રાજ્યના 14થી 18 વર્ષના યુવક, યુવતીઓ ભાગ લઈ શકશે
ગુજરાતના સાહસિક યુવાઓ માટે સોનેરી તક
- Advertisement -
ઈચ્છુક ઉમેદવારો તા.29 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર અને કમિશનર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સમયમાં ચોટીલા ખાતે છઠ્ઠી રાજ્યકક્ષા ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનાં જુનિયર વિભાગના 14 થી 18 વર્ષના યુવક અને યુવતીઓ કે, જેઓ તા.31/12/2025ના રોજ 14થી 18 વર્ષની વય મર્યાદા ધરાવતા હોય તેવા યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયત નમુનામાં પ્રવેશપત્ર ભરવાનું રહેશે.
આ ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, ખેરાળી રોડ, રતનપર, સુરેન્દ્રનગર ખાતેથી તથા કચેરીના બ્લોગ મુમજ્ઞતક્ષિ.બહજ્ઞલ-તાજ્ઞિ.ંભજ્ઞળ પરથી ડાઉનલોડ કરી શકાશે. તેમજ 6353363567 નંબર પર વોટસએપ મારફ્ત પણ ફોર્મ મેળવી શકાશે.
દરેક સ્પર્ધકોએ નિયત પ્રવેશપત્રોમાં માંગ્યા મુજબની તમામ વિગતો ભરી જરૂરી સહી -સિક્કા સાથેનું ફોર્મ તથા જરૂરી આધાર પૂરાવાની નકલ જોડી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતે તા.29-11-2025 સુધી રજા સિવાયના દિવસોમાં કચેરી સમય દરમ્યાન રૂબરૂ/કુરિયર/પોસ્ટ મારફતે પહોંચતા કરવાના રહેશે. આ સ્પર્ધામાં નિયત સંખ્યામાં સ્પર્ધકો ભાગ લઈ શકશે, જેથી નિશ્ર્ચિત સંખ્યા કરતા વધારે ફોર્મ થશે તો એવા સંજોગોમાં વહેલા તે પહેલાના ધોરણે આવેલ ફોર્મવાળા સ્પર્ધકો ભાગ લઈ શકશે.
અધુરી વિગતવાળા તથા ખોટી માહિતી વાળા, સહી સિક્કા વગરના ફોર્મ રદ્દ કરવામાં આવશે, જેની તમામે નોંધ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ ની અખબારી યાદીમાં જણાવાયું છે.



