By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    50 વર્ષ જૂની દલીલમાં ફસાયું ડેનમાર્ક
    3 days ago
    ગુંડાગીરી નહીં, સન્માનથી વાત કરો; આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરો: ફ્રાંસની ટ્રમ્પને ચેતવણી
    4 days ago
    અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત, જાણો વધુ
    5 days ago
    અમેરિકા ભૂતકાળમાં પણ બર્ફીલા ટાપુ ગ્રીનલૅન્ડને ખરીદવાનો પ્રયાસ કરી ચૂક્યું છે, 10 કરોડ ડૉલરની કરી હતી ઑફર
    6 days ago
    ચિલીના જંગલોમાં પ્રચંડ આગમાં 18 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોહાણા સમાજની અગ્રણી વૈશ્ર્વિક સંસ્થા દ્વારા કઈંઇઋ એક્સ્પોનું ભવ્ય આયોજન
    3 days ago
    અભિષેક શર્માનું તોફાન: ન્યૂઝીલેન્ડ સામે ભારતે રેકોર્ડબ્રેક સ્કોર સાથે પ્રથમ ઝ20 જીતી
    3 days ago
    બંધારણીય સત્તાનો દુરુપયોગ સ્વીકાર્ય નથી: સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને ફટકાર
    3 days ago
    અવિમુક્તેશ્ર્વરાનંદને ચેતવણી માઘ મેળામાંથી ‘બૅન’ કરી દઈશું
    3 days ago
    EUનો ટ્રમ્પના ગાલ પર તમાચો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
    5 days ago
    જો બાંગ્લાદેશનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન 2026 માં T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની સમીક્ષા કરશે
    6 days ago
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    1 week ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    1 week ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    1 week ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સેવા એ જ ધર્મ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > સેવા એ જ ધર્મ!
AuthorBhavy Raval

સેવા એ જ ધર્મ!

Khaskhabar Editor
Last updated: 2022/01/24 at 1:25 PM
Khaskhabar Editor 4 years ago
Share
12 Min Read
SHARE

કોણ કહે છે કે, હિન્દુ મંદિરો, સંપ્રદાયો અને સંતો કોરોના કાળમાં નિષ્ક્રિય છે?

કોરોના કાળમાં હિન્દુ સંપ્રદાયોએ ગુજરાતમાં બેશુમાર સેવાકાર્યો કર્યા છે, આ અહેવાલમાં તેની ઝલક માત્ર આપવામાં આવી છે…

સોમનાથ મંદિર ટ્રસ્ટે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા 50 લાખનું અનુદાન કર્યું

વિશ્ર્વ પ્રસિદ્ધિ સોમનાથ મંદીર ટ્રસ્ટે કોરોના દર્દીઓની સહાય માટે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા 50 લાખ રૂપિયાનું અનુદાન આપ્યું છે તો લીલાવતી ગેસ્ટહાઉસનાં 72 રૂમ કોવિડ કેર સેન્ટર બનાવવા પ્રશાસનને આપ્યા છે. પ્રભાસપાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવા માટે 50 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. આ પ્લાન્ટ કોરોના દર્દીઓની સારવાર માટે ખૂબ જ ઉપયોગી નિવડશે. વેરાવળ શહેર તથા આસપાસનાં ગામડાઓનાં લોકોને કોરોના સારવાર માટે ઓક્સિજનની જરૂરીયાત સમયે આ પ્લાન્ટના માધ્યમથી સરળતાથી ઓક્સિજન મળી શકશે. આ ઉપરાંત દરરોજ કોરોના પોઝિટિવ હોય અને હોમ આઈસોલેશનમાં હોય તેવા વ્યક્તિઓને ટીફીન મારફતે ભોજન પહોચાડવામાં આવે છે.

Contents
કોણ કહે છે કે, હિન્દુ મંદિરો, સંપ્રદાયો અને સંતો કોરોના કાળમાં નિષ્ક્રિય છે?કોરોના કાળમાં હિન્દુ સંપ્રદાયોએ ગુજરાતમાં બેશુમાર સેવાકાર્યો કર્યા છે, આ અહેવાલમાં તેની ઝલક માત્ર આપવામાં આવી છે…સોમનાથ મંદિર ટ્રસ્ટે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા 50 લાખનું અનુદાન કર્યુંમોરારિબાપુએ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે 1 કરોડની સહાય રાશિ જાહેર કરીVYO રાજ્યમાં 12 સ્થળે 10 ઓક્સિજનના પ્લાન્ટ નિર્મિત કરશે 

- Advertisement -

કોરોના મહામારીની બીજી લહેરમાં ધાર્મિક સંસ્થાઓ અને તેના વડાઓએ આગળ વધી દાનની સરવાણી વહેડાવી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને મદદરૂપ થવા માટે વિવિધ ધર્મ સંપ્રદાયો અને સંતો-મહંતો લાખો-કરોડો રૂપિયાનું દાન કરી રહ્યાં છે. કોરોનાની કટોકટીભરી સ્થિતિમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની ઉત્તમ સારવાર અને શ્રેષ્ઠત્તમ સુવિધા માટે સરકારી તંત્રની સાથે ધાર્મિક સંસ્થાઓ અને તેમના વડાઓ ખંભેખભા મીલાવીને અપ્રિતમ કામગીરી કરી રહ્યાં છે. કોરોનાકાળની બીજી લહેરમાં બેડ, ઓક્સિજન, ઈન્જેકશન, મેડિસીન, માસ્ક, ફૂડ, ફ્રૂટ, ઉકાળા વગેરેની વ્યવસ્થાઓ કરવામાં વિવિધ ધર્મ સંપ્રદાયો અને સંતો-મહંતોનો ફાળો બહુમૂલ્ય છે.

દેશભરમાંથી વારંવાર સેક્યુલરો દ્વારા એવો સૂર ઉઠતો આવ્યો છે કે મંદિરો, ધર્મસ્થાનો, ધાર્મિક સંસ્થાઓ પાસે એકઠું થયેલું ભંડોળ સરકારે પોતાના હસ્તગત કરી લેવું જોઈએ. ઘણા નાસ્તિકો એવું કહેતા હોય છે કે મંદિરોમાં દાન કરવું ન જોઈએ. ધાર્મિક સંપ્રદાયો અને તેમના સંતો-મહંતોને એક ચોક્કસ વર્ગ દ્વારા પાયાવિહોણા આક્ષેપો કરી હેરાન-પરેશાન પણ કરવામાં આવે છે પરંતુ આજે સમગ્ર વિશ્ર્વ જ્યારે મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે નાત-જાત, જ્ઞાતિ-જાતિ, વાડા-સીમાડાનાં ભેદભાવ વિના વિવિધ ધાર્મિક સંપ્રદાયો અને સંતો-મહંતોએ આગળ આવી કોરોનાગ્રસ્ત દર્દીઓને મદદ કરી રહ્યાં છે. મોટા શહેરો હોય કે નાના ગામડાઓ હોય કે વિદેશનું કોઈ સિટી.. અત્ર, તત્ર, સર્વત્ર સ્થપાયેલી ધાર્મિક સંસ્થાઓ અને તેમના વડાઓએ સેવા-સહાયતા માટે હાથ લંબાવ્યો છે, છૂટા હાથે દાન કર્યું છે.

ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છનાં ધર્મસ્થાનકો અને સંતો-મહંતો દ્વારા કોરોનાની બીજી લહેરમાં દાનની સરવાણી વહેવડામાં આવી છે. આજે દરેક ધાર્મિક સંસ્થાનાં સભ્યો, અનુયાયીઓ કોરોના મહામારી વિરુદ્ધની જંગમાં તન-મન-ધનથી જોડાઈ ગયા છે. કોરોનાકાળમાં ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હરેક વ્યક્તિની કામગીરીની બહોળા પ્રમાણમાં નોંધ લેવાઈ રહી છે અને દર્દી નારાયણનાં આશીર્વાદ મળી રહ્યાં છે. આપણી ઘરતી ધન્યવાન અને આપણે સૌ ભાગ્યશાળી છીએ કે અહીં સ્વાર્થવૃત્તિ વિના સેવા કરનારા ઈશ્ર્વરનાં અંશ હાજરાહાજૂર છે. આવી જ કેટલીક સેવાર્થી ધાર્મિક સંસ્થાઓ અને તેમના સંતો-મહંતોની કામગીરી જાણી મંદિરોમાં લખાવેલું દાન ફોગટ થયાનો અફસોસ નહીં થાય. ધાર્મિક સંસ્થાઓમાં લખાવેલો ચાંલ્લો ચવાઈ ગયો એમ નહીં લાગે અને તમને પણ હિંદુ હોવાનો ગર્વ થશે.

- Advertisement -

મોરારિબાપુએ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે 1 કરોડની સહાય રાશિ જાહેર કરી

જાણીતા રામ કથાકાર મોરારીબાપુએ અમરેલી-ભાવનગરનાં રાજૂલા, સાવરકૂંડલા, મહૂવા અને તળાજા તાલુકામાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે રૂ. 1 કરોડની સહાય કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મોરારીબાપુએ તલગાજરડા ચિત્રકૂટધામ હનુમાનજીનાં પ્રસાદીરૂપે – તુલસીપત્ર રૂપે રૂ. 5 લાખનો ચેક સેવામાં મૂકવાની જાહેરાત કરી છે. વધુમાં સાવરકુંડલા, મહૂવા, તળાજા, રાજૂલા અને ભાવનગરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા માટે રૂ. 25-25 લાખ એમ કરીને કુલ રૂ. 1 કરોડની સહાય રાશિ જાહેર કરવામાં આવી છે.

કોરોનાકાળની બીજી લહેરમાં બૅડ, ઑક્સિજન, ઈન્જેકશન, મેડિસિન, માસ્ક, ફૂડ, ફ્રૂટ, ઉકાળા વગેરેની વ્યવસ્થાઓ કરવામાં વિવિધ ધર્મ સંપ્રદાયો અને સંતો-મહંતોનો ફાળો બહુમૂલ્ય છે.

VYO રાજ્યમાં 12 સ્થળે 10 ઓક્સિજનના પ્લાન્ટ નિર્મિત કરશે 

વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીની પ્રેરણાથી વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશન દ્વારા રાજકોટ શહેરની કેન્સર કોવિડ હોસ્પિટલ અને યુનિવર્સિટી કોવિડ સેન્ટર ખાતે 36 લાખનાં ખર્ચે 2 ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવશે. વડોદરામાં 4 ઓક્સિજન પ્લાન્ટ બનાવશે. 1.26 કરોડના ખર્ચે 10 ટન ઓક્સિજન ઉત્પાદન કરતા પ્લાન્ટ નિર્મિત કરશે. માત્ર 10 દિવસમાં પ્રથમ ઓક્સિજન પ્લાન્ટ એસએસજી હોસ્પિટલમાં ઊભો કરવામાં આવશે. વીવાયઓ દ્વારા 4 ઓક્સિજન પ્લાન્ટના પ્રોજેક્ટ નક્કી કરાયા છે. એસએસજી અને ગોત્રી હોસ્પિટલમાં આશરે 90 લાખના ખર્ચે 4-4 ટનના ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરાશે. આ પ્લાન્ટ 1 કલાકમાં 25 હજાર લિટર ઓક્સિજનનું નિર્માણ કરશે. આ સાથે નરહરી હોસ્પિટલમાં 1 ટનનો અને વ્રજધામ આધ્યાત્મિક કોવિડ સેન્ટરમાં 1 ટનનો ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરાશે. બંને પ્લાન્ટ રૂા.36 લાખના ખર્ચે ઊભા કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ, સુરત, નવસારી, વલ્લભવિદ્યાનગર, ભાવનગર, જામનગર અને સાસણગીરમાં પણ વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશન દ્વારા ઓક્સિજન પ્લાન્ટ બનાવવાનું કાર્ય ચાલુ છે. વીવાયઓ દ્વારા કોવિડ કેર ડ્રાઈવ સેવા અંતર્ગત 500 કોન્સનટ્રેટર મશીન તથા 25 વેન્ટીલેટર પ્રદાન કરવામાં આવ્યા છે જેમાંથી 250 ઓક્સિજન મશીન અને 15 વેન્ટીલેટર મશીન કોરોના દર્દીઓની સેવામાં કાર્યરત થઈ ચૂક્યા છે.

દ્વારકા જગત મંદિરે કોવિડ કેર સેન્ટર માટે 21 લાખનું દાન કર્યું 

દ્વારકા જગત મંદિર દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કોવિડ કેર સેન્ટર બનાવવા 21 લાખનું દાન અપાયું છે. આ સમયે લોકોને જરૂરી તબીબી અને અનુસંગિક સારવાર મળી રહે તે માટે દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટમાંથી રૂપિયા એકવીસ લાખ તથા સુદામાસેતુ સોસાયટીના ભંડોળમાંથી રૂપિયા અગિયાર લાખ કલેકટર દેવભૂમિ દ્વારકાનાં ખાતામાં લોકોની સેવા માટે ફાળવવામાં આવ્યા છે. દ્વારકા જગત મંદિરનાં આ દાનથી સમગ્ર દ્વારકા જિલ્લાનાં કોરોનાગ્રસ્ત દર્દીઓને રાહત સાથે ફાયદો થશે.

વડતાલ સ્વામિનારાયણ મંદિર હોસ્પિટલમાં 100 બેડનું કોવિડ કેર સેન્ટર તૈયાર કરાયું

સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા દર્દીઓને સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવવા તંત્ર સાથે મળી 100 બેડનું કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. યાત્રાધામ વડતાલ ખાતે આવેલા મંદિર સંચાલિત સ્વામિનારાયણ હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં હાલ ઓક્સિજન સહિતની જરૂરી સુવિધા સાથે કોરોના દર્દીઓ માટે 100 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. જો જરૂરિયાત ઉપસ્થિત થાય તો બેડની સંખ્યા વધારવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે માટે સ્વામિનારાયણ સંસ્થા વડતાલનાં બીજા રેસ્ટ હાઉસ અને હોલમાં પણ બેડ તૈયાર કરાશે.

પાવાગઢ મંદિર ટ્રસ્ટ 50 લાખનાં ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરશે

પાવાગઢ સ્થિત શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા હાલોલ તાલુકાના તાજપુરા સ્થિત કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ન સર્જાય માટે મંદિર ટ્રસ્ટ દ્વારા 50 લાખ રૂપિયાનાં ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરીને આપવાની જાહેરાત કરાઈ છે. જેમાં રોજનો 100 બોટલ ઓક્સિજન તૈયાર થશે. આ પ્લાન્ટનું સિવિલ કામ શરૂ કરીને મશીનરી માટેનો ઓર્ડર આપી દેવાયો છે.

રાજકોટ નજીક સરધાર જેવા નાના ગામમાં પણ સ્વામિનારાયણ મંદિર દ્વારા કોરોના રાહત કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે
સ્વામિનારાયણ મંદિર-સરધાર દ્વારા નિત્યસ્વરૂપદાસજીની પ્રેરણાથી કોરાનાથી સંક્રમિત દર્દીઓને સારી સારવાર ઉપલબ્ધ કરાવવાના આશયથી કોરાના રાહત સેવા કેન્દ્રનો પ્રારંભ કરાયો છે. દર્દીઓના સગા સંબંધીઓને નિ:શુલ્ક ભોજનની સુવિધા પણ મંદિર તરફથી આપવામાં આવશે. અહીં ઓક્સિજન અને વેન્ટીલેટર સાથે કોરોનાની સારવાર કરવામાં આવી રહી છે. સરધાર આસપાસનાં ગામડાઓને આ કોરોના રાહત કેન્દ્ર શરૂ થતા ખૂબ જ ફાયદો થયો છે.

સ્વામી સચિદાનંદજીએ પેટલાદની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે 35 લાખનું દાન કર્યું
પેટલાદનાં દંતાલી ખાતે આવેલા ભક્તિનિકેતન આશ્રમનાં સંત સ્વામી સચ્ચિદાનંદએ પેટલાદની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે 35 લાખનાં દાનનો ચેક કલેકટરને સુપ્રત કર્યો છે. આ દાનથી સિવિલ હોસ્પિટલમાં યુદ્ધનાં ધોરણે ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવામાં આવશે.

મોટા શહેરો હોય કે નાના ગામડાઓ હોય કે વિદેશનું કોઈ સિટી.. અત્ર, તત્ર, સર્વત્ર સ્થપાયેલી ધાર્મિક સંસ્થાઓ અને તેમના વડાઓએ સેવા-સહાયતા માટે હાથ લંબાવ્યો છે, છૂટા હાથે દાન કર્યું છે

રાજકોટ ગુરુકુળમાં 200 બેડ સાથે કોવિડ કેર તથા આઈસોલેશન સેન્ટર છે

સ્વામિનારાયણ ગુરુકળ-રાજકોટ દ્વારા કોવિડ કેર તથા આઈસોલેશન સેન્ટરનો પ્રથમ 200 બેડથી પ્રારંભ કરાયો છે. 500 વ્યકિતઓ માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ છે. નજીકનાં સમયમાં ઓક્સિજન તથા વેન્ટીલેટર સાથે કોરોનાની સારવાર શરુ કરવાની ગોઠવણ કરાશે. જરુરીયાત જણાતા 600 બેડ સુધીની વ્યવસ્થા થઈ શકશે. ગુરુકુળ દ્વારા સવારે ચા-નાસ્તો, બપોરે-સાંજે ભોજન પ્રસાદ, ફ્રૂટ, જયુસ, ઉકાળો, નાસ લેવા માટે મશીન, ગરમ પાણી, સવાર-સાંજ ડોકટરોની વિઝીટ વગેરે ઉપલબ્ધ રહે છે.

જૈન સંત નમ્રમુનિની પ્રેરણાથી કોરોનાગ્રસ્તો માટે દેશભરમાં અનેક સેવાકાર્યો કરવામાં આવી રહ્યાં છે

પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અનેક સ્થળોએ કોવિડ કેર સેન્ટર અને કોરન્ટાઈન સેન્ટરનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. અમદાવાદ, કલકત્તા, મુંબઈ, કાંદિવલી, ઘાટકોપર વગેરે જગ્યાએ ઓક્સિજન બેડયુક્ત કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યા છે જ્યાં એમડી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની ટીમ દ્વારા દર્દીની સારવાર કરવામાં આવે છે. રાજકોટમાં પણ જૈન સંત નમ્રમુનિજીની પ્રેરણાથી તમામ જ્ઞાતિ-જાતિનાં લોકો માટે હોમ આઈસોલેશન થયેલ પેશન્ટ માટે નિ:શુલ્ક ભોજન પહોંચાડવામાં આવે છે. આ વ્યવસ્થામાં રાજકોટ સરદાનગર સંઘ તથા જૈનમ ગ્રુપ દ્વારા શ્રમદાન પરમદાન આપી રહેલ છે. આ ઉપરાંત અર્હમ ગ્રુપ દ્વારા જરૂરિયાત લોકોને ઓક્સિજન બોટલ નિ:શુલ્ક આપવામાં આવે છે. આ સિવાય જામનગર, રાજકોટ અને મુંબઈમાં પૂજ્ય ગુરુદેવનાં ભક્તો દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓ અને તેના પરિવારને ફ્રૂટ, નારિયેળ પાણી અને મિનરલ વોટર વગેરેની નિ:શુલક સેવા આપી માનવતાના કાર્ય કરવામાં આવે છે. રાજકોટમાં જ કાનુડા મિત્ર મંડળના આર્થિક સહયોગથી કરણપરા વિસ્તારમાં આવેલ મેટ્રો હોટલ ખાતે જૈન વિઝન અને કાનુડા મિત્ર મંડળ દ્વારા નિ:શુલ્ક ક્વોરન્ટાઈન સેન્ટરની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. જૈન વિઝનનાં સહયોગથી બે એમ્બ્યુલન્સ સેવા રાજકોટની જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે. 5000 જેટલા જરૂરિયાતમંદ પરિવારનાં બેન્ક એકાઉન્ટમાં 5 હજાર રૂપિયાની પણ સહાય કરી છે.

સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ગામડાઓમાં કોરોના અટકાવવા કોરોના સેવારથ શરૂ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનની શાખા ગુરુકુલ તરવડા, અમરેલી ખાતે કોરોના સારવાર સેવારથ શરૂ કરાયો. રાજકોટ ગુરુકુળનાં મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી રાજકોટ ખાતે વિનામૂલ્યે સારવાર તથા ભોજન પ્રસાદ સાથે કોરોના સારવાર કેન્દ્ર ચાલી રહ્યું છે. જેમાં ફ્રી ઓફ ચાર્જમાં સારી એલોપથી દવાઓ, આયુર્વેદિક ઔષધી તથા મિથીલીન બ્લુ વગેરે સામગ્રીઓ આપી ઘરબેઠા દર્દીઓને આરોગ્ય સારવાર મળી રહી છે.

પોરબંદર સાંદીપનિ ગુરૂકુળ દ્વારા કોરોનાની સારવાર માટે 1 કરોડનું અનુદાન

પોરબંદરની સાંદિપની સંસ્થાનાં સ્થાપક અને જાણીતા ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ કરેલ 1 કરોડની સહાયથી શહેરની સરકારી કોવિડ હોસ્પિટલમાં કાયમી ધોરણે અંદાજીત 50 લાખનાં ખર્ચે 20 હજાર લિટરની ક્ષમતાવાળી ઓક્સિજન ટેન્ક બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત તેમણે વિદેશથી 20 જેટલી ઓક્સિજન કોન્સન્ટ્રેટર, એક હજાર હ્યુમીડી ફાયર વીથ ફલો-મીટર મંગાવ્યા છે. ભાવસિંહજી હોસ્પિટલ ખાતે 20 હજાર લિટરની ઓક્સિજન ટેન્ક બનાવ્યા બાદ હોસ્પિટલનાં ઉપરના ભાગે આવેલી ત્રણેય વિંગમાં 225 બેડ પર સીધો ઓક્સિજન પહોંચી શકશે. રમેશભાઈ ઓઝા દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 20 કિલો રાશનકીટનું વિતરણ કરાશે.

અબુધાબીનું BAPS મંદિર ભારતને 440 Mt ઓક્સિજન સહિતની સામગ્રીમાં સહાયરૂપ બનશે

અબુધાબીમાં આવેલા સૌપ્રથમ હિન્દુ મંદિર બોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) દ્વારા ભારતને ચાલુ સપ્તાહથી દર મહિને 440 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન ઉપલબ્ધ બનાવવા કામગીરી શરૂ કરાઈ છે. રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો ચાલુ સપ્તાહે ભારતમાં રવાના કરાશે. જેમાં 44 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન, 30000 લિટર મેડિકલ ઓક્સિજન, તથા 130 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનો સમાવેશ થાય છે.

રાજકોટનાં રામકૃષ્ણ આશ્રમ દ્વારા વિનામૂલ્યે ઓક્સિજન કોન્સન્ટ્રેટર, રાશન કીટ અને ફળ વિતરણ

રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા કોરોનાનાં દર્દીઓ, પરિવારજનો તથા વોરિયર્સ માટેના રાહત કાર્યોનો પુન: પ્રારંભ કરવામાં આવ્યો છે. અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીનાં માર્ગદર્શનમાં આશ્રમ દ્વારા દર્દીઓ માટે ઓક્સિજન ક્ધસન્ટ્રેટર્સ, ઓક્સિજન સિલિન્ડર અને શરીરમાં ઓક્સિજનું પ્રમાણ માપવા માટે ઓક્સિમીટર વગેરેનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

You Might Also Like

ઉન્નત હિમશિખરો નીચે ઘૂઘવતા ગરમ પાણીના ગુપ્ત મહાસાગરો ગ્લોબલ વોર્મિગનું સાચું કારણ

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી 2026: મહાયુતિની પ્રચંડ જીત પાછળના મુખ્ય કારણો અને રાજકીય પરિણામો

વાત હનુમાનજી અને જટાયુજીની

નીંદ ચૂરાઈ તેરી કીસને ઓ સનમ..

એક ઔષધ એક સુગંધ, તાંત્રિક દ્રવ્ય ઔદ્યોગિક પ્રોડક્ટ!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચંદ્રકેતુ, સુબાહુ, શત્રુઘાતી અને શાંતા કોણ હતા? રામાયણની રામાયણ
Next Article સુરતની અન્વી ઝાંઝરૂકિયાની “પ્રઘાનમંત્રી-રાષ્ટ્રીય -બાલ પુરસ્કાર-૨૦૨૨” માટે પસંદગી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

2014માં મેળા પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સંતો-મહંતોનું સ્વચ્છતા નિધિમાં રૂ. 24,61,555નું યોગદાન

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
2019ના મીની કુંભ મેળાના ઑડિટમાં બેફામ ખર્ચ અને ભ્રષ્ટાચાર: વિપક્ષ નેતા
મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા ફાયર સેફ્ટી અને ટ્રેનિંગ અભિયાન તેજ
માધાપરવાડી ક્ધયા શાળાની બાળાઓએ રસ્તા પરથી 64 કિલો દોરાં એકત્ર કરી અનોખું સેવાકાર્ય કર્યું
પોરબંદર : રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી પાસે બાયો ડીઝલના પંપ પર SMCના દરોડા
50 વર્ષ જૂની દલીલમાં ફસાયું ડેનમાર્ક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

ઉન્નત હિમશિખરો નીચે ઘૂઘવતા ગરમ પાણીના ગુપ્ત મહાસાગરો ગ્લોબલ વોર્મિગનું સાચું કારણ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Hemadri Acharya Dave

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી 2026: મહાયુતિની પ્રચંડ જીત પાછળના મુખ્ય કારણો અને રાજકીય પરિણામો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

વાત હનુમાનજી અને જટાયુજીની

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?