માત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હર ઘર તિરંગાની કામગીરીમાં જોડાશે
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લાના તલાટી મંત્રીઓ પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે જંગે ચઢ્યા છે જેમાં મોરબી જીલ્લાના તલાટીઓએ આજથી અચોક્કસ મુદતની હડતાલનું એલાન આપ્યું છે જો કે તલાટીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હર ઘર તિરંગાની કામગીરીમાં જોડાશે.
- Advertisement -
તલાટીઓની અચોક્કસ મુદતની હડતાલ મુદ્દે મોરબી જીલ્લા તલાટી કમમંત્રી મહામંડળના પ્રમુખ ભાવેશભાઈ કાસુન્દ્રા અને મહામંત્રી રવિભાઈ હુંબલના જણાવ્યા મુજબ વર્ષોથી તલાટી મંત્રીઓના અનેક પ્રશ્નો વણઉકેલ્યા છે. વર્ષ 2018 થી તલાટી કમ મંત્રી મહામંડળના નેજા હેઠળ તલાટીઓ પોતાના હક્ક માટે લડત ચલાવી રહ્યા છે જેમાં સરકારને અનેક વખત રજુઆતો કરવામાં આવી છે અને આંદોલન પણ કરવામાં આવ્યું હતું તેમ છતાં સરકારે મચક ન આપતા હવે તલાટીઓની ધીરજ ખૂટી છે અને મોરબી જિલ્લાના તલાટીઓ આજે તા. 2 ઓગસ્ટને મંગળવારથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરશે તેવી જાહેરાત કરી છે જો કે તલાટીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હર ઘર તિરંગાની કામગીરીમાં જોડાશે તેમજ એ સિવાયની તમામ કામગીરીથી અળગા રહેશે.