કેન્દ્રીય વિદ્યાલય પોરબંદરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવાયો હતો. આચાર્ય રાકેશ કાંતિવાલની અધ્યક્ષતામાં કેન્દ્રીય વિદ્યાલય પોરબંદરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં બાળકો દ્વારા વક્તવ્ય અને વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાળકોએ અવકાશ અને ચંદ્રયાનના મોડેલો, ચિત્રો બનાવીને સ્પેસ ડેની ઉજવણી કરી વધુ રસપ્રદ બનાવ્યું હતું. આ દરમિયાન બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવી શકાય તે માટે શાળાના તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રદર્શન બતાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિજ્ઞાન અને ગણિત વિભાગના તમામ સભ્યો, શિક્ષકોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. વિજ્ઞાન શિક્ષક અનીલકુમાર આર્યએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.