ખાસ-ખબર સંવાદદાતા
યાત્રાધામ સોમનાથમાં ગત દિવસોમાં રખડતા ઢોરના આતંકનો ઘણા યાત્રિકો શિકાર બનતા સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.મોટા ભાગને ઢોર વૃદ્ધો પર હુમલો કરતા હતા.ઉપરાંત ઘણા યાત્રિકો તો બીજી વખત સોમનાથ ન આવવાની છાપ લઇને પણ જવા લાગ્યા હતા. આખરે તંત્રની આખ ઉઘડતા સોમનાથ મંદિર નજીક અને ત્રિવેણી રોડ પાસેથી પાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.જેમને પકડીને ઊંબા ખાતે પાંજળાપોર ની જગ્યામાં મૂકવામાં આવશે.