સત્સંગ વિહાર ભાગ-1 અને 2ની બાળવાર્તામાં ભગવાન શિવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, 24 અવતારો, સંતોથી પણ શ્રીજી મહારાજ મહાન બતાવાતી વાર્તાઓ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશ-વિદેશમાં આલીશાન મંદીરો ધરાવતાં અને સત્સંગ સભાઓ થકી માનવનિર્માણની વાતો કરનાર બી.એ.પી.એસ. સંસ્થાના સાહિત્યમાં જ પોતાનો સંપ્રદાય મહાન બતાવવાની બાલીશ ચેષ્ટાઓ જોવા મળી રહી છે. બી.એ.પી.એસ.ના બાળસભા કોર્સ તથા બાળ સત્સંગ શિક્ષણ પરીક્ષા માટેની પુસ્તશ્રેણી સત્સંગ વિહાર ભાગ-1 અને સત્સંગ વિહાર ભાગ-2ના પુસ્તકોના અમુક પ્રકરણમાં સનાતન ધર્મના અવતારો, સંતો, શિવ ભગવાન, બ્રહ્મા-વિષ્ણુ-મહેશ, રામાનંદ સ્વામી વગેરેથી પણ વધારે મહાન શ્રીજી મહારાજ કે પ્રમુખ સ્વામીને દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવા પુસ્તકોના વાંચનથી બાળ-માનસ ઉપર કેવી અસર થાય? સનાતન ધર્મના બદલે એક જ સંપ્રદાયને મહાન બતાવવાના આવા પ્રયાસો હિન્દુ સમાજને છિન્ન-ભિન્ન કરી નાખશે તેવી દહેશત જોવા મળે છે. બી.એ.પી.એસ.ના આ પુસ્તકો જ સાબીત કરે છે કે કુવામાં હોય તો અવાળામાં આવે, સંપ્રદાયના નામે ઝેર વાવવાના આવા પ્રયાસો દેશહીતમાં પણ યોગ્ય નથી.
ખાસ નોંધ
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું ઝેરીલું સાહિત્ય આજકાલ ચર્ચામાં છે. પરંતુ આજથી લગભગ અઢી વર્ષ પહેલાં તારીખ 14 અને 15 સપ્ટેમ્બર 2022નાં રોજ આ અંગે વિસ્તૃત અહેવાલ ‘ખાસ-ખબર’એ પ્રકાશિત કર્યાં હતાં. સમયની માંગ મુજબ, પ્રથમ વખત આ અહેવાલો અહીં ફરી લોકો સમક્ષ મૂકી રહ્યાં છીએ. આ અહેવાલો વાંચો અને સ્વામિનારાયણ સંપ્રદાયની અસલીયત જાણો.
સત્સંગ વિહાર ભાગ-1ના પાના નંબર 22 ઉપર પ્રકરણ નંબર 9માં સર્વોપરી શ્રીહરિ ટાઈટલ અંતર્ગત જણાવાયું છે કે શ્રીજી મહારાજ જ સર્વોપરી ભગવાન છે.
- Advertisement -