સિંઘવીએ કહ્યું, ધરપકડ મૌલિક અધિકારોની વિરુદ્ધ, ઊઉએ જવાબ આપવા માટે સમય માંગ્યો
ખાસ-ખબર ન્યૂઝ દિલ્હી, તા.27
- Advertisement -
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઊઉની ધરપકડ અને રાઉઝ એવન્યુ કોર્ટના રિમાન્ડના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો છે. જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની કોર્ટમાં આ કેસની સુનાવણી શરૂ થઈ ગઈ છે. કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર થયા હતા અને ઊઉ વતી એટર્ની સોલિસિટર જનરલ (અજૠ) જટ રાજુ હાજર થયા હતા.
અજૠ રાજુએ કહ્યું હતું કે અમે વિગતવાર જવાબ દાખલ કરવા માંગીએ છીએ. મુખ્ય કેસમાં અમને 3 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો. આ કેસમાં પણ અમને જવાબ દાખલ કરવા માટે પૂરતો સમય મળવો જોઈએ.
કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આ વિલંબની યુક્તિઓ છે. અમે હાઇકોર્ટને અપીલ કરીએ છીએ કે આ અંગે હવે નિર્ણય લેવામાં આવે. તમે તેને સ્વીકારો અથવા નકારી કાઢો.
ASG રાજુએ કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય માત્ર આક્ષેપો કરવાનો છે. તેના પર હાઈકોર્ટે કહ્યું કે અમે પૂરક યાદી પર સુનાવણી પૂર્ણ કર્યા બાદ કેજરીવાલની અરજી પર ફરીથી સુનાવણી કરીશું.
આપના લીગલ સેલ દ્વારા કેજરીવાલની ધરપકડના વિરોધમાં જિલ્લા અદાલતોમાં દેખાવોનું આહ્વાન કર્યું હતું. આના પર દિલ્હી હાઈકોર્ટે AAPને ચેતવણી આપતાં કહ્યું- જો કોર્ટ પરિસરમાં પ્રદર્શન થશે તો તેના ગંભીર પરિણામો આવશે. બીજી તરફ સુનાવણી પહેલાં જ EDએ AAPના ગોવા-મહારાષ્ટ્રના પ્રભારી દીપક સિંગલાના દિલ્હી નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. એજન્સીએ દારૂની નીતિમાંથી મળેલાં નાણાંનો ઉપયોગ ગોવાની ચૂંટણીમાં કરવાનો દાવો કર્યો હતો. દરોડાને આ કડીના સંદર્ભમાં જોવામાં આવી રહ્યા છે.
- Advertisement -
કાલે કેજરીવાલ કોર્ટમાં દારૂ કૌભાંડના પૈસાનો કરશે ખુલાસો : સુનીતા કેજરીવાલ
ખાસ-ખબર ન્યૂઝ દિલ્હી, તા.27
દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ મામલે ધરપકડ કરવામાં આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ 28 માર્ચના રોજ સમગ્ર દેશને જણાવશે કે, આ કથિત દારૂ કૌભાંડના પૈસા ક્યાં ગયા. સુનીતા કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં આ નિવેદન જારી કર્યું છે. તેમણે કહ્યું કે, કાલે સાંજે મેં અરવિંદ કેજરીવાલ સાથે જેલમાં મુલાકાત કરી હતી. બે દિવસ પહેલા તેમણે દિલ્હીમા જળ મંત્રી આતિશીને સંદેશ મોકલ્યો હતો કે, પાણી અને ગટરની સમસ્યાનું સમાધાન થવું જોઈએ. આ બાબત પર કેન્દ્ર સરકારે મુખ્યમંત્રી પર કેસ કરી દીધો. શું તેઓ દિલ્હીને તબાહ કરવા માગે છે? તેમણે આગળ કહ્યું કે, કહ્યું કે આ દારૂ કૌભાંડની તપાસમાં ઊઉ એ છેલ્લા બે વર્ષમાં 250થી વધુ દરોડા પાડ્યા છે. તેઓ કથિત કૌભાંડના પૈસા શોધી રહ્યા છે પરંતુ હજુ સુધી એક પણ દરોડામાં તેમને પૈસા નથી મળ્યા. આ મામલે ઊઉએ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા, સંજય સિંહને ત્યાં દરોડા પાડ્યા, સત્યેન્દ્ર જૈનના ઘરે દરોડા પાડ્યા પરંતુ તેમને પૈસા નથી મળ્યા. હવે કેજરીવાલે કહ્યું છે કે તેઓ આનો ખુલાસો 28મી માર્ચે કોર્ટમાં કરશે. તેઓ તેના પુરાવા પણ આપશે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે મારું શરીર જેલમાં છે પણ મારી આત્મા તમારી વચ્ચે છે.