– રાજસ્થાનમાં સર્જાયેલી બળવા જેવી સ્થિતિમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતને ‘ક્લીનચીટ’ આપી મનાવી લેવા પ્રયાસ : ટેકેદારો સામે આકરા પગલા લેવાશે
– સચિન પાયલોટ માટે મુખ્યમંત્રી પદ બહુ દૂર નથી : રાહુલ અને પ્રિયંકા ગાંધી ‘વચન’નિભાવવા તૈયાર : હવે ગેહલોત જૂથ પર નજર
- Advertisement -
કોંગ્રેસના નવા રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી સમયે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે હાઈકમાન્ડ સામે બળવાની સ્થિતિ બનાવીને રાજ્યમાં તેમની પસંદગીના નવા મુખ્યમંત્રી નિયુક્ત કરવાનું સર્જેલુ દબાણ હવે બૂમરેંગ થાય તેવી શક્યતા છે અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ અશોક ગેહલોતને મુખ્યમંત્રી પદ છોડીને કોંગ્રેસ અધ્યક્ષ માટે નોમિનેશન દાખલ કરવા સૂચના આપી છે અને રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રીનો નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડ જ લેશે તેવો સંકેત આપી દીધો છે.
છેલ્લા 48 કલાકની કટોકટીમાં એક તરફ ગેહલોત જૂથ હવે બેકફૂટ પર હોવાનું માનવામાં આવે છે. તો બીજી તરફ કોંગ્રેસ મોવડી મંડળ પણ આ કટોકટીને વકરવા દેવા માગતી નથી અને તેથતી જ રાજસ્થાનમાં નિયુક્ત કરાયેલા કોંગ્રેસના નિરીક્ષકો દ્વારા મુખ્યમંત્રી અશોક ગેહલોતને ક્લીનચીટ આપીને તેના ત્રણ થી ચાર ટેકેદારો કે જેઓ આ કટોકટીમાં સતત મોવડી મંડળને પડકારી રહ્યા હતા અને નિવેદનો આપી રહ્યા હતા.
તેમને નોટીસ આપીને પક્ષ અ તમામ સામે પગલા લઇ શકે છે અને બીજી તરફ અશોક ગેહલોત માટે હવે મુખ્યમંત્રી પદ બચાવવું પણ મુશ્કેલ બની ગયું છે. સોનિયા ગાંધી હજુ પણ ઇચ્છે છે કે ગેહલોત પક્ષનું સુકાન સંભાળે અને તેથી જ તેમને તા. 30 સુધીમાં ઉમેદવારી કરવા માટે જણાવાયું છે. અને જો ગેહલોત પક્ષની લાઇનમાં આવે તો સચિન પાયલોટને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરાશે અને ગેહલોત જૂથના બે સિનિયર મંત્રીઓને નાયબ મુખ્યમંત્રીનો દરજ્જો આપીને મનાવી લેવાશે.
- Advertisement -
ટોચના સુત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના બે વરિષ્ઠ નેતા અને ગાંધી કુટુંબના સભ્ય રાહુલ અને સોનિયા ગાંધી કોઇપણ સંજોગોમાં અશોક ગેહલોતની દબાણ નીતિ સામે ઝુકવા તૈયાર નથી અને બીજી તરફ સોનિયા ગાંધી પક્ષને કે રાજસ્થાનની સરકારને કોઇપણ કટોકટીનો સામનો ન કરવો પડે એ માટેનો માર્ગ શોધી રહ્યા છે જેના કારણે હવે જો અશોક ગેહલોત કોંગ્રેસ પ્રમુખપદ સ્વીકારશે તો તેમાં સ્પર્ધા માટે શશી થરુર ઝુકાવશે તેમ માનવામાં આવે છે.