માટે 155 રૂપિયા અને તેનાથી માત્ર 11 કિલોમીટર અમદાવાદ વડોદરા એક્સપ્રેસવેથી 95 રૂપિયા વધારે કાર ચાલકે ચૂકવવા પડશે.
- Advertisement -
સામાન્ય રીતે લોકોમાં પ્રશ્ન છે કે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પરથી એન્ટ્રી લઈએ તો એક્સપ્રેસવેનો અને એની ફોર એમ બે ટોલ કપાશે પરંતુ એવું નથી જ્યાંથી એક્ઝિટનો ટોલ કપાશે એક્સપ્રેસવે ઉપર અમદાવાદ એક્ઝિટ થનારને અમદાવાદનો અને ભરૂચ એક્ઝિટ થનારને ભરૂચ નો ટોલ કપાશે એવી જ રીતે અન્ય બે એન્ટ્રી પરથી પણ જ્યાં એક્ઝિટ થશે તે કરજણ અને ભરૂચ સહિતના એગ્રીમેન્ટ ઉપર ટોલ કપાશે.