એક સત્ય ઘટના હમણાં જાણવા મળી. એક શ્રીમંતના બે માળના બંગલામાં ગ્રાઉન્ડ ફ્લોર પર ભજન-કીર્તનનો કાર્યક્રમ ચાલતો હતો. ગાયન-વાદનના શોરબકોરમાં કોઈને ખબર ન પડી કે પાછળનું બારણું તોડીને, દાદર ચડીને ચાર ચોર પહેલા માળે ઘૂસ્યા છે. તિજોરી તોડવાનો અવાજ પણ કોઈને સંભળાયો નહીં. સોનાંના દાગીના તેમ જ રોકડ ધન લઈને ચોર નાસી છૂટવાની તૈયારીમાં હતા, ત્યાં એમના કાન પર ભજનના શબ્દો પડ્યા. તે લોકો ભજન સાંભળવા માટે ઊભા રહ્યા, ભજનના શબ્દોએ એમના મન પર હકારાત્મક અસર કરી. ચોર લોકો નાસી છૂટવાને બદલે જ્યાં ભજન-કીર્તન ચાલતાં હતાં ત્યાં વિશાળ ખંડમાં પ્રવેશ્યા. બે-ત્રણ ભજનો સાંભળ્યાં ત્યાં તો તેમનો સંપૂર્ણ હૃદયપલટો થઈ ગયો. ચારે ચોર ઊભા થઈને બંગલાના માલિકના પગમાં પડી ગયા અને કબૂલાત કરી અને ચોરીનો માલસમાન માલિકને પાછો આપી દીધો. માલિકે પૂછ્યું, “આ બધું શું છે?” એક ચોરે જવાબ આપ્યો, “આ તમારું જ છે, તમને પાછું આપીએ છીએ. અમે ચોરી કરવા આવ્યા હતા, પણ તમારા ઘરનું વાતાવરણ જોઈ અને અમારો વિચાર બદલાઈ ગયો છે. તમે બધું જોઈ લો અને પછી કાં તો અમને રજા આપો અથવા જો તમે ઈચ્છતા હો તો પોલીસમાં સોંપી દો.” મિત્રો, આપણા ધર્મમાં, આપણાં ભજનોમાં, આપણી પ્રાર્થનાઓમાં એટલી શક્તિ રહેલી છે જે ભલભલા પાપી કે દુષ્ટ મનુષ્યના હૃદયને પણ પવિત્ર બનાવી દઈ શકે છે. આપણે આખા દિવસની વ્યસ્તતામાંથી થોડો સમય ચોરીને એકાદ ભજન કે પ્રાર્થના કે આરતી અચૂક સાંભળવી જોઈએ.
આપણા ધર્મની અપ્રતિમ શક્તિ

Follow US
Find US on Social Medias