જૂનાગઢ – ગીર સોમનાથની 368 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે
ભર ચોમાસે ચૂંટણી યોજાશે અને ખેડૂતો મોસમના કામ વ્યસ્ત હશે
સૌથી વધુ 33 વિસાવદરમાં અને સૌથી ઓછી 16 વંથલીમાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બીજા તબકકાની બાકી રહેલ 33 જિલ્લાઓની ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી આગામી તા.22 જૂનના રોજ યોજાશે. જેમાં જૂનાગઢ અને ગિર-સોમનાથ જિલ્લાની 368 ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે. જેમાં ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તા.6 જૂન તેમજ મતદાન સવારથી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે અને તા.25ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. જયારે ભર ચોમાસે ચૂંટણી યોજાશે અને ખેડૂતોને ખેતી પાકની મોસમ પૂર બહારમાં હશે તેવા સમયે મતદાન ઓછુ થવાની સંભાવના છે. ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના નવ તાલુકાની 216 ગ્રામ પંચાયતમાં ચૂંટણી થશે તે તમામ વિસ્તારમાં આચાર સંહિતા અમલમાં આવી છે. નવ જુનથી ફોર્મ ભરવાનો પ્રારંભ થશે જેથી ગ્રામ્ય પંથકમાં દાદેવારોએ ચોકઠા ગોઠવવાના શરૂ કર્યા છે. તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે પરંતુ ચોમાસામાં યોજાનાર ચૂંટણીથી રાજકીય માંધાતાઓમાં દોડધામ થઇ છે. ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે ગ્રામ પંચાયતની મહત્વની ભૂમિકા રહે છે. જેની તમામ બાગડોર સરપંચના હાથમાં હોય છે. લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ગ્રામ પંચાયતની ચૂંટવીની અંતે જાહેરાત થઈ છે. જેથી તંત્ર દ્વારા જૂનાગઢ જિલ્લામાં નવ તાલુકાની 216 ગ્રામ પંચાયતમાં ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ગયા છે. જૂનાગઢ જિલ્લામાં ફુલ 493 ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે.
જેમાંથી 84 ગ્રામ ન પંચાયતોની સંપૂર્ણ, 2 મધ્યસ્થ, 4 વિભાજિત અને 126મા પેટા મળી કુલ 216 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. નવ તાલુકાઓમાં સૌથી વધુ વિસાવદર તાલુકામાં 33, માંગરોળ 29, માણાવદર 27, જૂનાગઢ 27, કેશોદ 29, માળીયાહાટીના 25, ભેસાણ 20, મેંદરડા 13 બેઠકનો સમાવેશ થાય છે. ચૂંટણી યોજાનાર છે તે સમાવિષ્ટ વિસ્તારમાં આજથી જ આચારસંહિતાનો અમલ થયો છે. જૂનાગઢ જિલ્લા ચૂંટણી તંત્રએ ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારી પૂર્ણ કરી છે. 375 બુથમાં મતદાનસંદર્ભે 1418 મતપેટી તૈયાર કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આમ તો પક્ષનું મહત્વ હોતું નથી તેમ છતાં પણ ચૂંટણીમાં જીતેલા સરપંચોની ભૂમિકા મહત્વની બની જાય છે અને તેના પરિણામના આધારે વિધાનસભા તથા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સમીકરણોની ગોઠવણી થતી હોય છે. ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થતા ચોગઠા ગોઠવવા ધમધમાટ શરૂ થયો છે. ચોમાસાની સિઝન હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો વાવણીમાં પણ કાર્યરત રહેશે. વરસાદી સિઝનમાં અનેક ગ્રામ્ય વિસ્તારમાં જળ બંબોળની સ્થિતિ થાય છે તેમાં પણ ઘેડ પંથક સૌથી વધુ અસરગ્રસ્ત થાય છે. મતદાન બેલેટ પેપરથી થનાર છે અને તેમાં નોટાનો પણ સમાવેશ કરાયો છે. વરસાદી સિઝનમાં જ ચૂંટણીના આયોજનથી હાલ તો દાવેદારો અને સંલગ્ન પક્ષો પણ અસમંજસમાં મુકાયા છે.