આ વેબસિરિઝ લાજવાબની શ્રેણીમાં મુકી શકાય તેવી નથી છતાં તેના ક્ધટેન્ટમાં સંતોષ આપી શક્વાનો દમખમ જરૂર છે.
શાહનામા
– નરેશ શાહ
હોમ મિનિસ્ટર જગન્નાથ રાયે આડાઅવળા ટાંગામેળ કરીને હત્યા કેસમાં પકડાયેલાં પોતાના એકમાત્ર પુત્ર વિવેક રાયને છોડાવ્યો છે પણ વાંગડ દીકરો ઈચ્છે છે કે, ઈમેજ કલિન-અપ કરવા માટે (નિર્દોષ છૂટયાની ખુશાલીમાં) એક પાર્ટી થ્રો કરવી જોઈએ અને પુત્રના કારણે હાઈકમાન્ડની નજરે ચઢી ગયેલાં જગન્નાથ રાય (આશુતોષ રાણા) ને પણ લાગે છે કે બસ્સો કરોડ ખર્ચીને છોડાવેલાં પુત્રની વાત સાચી છે. ભલે, થતી પાર્ટી.
- Advertisement -
– અને પાર્ટીની રાતે પુત્ર વિવેક રાય થોડું લાગણીશીલ પ્રવચન આપીને બધાનું ધ્યાન ખેંચે છે ત્યાં જ ઉજવણીની આતશબાજી શરૂ થાય છે. આંખોને ચકાચૌંધ કરી દેતી અને કાળા આકાશને મનોરમ્ય ઉજાસથી ઉભરાવી દેતી આતશબાજી જોવામાં વિવેક સહિતના પાર્ટીજનો તલ્લિન છે ત્યારે જ એ ધૂમધડાકા વચ્ચે ફાયરિંગ થાય છે અને વિવેક રાય ઢળી પડે છે… તરત પાર્ટી પ્રિમાઈસીસ સીલ કરવાાં આવે છે. આવનારાં ગેસ્ટની ઝડતી લેવાનું શરૂ થાય એ પહેલાં જ બે શખ્સ પિસ્તોલ સાથે પકડાઈ છે. ત્રીજી પિસ્તોલ એક ટેબલ નીચેથી મળવાની છે. મતલબ કે ત્રણ શકમંદ તો સામેથી વ્યક્ત થઈ ગયા પણ ત્રણ શકમંદ હજુ પાર્ટીમાં જ ઉપસ્થિત છે, એ હત્યા વખતે કોઈને ખ્યાલ નથી. એક અભિનેત્રી છે, જે એ જ સાંજે ટીવી પર વિવેક રાયની કરતૂતો કહીને બ્રેકીંગ ન્યુઝ સર્જી ચૂકી છે.
બીજી બે વ્યક્તિ પણ એવી છે કે જે વિવેક રાયથી હર્ટ થઈ ચૂકી છે, જેના વિષે તમે પણ વેબસિરિઝ જોતાં જાવ તેમ તબક્કાવાર ભેદ ખૂલતાં જાય છે. – તો અજય દેવગણે પ્રોડયુસ કરેલી, તિગ્માંશુ ધુલીયાએ ડિરેકટ કરેલી અને ગયા અઠવાડિયે જ હોટ સ્ટાર પર સ્ટ્રીમ થયેલી ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડરની આ સ્ટોરી લાઈન છે, જેનો બેઈઝ તો (સ્લમડોગ મિલિયોનેર ફેઈમ) વિકાસ સ્વરૂપની દળદાર નોવેલ સિક્સ સ્પેકટસ છે. મૂળ નોવેલમાં અને વેબસિરિઝમાં એડોપ્શન પછીના જરૂરી ફેરફાર સ્પષ્ટપણે દેખાય છે. વિકાસ સ્વરૂપની સિક્સ સ્પેકટસ નોવેલ રિલિઝ થઈ ત્યારે તેના પર એવી ચર્ચાઓ થયેલી કે તે ત્રણ ત્રણ સત્ય ઘટનાઓ (બિઝનેશ ટાયકૂન ચઢૃાના દીકરા , જેસિકા લાલ કેસ અને સલમાન ખાનના શિકાર કેસ) પર આધારિત છે. સિક્સ સસ્પેકટ નોવેલ અને તેને એડોપ્ટ કરીને બનેલી ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર માં આ ત્રણેય ઘટનાઓના લસરકા પણ દેખાય છે.
ડિરેકટર તિગ્માંશુ ધુલીયાને ન્યાય કરવા કહેવું પડશે કે ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર ભલે મર્ડર મિસ્ટરી હોય પણ તેને નેરેટ કરવામાં અને તેની પરત દર પરત ખોલવામાં ક્રિએટીવ અપ્રોચ રાખવામાં આવ્યો છે એટલે દર્શક ક્યારેક ગૂંચવાઈ જાય છે. નવ એપિસોડની ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર મિસ્ટરીમાં એટલે જ દરેક નવા એપિસોડ સાથે, એક અલગ કેરેકટરનું બેકડ્રોપ દર્શાવવામાં આવ્યું છે તેથી થાય છે એવું કે દરેક નવા એપિસોડ સાથે કુતૂહલની ધારને નવેસરથી સજાવવી પડે છે.
આખી વાર્તા, પાત્રો કે વેબસિરિઝના મૂડને બયાન કરતું હોય તેમ એક સમયે ફિલ્મ ઘરોંદા ની ગીત પણ યોગ્ય રીતે જ મૂક્વામાં આવ્યું છે : સીને મેં જલન, આંખો મેં તુફાન સા ક્યું હૈ આશુતોષ રાણા, રિચા ચઢા, પ્રતિક ગાંધી, રઘુવીર યાદવ, શાહીબ હાશ્મી, શશાંક અરોરા ઉપરાંતના અનેક પાત્રો ધરાવતી આપણી આ મર્ડર મિસ્ટરીમાં જો કે ફિલ્મી દુનિયાના ગ્લેમર, રાજકારણના ષડયંત્રો, આદિવાસીઓની અંધશ્રદ્ઘા જેવી શ્રદ્ઘા, અપહરણ, પ્રેમ પ્રકરણ, બદલો સહીતના અનેક તત્વોની રસપ્રદ ખિચડી છે કારણકે દરેક કિરદારની એક પોતિકી કહાણી (થેન્ક્સ ટૂ વિકાસ સ્વરૂપ) છે. મૂળ નોવેલ પર તિગ્માંશુ ધુલીયા, વિજય મોર્ય અને પુનિસ શર્માએ ખાસ્સી મહેનત કરીને એક મજેદાર ક્ધટેન્ટ તો આપ્યું જ છે અને આંદામાન-નિકોબાર અને રાજસ્થાનની સૈર પણ કરાવી છે.
- Advertisement -
આપણો પ્રતિક ગાંધી આ વેબસિરિઝમાં છે એટલે ઉલ્લેખ જરૂરી છે કે સીઆઈડી અધિકારી કરતાં પ્રતિક ચાર્મિગ બોય વધુ લાગે છે. મોહનકુમાર બનતાં અને વારંવાર મોહનદાસ (ગાંધીજી) બની જતા રઘુવીર યાદવનું પાત્ર જલ્દીથી ગળે ઉતરે એવું નથી તો અશોક રાજપૂત (શાહીબ હાશ્મી) આંદામાનના આદિવાસી સુધી કેમ અને શા માટે જાય છે, એ પણ સમજાતું નથી તો બ્લોગરની આખી વાત જ વેબસિરિઝ પૂરી થાય ત્યારે લટક્તી રહી જાય છે પણ એ પાત્રની આમ જૂઓ તો કોઈ આવશ્યક્તા લાગતી નથી. હા, સિરિઝ જોતી વખતે એ પાત્ર માટે જિજ્ઞાસા જરૂર જાગે છે…બીજા કિરદારો પણ ઓકે લેવલથી જરા ઉપર લાગે છે પણ તેનું કારણ પણ ધસમસતી વાર્તા અને ઘુંટાતું રહસ્ય વધુ છે.
ધ ગે્રટ ઈન્ડિયન મર્ડર કોઈ (સ્કેમ 9ર) જેવી લાજવાબ વેબસિરિઝની શ્રેણીમાં મૂકી દેવી પડે તેવી હરગીઝ નથી છતાં તેના પોણા સાત કલાકના ક્ધટેન્ટમાં એટલો દમખમ તો છે જ, જે તમને સંતોષ આપી શકે.
1971 : કુછ યાદ ઉન્હે ભી કર લો

ભારતના એક આંતરરાષ્ટ્રીય ઈશ્યુ અને અન્યાય તેમજ પાકિસ્તાનની નાગડદાઈની વાત કરતી 1971 માં બાંગ્લાદેશ માટેના યુધ્ધ વખતે પાકિસ્તાને પકડીને છૂપાવી દીધેલાં ભારતીય સૈનિકોની વાત છે. રેડક્રોસ અને હ્યુમન રાઈટસ સહિતના ઈન્સ્પેકશન વખતે આપણાં કેદીઓને જુદી જુદી જેલમાંથી બહાર કાઢીને અજાણ્યા કેમ્પમાં રાખવામાં આવેલાં અને ત્યાંથી….
છ ભારતીય યુધ્ધ કેદી આ કેમ્પમાંથી ભાગી તો છૂટે છે પણ એક જ યુધ્ધ કેદી (મેજર – મનોજ બાજપેયી) બોર્ડર ક્રોસ કરીને ભારતમાં પગ મૂકી શકે છે પરંતુ પોએટિક જસ્ટીસ ધરાવતી દિગ્દર્શક અમૃત સાગરની આ ફિલ્મ ખરેખર સરસ છે પણ યોગ્ય સમયે અને પ્રચાર સાથે રિલીઝ નહોતી થઈ શકી એટલે નજરઅંદાજ રહીગઈ. પોતાની બાયોગ્રાફીમાં ખુદ મનોજ બાજપેયીએ 1971 ફિલ્મ માટે સોફટ કોર્નર હોવાનું સ્વીકાર્યું છે. મનોજ એકદમ સાચા છે, તેની પ્રતિતિ 1971 જોઈને કરી શકો છો. ફિલ્મ યુ ટયુબ પર જોઈ શકાય છે.


