By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં પૂર્વ PM ઇમરાન ખાનની બહેનો પર પોલીસનો લાઠીચાર્જ, એક વર્ષથી મુલાકાત ન મળતા જેલ બહાર ધરણાં
    9 hours ago
    હોંગકોંગની આગમાં મૃત્યુઆંક વધીને 55 પર પહોંચ્યો, 270થી વધુ લોકો ગુમ થયા
    11 hours ago
    બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારોને 27 વર્ષની જેલ
    1 day ago
    કેનેડામાં ખાલિસ્તાન રેફરન્ડમમાં ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગાનું અપમાન કરવામાં આવ્યું
    1 day ago
    યુક્રેન શાંતિ યોજનાને આગળ વધારવા માટે તૈયાર છે, ટ્રમ્પ સાથે વિવાદિત મુદ્દાઓ પર ચર્ચા કરીશું: ઝેલેન્સ્કી
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લગ્નનાં દિવસે દુલ્હનને અકસ્માત અને પછી ઈંઈઞમાં જ લગ્ન…
    9 hours ago
    ભારતીય ‘ઇલોન મસ્ક’નું રૉકેટ તૈયાર, મોદીએ ઉદ્ઘાટન કર્યું
    9 hours ago
    આપત્તિજનક ક્ધટેન્ટ પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ
    9 hours ago
    અમે બધા સંબંધિત નેતાઓને બોલાવીને ચર્ચા કરીશું: મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન
    11 hours ago
    મેડિકલ કોલેજ લાંચ કેસમાં EDએ 10 રાજ્યોમાં દરોડા પાડ્યા
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણી પહેલા રોહિત શર્મા ફરી નંબર વન બેટ્સમેન બન્યો
    9 hours ago
    કોમનવેલ્થથી અમદાવાદનો દસેય દિશામાં વિકાસ થશે
    9 hours ago
    T20 વર્લ્ડ કપ-2026 શેડ્યૂલ જાહેર: ઈન્ડિયા-પાકિસ્તાન મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે
    1 day ago
    ઘરઆંગણે વ્હાઈટવોશમાં ભારતે 2-0થી હારનો સામનો કરવો પડ્યો, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી જીતી
    1 day ago
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    10 hours ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    10 hours ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    1 day ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    2 days ago
    સ્મૃતિ મંધાનાએ લગ્નની પોસ્ટ ડિલીટ કરી, પલાશની બહેન પલક મુચ્છલે આપી પ્રતિક્રિયા
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 days ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 days ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: થાકેલો હર્ક્યુલસ અને આરામ પ્રિય દેવો !!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > થાકેલો હર્ક્યુલસ અને આરામ પ્રિય દેવો !!
Author

થાકેલો હર્ક્યુલસ અને આરામ પ્રિય દેવો !!

Khaskhabar Editor
Last updated: 2025/03/29 at 3:56 PM
Khaskhabar Editor 8 months ago
Share
7 Min Read
SHARE

કાર્તિક મહેતા

વધુ પડતું સ્નાયુબદ્ધ શરીર, હરકયુલસના ઉદાહરણ પરથી ‘દંડ’-સજા કે અત્યાધિક શ્રમનું પરિણામ કહેવાય

- Advertisement -

સુરતના વિસ્પી ખરાડી નામનાં યુવાને હરક્યુલસ પીલર્સ તરીકે ઓળખાતા બે લગભગ 170 કિલોના બે થાંભલાને બે મિનિટ કરતા વધુ સમય સુધી પકડીને વિશ્વ વિક્રમ સર્જ્યો. હમણાં બીસીસીઆઇ તરફથી ભારતનું પ્રતિનિધિત્વ કરતી ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી. રમત ગમત અને ફિટનેસ બાબતે લોકોનું રુચિ વધી રહી છે. ઉનાળુ વેકેશનમાં લોકો પોતાના બાળકો માટે રમત ગમતના કોચિંગ ક્લાસિસ શોધી રહ્યા છે. લોકો હળવે હળવે જીવનમાં રમત ગમત , વ્યાયામ અને ફિટનેસ નું મહત્વ સમજી રહ્યા છે. ઘણાં તો વળી કોઈ ગ્રીક પૌરાણિક મૂર્તિ જેવું બોડી બનાવવા પ્રયત્નશીલ હોય છે. જીમ્નાસ્ટીકસ નામના એક ગ્રીક ગ્રંથની રચના ફિલોસ્ત્રેટસ નામનાં એક ગ્રીક વિદ્વાને છેક ઇઝ પૂર્વેની ત્રીજી સદીમાં કરી હતી. આ ગ્રીક ગ્રંથમાં ઉલ્ટી વાત કરેલી છે. ફિલોસ્ત્રેટસ લખે છે કે માણસના સ્નાયુઓ સમ હોવા જોઈએ. મોટા, જાડા, દળદાર સ્નાયુઓ ની જરૂર નથી હોતી. આવા બલ્કિ (વિશાળ) સ્નાયુઓ અતિ પરિશ્રમ દર્શાવે છે. ફિલોસ્ત્રેટસ પોતાના ગ્રંથમાં એક “કાયરોસ” નામનો એક શબ્દ વાપરે છે. એનો અર્થ આમ તો સમય થાય પણ વાસ્તવમાં એનો અર્થ “યોગ્ય સમય” થાય છે. ફિલોસ્ત્રેટસ કહે છે કે “યોગ્ય સમયે” કરેલ વ્યાયામ માણસને ફળે છે. આમ, ફિલોસ્ત્રેટસની વાત ક્યાંક યોગાસનો સાથે જોડાયેલી દેખાય છે. યોગાસનો પણ શરીરના સ્નાયુઓ ને મોટા, ગઠોડા બદ્ધ બનાવતા નથી. પણ તે શરીરને સુડોળ બનાવે છે, દીર્ઘાયુ અને સ્વસ્થ બનાવે છે. યોગાસનો શરીરના સ્નાયુઓ અને કરોડરજ્જુ ને શાસ્ત્રીય રીતે મરડવાની ક્રિયાઓ તો છે !! આજે યોગાસનો અબજો રૂપિયાનો વેપલો છે પરંતુ એનો ખરો અર્થ સમજવા વાળા બહુ ઓછાં છે. શરીરના સ્નાયુઓ નું પોતાનું એક અલાયદું તંત્ર હોય છે. આ તંત્ર એટલું જટિલ અને એટલું મહત્વનું હોય છે કે તબીબી શાસ્ત્રમાં ફિઝિયોથેરાપી નામની વિદ્યાશાખા અલગ રીતે ડેવલપ થયેલી છે જે માત્ર સ્નાયુઓને શાસ્ત્રીય રીતે મરડવા, ખેંચવા ઉપર જ ખૂબ ભાર આપે છે. શરીરમાં ત્રીસ ટકા વજન સ્નાયુઓનું હોય છે. ખોરાકથી મળતી ગ્લુકોઝને પચાવવા માટે સહુથી વધુ જવાબદાર હોય તો આ સ્નાયુઓ હોય છે. શરીરમાં સહુથી વધુ પ્રોટીન આ સ્નાયુઓમાં સંગ્રહાયેલું હોય છે.આ પ્રોટીન જ આપણને સતત યુવાન રાખે છે. સ્નાયુઓ આવા અમૃત સમાન પ્રોટીનની બેંક હોય છે. મજબૂત સ્નાયુઓ ને કારણે હાડકા પણ મજબૂત બને છે. એક લોકમાન્યતા અનેક લોકોના મનમાં બહુ ઊંડે ઘર કરી ગઈ છે કે વિદ્વાન /બુદ્ધિમાન વ્યકિતના સ્નાયુઓ મજબૂત હોય નહિ. આથી, ઘણીવાર શારીરિક રીતે મજબૂત લોકોને સામાન્યથી નીચી બુદ્ધિ વાળા ધારી લેવામાં આવે છે. પરંતુ આ માન્યતા કેટલી સાચી છે તે તપાસવું રહ્યું. આ માન્યતા ત્યારે સાચી હતી જ્યારે લોકોને ભાગે ખૂબ ફીઝીક્લ લેબર આવતું.મોટાભાગના લોકો પાસે મગજ ચલાવવા માટે સમય નહોતો. મશીનો પણ નહિવત હતા. આજે લોકો પાસે પૂરતું પોષણ છે, લોકો પાસે મશીનોને કારણે સમય પણ છે એટલે લોકો મગજને જહેમત આપી શકે છે. જે ભાગને જહેમત આપો તે વિકાસ પામે એવો શરીરનો નિયમ છે. આથી જો શરીરને અને મગજને પૂરતું પોષણ આપીને જહેમત આપવામાં આવે તો બેયનો સમાન વિકાસ શક્ય છે. મેડિકલ સાયન્સ તો એમ કહે છે કે

જે લોકો શારીરિક રીતે પૂષ્ટ છે તે જ બૌદ્ધિક રીતે પેઢીઓ સુધી પુષ્ટ રહી શકે છે. હરકયુલસ નામના ગ્રીક દેવની વાર્તા બહુ જાણીતી છે. હર્ક્યુલસ ઝિયસ નામનાં દેવતા અને એક માનવ માતાનું સંતાન હતો. પણ ઝીયસ ની પત્ની હેરાને હરક્યુલસ માટે દ્વેષ હતો. કેમકે હરક્યુલસ છેવટે તો ઝિયસ ની રખાતનો પુત્ર હતો. સમય જતાં હેરાને હરક્યુલ્સ માટે સહાનુભૂતિ જાગે છે પણ હરક્યુલસ ના પાપ ધોવા માટે હેરા એને બાર પડકાર પાર કરવાનું આહ્વાન કરે છે. એમાં સિંહને મારવો, સાંઢને નાથવા જેવી અનેક કસોટીઓ શામેલ હતી. હરકયુલ્સ આ દરેક કસોટીમાં ઉતીર્ણ થાય છે અને છેવટે દેવોના સમૂહમાં શામેલ થઇ જાય છે અને એક દેવ તરીકે ખુબ સુખરૂપ જીવન વિતાવે છે. હરક્યુલસની એક મૂર્તિ બહુ પ્રખ્યાત છે જે લગભગ ચોવીસસો વર્ષ જૂની ગણાય છે. આ મૂર્તિમાં હરકયુલસ એક જગ્યાએ હાથ ટેકવીને થાકેલો, થાક ખાવા ઊભેલો જણાય છે. ગ્રીક ગ્રંથ જીમ્નાસ્ટીકસ માં ફિલોસ્ત્રેટસ કહે છે કે દરેક વ્યાયામવીરે આરામ લેવો અત્યંત જરૂરી છે. વધુ પડતું સ્નાયુબદ્ધ શરીર , હરકયુલસના ઉદ્ધરણ પરથી “દંડ” અથવા સજા નું કે અત્યાધિક શ્રમનું પરિણામ કહેવાય છે.જ્યારે સુડોળ શરીર સારી અને સ્વતંત્ર જીવનશૈલી દર્શાવે છે. આ ગ્રંથમાં જરેનોસ નામના એક વ્યક્તિની વાત કરતા ફિલોસ્ત્રેટસ લખે છે કે આ જારેનોસ પિયક્કડ હતો અને નશાની હાલતમાં એના વ્યાયામ ગુરુ પાસે આવ્યો. એના ગુરુ એના ઉપર ક્રોધિત થઈ ગયા. એણે જરેનોસ્ પાસે નિયમ અનુસાર ભારે કસરત કરાવી અને તેનું મૃત્યુ થઈ ગયું. આમ, ફિલોસ્ત્રેટસ કહે છે કે અતિ નિયમ બદ્ધ, ભારે વ્યાયામ જોખમી હોય છે. અન્ય એક ઉદ્ધારણ આપતા ફિલોસ્ત્રેટસ જણાવે છે કે એક ઓલંપિયા નામના સ્થળે જે રીતે વ્યાયામ કરાવવામાં આવે છે એમ વ્યાયામ કરવો જોઈએ. ઓલમ્પિયામાં કડક નિયમોને આધારે નહિ પણ “યોગ્ય” રીતે (ગ્રીક ભાષામાં “કાયરો” અનુસાર) કસરત કરાવાય છે. આ કાયરો નો કોન્સેપ્ટ આપણી યોગ પરમ્પરા સાથે બરાબર મેચ થાય છે. આ ઓલમપિયમાં યોજાતી રમત સ્પર્ધાઓ આજે ઓલિમ્પિક નામે રમાય છે. આપણાં અમદાવાદે આવતી ઓલિમ્પિક યોજવાનું બીડું ઝડપ્યું છે ખરું. મસલ લોસ એટલે કે સ્નાયુ દુર્બળતા નામની સમસ્યાથી પીડાતા લોકો માટે હેલ્થ કેર સંબંધી ખર્ચ નોર્મલ વ્યક્તિ કરતા પાંચ ગણો હોય છે એવું જર્મની અને ઓસ્ટ્રેલિયા માં થયેલા સંશોધનો દર્શાવે છે. વેઇટ લિફ્ટિંગ, વોકીંગ, રનિંગ, યોગાસન જેવા વ્યાયામ શરીરને ઘરડું થતા અટકાવે છે, જો યોગ્ય રીતે કરવામાં આવે તો !! એક એથલેટિક્સ પેરાડોકસ કહેવાતો કોયડો છે કે કસરતને કારણે શરીરને ઘસારો પહોંચે છે પણ એ જ કસરત માણસને યુવાન રાખવામાં સહુથી વધારે મદદ કરે છે. તો કેટલી માત્રામાં કસરત કરવી કે જે નુકસાનને બદલે લાભ કરે?? વેલ, એનો જવાબ સંશોધકોને આપવાની વાર છે પણ આપણા યોગ ગ્રંથોમાં આ વાતનો જવાબ બહુ પહેલા અપાઈ ગયો છે. રમત, ફિઝિયોથેરાપી, કસરત અને યોગાસનો પૈકી જે ફાવે તે કરવું જોઈએ. શરીરને પ્રતિકૂળ થાય નહિ ત્યાં સુધી કરવું જોઈએ. મહાવીર સ્વામી કહી ગયા કે દેવોને કદી પરસેવો વળતો નથી અને એમના પગ જમીન ઉપર પડતા નથી. આમ, દેવોના શરીર સુડોળ હોય છે, તેઓ આનંદ પૂર્વક રહે છે. ગ્રીક વિદ્વાન ફિલોસ્ત્રેટસ પણ માપસર કસરત કરવાનું સૂચન કરે છે. વ્યાયામ અવશ્ય કરવો પણ એ હરક્યુલસની જેમ સજા લાગે ત્યાં સુધી નહિ.

 

- Advertisement -

You Might Also Like

હેલી ગુબ્બી જ્વાળામુખી: 12,000 વર્ષ પછીનો વિસ્ફોટ અને રિફ્ટ વેલીમાંથી આવેલી ચેતવણી!

ભારતીય સંસ્કૃતિને અને યુવાઓને માનસિક સ્વાસ્થ્યને નષ્ટ કરતું હુક અપ કલ્ચર!

ફેમિલી પ્રેફરન્સ વિઝા પિટિશનમાં મહત્ત્વનો નિયમ

સ્પષ્ટ વક્તા: પ્રિય કે અપ્રિય

AI અને માનવીય ભાવનાઓ: હમે ઉનસે વફા કી હૈ ઉમ્મીદ, વો જાનતે નહિ વફા ક્યા હૈ!

TAGGED: Tired Hercules
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કાયદેસર પ્રવેશો અને કાયદેસર રહો
Next Article મધ્યગીર કનકાઈ મંદિરથી ગિરનારની ટોચે ચૈત્રી નવરાત્રીની ઉજવણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

રાજુલામાં 26 નવેમ્બર સંવિધાન દિવસની ઉજવણી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટમાં એઇડ્સ જનજાગૃતિ માટે 4 માસનું મેગા આયોજન
વોકહાર્ટમાં 75 વર્ષીય મહિલાની હૃદયના વાલ્વની જટિલ સમસ્યાનું નોન-સર્જિકલ TAVI પ્રોસિજરથી સફળ નિદાન
રાજકોટમાં સહકાર ભારતી દ્વારા ઝોનવાઇઝ સંમેલન: સહકારિતા દ્વારા દેશને વૈભવશાળી બનાવવાનું આહ્વાન
RTOમાં CNG કીટ નોંધણી ન હોવાના બહાને ક્લેઇમ નામંજૂર કરનાર રીલાયન્સ ઈન્સ્યોરન્સ કંપનીને ગ્રાહક આયોગનો ફટકો
રાજકોટ: સરગમ ક્લબ દ્વારા 3 દિવસીય વિનામૂલ્યે જયપુર ફૂટ કેમ્પનું આયોજન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

હેલી ગુબ્બી જ્વાળામુખી: 12,000 વર્ષ પછીનો વિસ્ફોટ અને રિફ્ટ વેલીમાંથી આવેલી ચેતવણી!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

ભારતીય સંસ્કૃતિને અને યુવાઓને માનસિક સ્વાસ્થ્યને નષ્ટ કરતું હુક અપ કલ્ચર!

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

ફેમિલી પ્રેફરન્સ વિઝા પિટિશનમાં મહત્ત્વનો નિયમ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?