અમરેલીની જાણીતી સંસ્થા ડો. કલામ ઇનોવેટીવ વર્ક દ્વારા અરવલ્લી ની પર્વતમાળાની ગોદમાં વસેલા ઇડર, કેસરપુરા, વેડા, અને ખેડબ્રહ્માની વિવિધ શાળાઓની મુલાકાત લેવામાં આવી હતી.

અહીંની શાળાઓમાં અભ્યાસ કરતા 2500 કરતા વધારે વિદ્યાર્થીઓને ડો. કલામ સાહેબના જીવન પર આધારિત પ્રેરણા દાયી સેમિનાર આપવામાં આવ્યો હતો.જાણીતા મોટીવેશનલ સ્પીકર અને કલામ ઇનોવેટીવ વર્ક ના ફાઉન્ડર કેવલસર દ્વારા શીખવા માટેની સાચી પદ્ધતિ, વિદ્યાર્થી જીવન માં શિક્ષક નું મહત્વ, સ્વપ્ન પ્રાપ્તિ, આત્મવિશ્વાસ કેવી રીતે વધારી શકાય, અને વિદ્યાર્થી પોતાની આવડતથી કેવી રીતે પરિચિત થાય તે સંદર્ભે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને સાથે કલામ સાહેબ દ્વારા 2020ના સ્વપ્નના ભારતના નિર્માણ માટે કલામ સર દ્વારા સ્વરચિત દસસુત્રી પ્રતિજ્ઞા લેવડાવા માં આવી હતી.
- Advertisement -

કેવલસર અને તેમની ટિમ દ્વારા છેલ્લા 7 વર્ષથી વિવિધ શાળા અને કોલેજમાં કલામસરના પ્રેરણાદાયી ઇન્જેક્શન લાખો વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે અને કલામસરના સ્વપ્નના ભારતના નિર્માણમાં અને વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ નિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યા છે. આ સાથે સૃષ્ટિ સંસ્થાના ચેતન પટેલ દ્વારા પણ આ શાળાની મુલાકાત લેવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ પાસે તેમની આઈડિયા કોમ્પિટિશન કરાવવામાં આવી હતી જેમાં પણ વિદ્યાર્થીઓ એ ખુબ ઉત્સાહ પૂર્વક લાભ લીધો હતો.

આ ત્રિદીવસીય પ્રવાસમાં ડો. કલામ ઇનોવેટીવ વર્કની ટીમના પ્રીતિશભાઈ પંડ્યા, ઉમંગભાઈ જોશી, અને ધ્યેય ભાઈ પંડ્યા પણ જોડાયા હતા અને તેમના દ્વારા આ સેમિનાર ને સફળ બનાવવા માટે ખુબ ચાવીરૂપ ભૂમિકા ભજવવામાં આવી હતી. ડો. કલામ ઇનોવેટીવ વર્ક અમરેલીના સીમાડા ઓ વટાવી અને ગુજરાતથી લઇ અને વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ સુધી કલામ સાહેબના વિચારો પહોંચાડી અને રાષ્ટ્ર્રહિત માં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહી છે
- Advertisement -

કેવલસર અને તેમની ટીમ દ્વારા અમારા વિસ્તારના વિદ્યાર્થીઓની માફક દેશના અન્ય વિદ્યાર્થીઓને પણ તેમના માધ્યમથી આ પ્રકારનો લાભ મળતો રહશે તેવો આશાવાદ વ્યક્ત કરવાની સાથે કલામ સાહેબના વિચારોના માધ્યમથી કલામ ઇનોવેટીવ વર્કની ટીમ રાષ્ટ્ર્ર નિર્માણ માં અમૂલ્ય યોગદાન આપવા માટે યુનિકયુ ઇન્ટરનેશનલના ડાયરેક્ટર જીતુભાઇ દ્વારા કેવલસર અને તેમની ટીમને વિશેષ અભિનંદન આપવામાં આવ્યા છે તેવું સૃષ્ટિ સંસ્થાના રમેશભાઈ પટેલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




