વરસાદી માહોલ વચ્ચે કૃષ્ણ જન્મોત્સવને વધાવવા અનેરો ઉત્સાહ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
- Advertisement -
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં વરસાદી માહોલ છવાયો છે એવા સમયે સોરઠવાસીઓમાં કૃષ્ણ જન્મોત્સવને વધાવવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. સમગ્ર સોરઠ પંથકમાં જન્માષ્ટમી તહેવાર નિમિતે કૃષ્ણ ભગવાનની ઝાંખી સાથે શોભાયાત્રાનું આયોજન તેમજ મટકી ફોડ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. કૃષ્ણ જન્મોત્સવને વધાવવા ધર્મપ્રેમી જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સોમવારે જૂનાગઢ શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે.
જેમાં વિવિધ મંડળો દ્વારા કૃષ્ણ ભગવાનની ઝાંખી કરાવતા ફલોટ્સ સાથે શહેરના રાજમાર્ગો પર શોભાયાત્રા નિકળશે. જેમાં હજારોની સંખ્યામાં ભાવિકો જોડાશે. બીજી તરફ જન્માષ્ટમી તહેવાર નિમિતે મિનિવેકેશન જોવા મળી રહ્યુ છે. ત્યારે સોરઠમાં આવેલ ધર્મસ્થાનો અને પર્યટન સ્થળ પર પ્રવાસીઓની ભીડ જોવા મળશે. જયારે જન્માષ્ટમી તહેવાર નિમિતે દૂર દૂરથી પ્રવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં જૂનાગઢ સહિત ઉમટી પડશે. જેને ઘ્યાને લઇ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવશે.