ખાસ-ખબર સંવાદદાતા
માગશર સુદ પૂનમના જૂનાગઢ ગિરનાર ક્ષેત્રના અધિષ્ઠા શ્રી દતાત્રેય ભગવાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ગિરનાર પર બિરાજમાન દતાત્રેય ભગવાનના મંદિરે હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા. ગંગાપુરના અષ્ટતીર્થ જળથી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ દતયાગ મહાયજ્ઞ યોજાયો હતો. કમંડળ કુંડ ખાતે ભાવિકો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ભવનાથ તળેટીમાં પણ દતજયંતિની ઉજવણી કરવાાં આવી હતી અને હરિઓમ તત્સત જય ગુરૂદતનો નાદ ગુંજી ઉઠ્યો હતો.
ગિરનાર પર દત્તાત્રેય ભગવાનની જયંતિ નિમિત્તે હજારો ભાવિકો ઉમટ્યા
