By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    4 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    4 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    4 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    4 days ago
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    4 days ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    4 days ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    4 days ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    4 days ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    4 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    5 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    6 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    7 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પોરબંદરનો આજે 1036મો સ્થાપના દિવસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પોરબંદર > પોરબંદરનો આજે 1036મો સ્થાપના દિવસ
Authorપોરબંદર

પોરબંદરનો આજે 1036મો સ્થાપના દિવસ

Khaskhabar Editor
Last updated: 2025/08/09 at 5:11 PM
Khaskhabar Editor 7 months ago
Share
6 Min Read
SHARE

ઓમ જોષી-પોરબંદર

‘સુદામાપુરી પોરબંદર – દરિયાકાંઠે વસેલું 10મી સદીનું પ્રાચીન નગર’

- Advertisement -

શ્રાવણી પૂનમે વિક્રમ સંવત 1045માં સ્થાપના – ઘુમલીના તામ્રપત્રમાં ઇતિહાસનો ઉલ્લેખ

ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર

સુદામાપુરી પોરબંદરે આજે શનિવારે પોતાની 1036 વર્ષની સફર પૂર્ણ કરી 1037માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. 1036 વર્ષ પહેલા, અરબી સમુદ્ર કિનારે આવેલ અશમાવતી ઘાટ પર તોરણ બાંધી પોરબંદરનું બારૂ ખુલ્લું મુકાયું અને વેપારનો આરંભ થયો હતો. પોરબંદરની સ્થાપનાનો પુરાવો જામનગરના મ્યુઝિયમમાં રહેલા ઘુમલીના તામ્રપત્રમાં મળે છે, જેમાં ઉલ્લેખ છે કે જેઠવા વંશના રાજાઓએ વિક્રમ સંવત 1045ની શ્રાવણી પૂનમ અને શનિવારના દિવસે સવારે 9.30 વાગ્યે પોરબંદરની સ્થાપના કરી હતી.
દશમી સદીમાં વસેલું આ નગર દ્વારકા અને પ્રભાસ પાટણ જેટલું જ પ્રાચીન ગણાય છે. પુરાણો અનુસાર પોરબંદર ભગવાન શ્રીકૃષ્ણના મિત્ર સુદામાની ભૂમિ છે. દરિયા કાંઠે આવેલ પોરાઈ માતાના મંદિર પરથી જ પોરબંદર નામ પડ્યું હોવાનું માનાય છે.

- Advertisement -

જેઠવા વંશનું શાસન અને વિકાસ: ઈ.સ. 1120માં રાણા સંઘજી ઘુમલીની ગાદીએ આવ્યા અને બાદમાં રાણપુરને રાજધાની બનાવવામાં આવી. પરંતુ પોરબંદરના આધુનિક વિકાસનું શ્રેય લોકપ્રિય રાજવી રાણા નટવરસિંહજીને જાય છે. તેઓ પોરબંદરને ‘પેરિસ’ જેવી નગરયોજનાથી વિકસાવવા માગતા હતા, જેના કારણે પોરબંદરના રસ્તા, ઇમારતો, રાજમહેલો અને ચોપાટી આજેય તેમની દ્રષ્ટિનો સાક્ષી છે. તે સમયના રાજવી દર વર્ષની શ્રાવણી પૂનમે નગરજનોને એકત્ર કરતા, હનુમાનજી અને સુદામાની પૂજા

પછી દરિયા દેવને નારીયળ અને ચૂંદડી ચઢાવી માછીમારો દરિયાનું ખેડાણ શરૂ કરતા. આ પરંપરા આજે પણ ખારવા સમાજ દ્વારા જાળવવામાં આવે છે.
વિશ્વને આપેલો વારસો: પોરબંદરે વિશ્વને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેવી અવિસ્મરણીય ભેટ આપી છે. સંત કવિયત્રી લીરબાઈ, કવિ ગુલાબદાસ બ્રોકર, રતિભાઈ છાયા, વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણ ઈન્દ્રજી, નૃત્યાંગના હિર સવિતાદીદી મહેતા, તેમજ ભારતની પ્રથમ ક્રિકેટ ટીમના કેપ્ટન નટવરસિંહજી – આ બધા પોરબંદરની ધરતીની દેણ છે. અહીં સ્વામી વિવેકાનંદનો આશ્રમ, ગાંધીજીનું જન્મસ્થળ કિર્તીમંદિર, એશિયાની પ્રથમ ક્રિકેટ સ્કૂલ દુલીપ સ્કૂલ ઓફ ક્રિકેટ અને ભારતનું બીજું પ્લેનેટોરીયમ પોરબંદરની શાન છે.
રાજકીય સફર: ઈ.સ. 990ની શ્રાવણી પૂનમે જેઠવા વંશના સ્ટેટ પોર્ટ તરીકે ‘પૌરવેલા કુળ’ નામે પોરબંદરની સ્થાપના થઈ. સ્થાપનાના 795 વર્ષ પછી, ઈ.સ. 1785ની શ્રાવણી પૂનમે પોરબંદરને રાજધાની જાહેર કરવામાં આવ્યું. 1785 થી 1948 સુધીના 163 વર્ષ પોરબંદર જેઠવા વંશની રાજધાની રહ્યું. નગરપાલિકાનો આરંભ 1887માં થયો, પરંતુ શરૂઆતમાં પ્રમુખની નિમણૂંક રાજ્ય દ્વારા થતી. પ્રથમ નિમણુંક પામેલા પ્રમુખ વાડિયા હતા. 30 સપ્ટેમ્બર 1949થી પોરબંદર નગરપાલિકા કાર્યરત થઈ અને પ્રથમ ચૂંટાયેલા પ્રમુખ વકીલ પી.ડી. કક્કડ સાહેબ બન્યા.

પોરબંદરનો ઐતિહાસિક વારસો

1. પોરબંદર પોર્ટનો ઇતિહાસ: પોરબંદરનો બંદર એક સમય ભારતના પશ્ચિમ કાંઠાનો મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર હતું, જ્યાંથી અરબી દેશો, આફ્રિકા અને યુરોપ સુધી મસાલા, કપાસ અને હસ્તકલા નિકાસ થતી. અહીંથી ખાસ કરીને આફ્રિકાના ઝાંઝીબાર સુધીનો વ્યાપાર પ્રખ્યાત હતો.
2. સાંસ્કૃતિક પરંપરાઓ: દર વર્ષની શ્રાવણી પૂનમે દરિયા દેવની પૂજા કરવાનું ખારવા સમાજનું રિવાજ, જે આજે પણ અખંડિત છે. નવરાત્રિમાં પોરબંદરનો મહેર સમાજનો મણિયારો રાસ પરંપરા સમગ્ર સૌરાષ્ટ્ર સહિત સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ.
3. પ્રસિદ્ધ સ્થળો:
1.સુદામા મંદિર – મિત્રતાનું પ્રતિક:
સુદામા મંદિર પોરબંદરનું એક પ્રસિદ્ધ હિંદુ મંદિર છે, જે ભગવાન શ્રીકૃષ્ણના બાળમિત્ર સુદામાને સમર્પિત છે. આ મંદિર પોરબંદરના મધ્યભાગમાં સ્થિત છે અને તેનું નિર્માણ ઈ.સ. 1902થી 1907ની વચ્ચે થયું હતું. ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતું આ મંદિર અનેક ભક્તોને આકર્ષે છે, ખાસ કરીને નવા લગ્ન કરેલ દંપતિઓને. પોરબંદરની મુલાકાત દરમિયાન સુદામા મંદિર દર્શનનો એક મુખ્ય ભાગ ગણાય છે.
2.પોરાઈ માતાનું મંદિર – શહેરના નામ સાથે સીધો સંબંધ:
સાંદિપની આશ્રમ – રાષ્ટ્રીય સંત ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સંચાલિત સાંદિપની આશ્રમ જ્યાં સનાતન ધર્મનો વારસો જાણવી રાખવા માટે ઋષિકુમારોને વિનામૂલ્યે અભ્યાસ કરાવવામાં આવે છે.
3.જાંબુવનની ગુફા:
આ ગુફા પોરબંદર જિલ્લાના રાણાવાવથી પાંચ કિલોમીટરના અંતરે આદિત્યાણા નજીક બરડા ડુંગરની તળેટીમાં આવેલી છે. અહીં જમીન પર અવેડા જેવી કુંડી જેવડી જગ્યા નીચે વ્યવસ્થિત પથ્થરની સીડી અને અંદર ઉતરતાં એક પછી એક વિશાળ ઓરડો જોવા મળે છે. જાંબુવન નામના રીંછ પરથી આ ગુફાનું નામ પડયું છે. જાંબુવન ભગવાન શિવનો અનન્ય ઉપાસક હતો. આ ગુફામાં જાંબુવને અનેક શિવલીંગની સ્થાપના કરી હતી, તેમાં પાતાળેશ્વર મહાદેવનું શિવલીંગ મુખ્ય છે તેના પર કુદરતી રીતે જલાભિષેક થાય છે. પાણીના ટીપાં ટપકવાથી આપોઆપ શિવલીંગ બંધાય છે તેના પાછળની દંતકથા એવી છે કે જાંબુવનનને 108 શિવલીંગની પૂજા કરવી હતી એક રાતમાં આટલી સંખ્યામાં શિવલીંગ ન થતાં જાંબુવન એક ધ્યાને બેઠા. ભગવાન શિવજી પ્રસન્ન થયા અને વચન આપ્યું કે ઉપરથી ગુફા અંદર ટપકતાં પાણીના ટીપાંથી શિવલીંગ બની જશે.
4. ગાંધીજી સાથેનો સંબંધ:
પોરબંદર મહાત્મા ગાંધીનું જન્મસ્થળ છે, જ્યાં 2 ઑક્ટોબર 1869એ તેમનો જન્મ થયો.કિર્તીમંદિર ગાંધીજીના જીવન અને વિચારોનું સ્મારક છે, જે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે.
5. શૈક્ષણિક અને રમતગમતની ઓળખ:
એશિયાની પ્રથમ ક્રિકેટ સ્કૂલ – દુલીપ સ્કૂલ ઓફ ક્રિકેટ.ભારતનું બીજું પ્લેનેટોરીયમ – પોરબંદરની ગૌરવગાથામાં ઉમેરો.
6. કલાકારો અને સાહિત્યકારો:
સંત કવિયત્રી લીરબાઈ માતા, કવિ ગુલાબદાસ બ્રોકર, રતિભાઈ છાયા, જયકૃષ્ણ ઈન્દ્રજી, અને નૃત્યાંગના હિર સવિતાદીદી મહેતા.
7. પ્રાચીન કિલ્લો અને તટબંધ:
પોરબંદરના જૂના કિલ્લાની દીવાલો, દરવાજા અને વોચટાવર્સ શહેરના રક્ષણ માટે રાજવી કાળમાં બનાવાયા હતા.
8. પોરબંદરની આધુનિક ઓળખ:
ગુજરાતના શ્રેષ્ઠ દરિયાકાંઠા અને ચોપાટીઓમાંથી એક, સાફસૂથરી અને સુંદર સમુદ્રકિનારાની ઓળખ ધરાવતું નગર. માછીમારી અને મરીન પ્રોડક્ટ્સના હબ તરીકે આજે પણ મહત્વપૂર્ણ.

 

You Might Also Like

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

આંતરિક સુંદરતા

કેજરીવાલનો રાજકીય પુનર્જન્મ!?

ઉઘરાણીમાં ફસાયેલા નાણાંની કાયદેસર વસૂલાત

કાળી ધોળી રંગાવલ્લી

TAGGED: PORBANDAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતીય સેના અને વાયુસેનાને 200 નવા હેલિકોપ્ટર મળશે
Next Article રાજકોટ સેન્ટ્રલ જેલમાં કેદી ભાઈઓને રાખડી બાંધવા પહોંચી બહેનો, ભાવુક દૃશ્યો સર્જાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Shailesh Sagpariya

આંતરિક સુંદરતા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Hemadri Acharya Dave

કેજરીવાલનો રાજકીય પુનર્જન્મ!?

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?