1151 દિવસ સતત વિશ્ર્વના નંબર વન ઓલરાઉન્ડર બનવાનો રેકોર્ડ બનાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
રવીન્દ્ર જાડેજાએ ગત વર્ષ 2024 પોતાની ઓલરાઉન્ડર પ્રતિભાનો પરિચય આપતા 29.27ની સરેરાશથી 527 રન બનાવ્યાં અને 24.29ની સરેરાશથી 48 વિકેટ ઝડપી હતી.
ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સામે ભારતની જીતમાં તેણે મહત્વની ભૂમિકા નિભાવી હતી. ટેસ્ટ રેન્કિંગમાં જાડેજાનો આજે 1151મો દિવસ છે.
- Advertisement -
તે ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી રહેનાર નંબર વન ટેસ્ટ ઓલરાઉન્ડર બની ગયો છે. તેના 400 રેટિંગ પોઇન્ટ તેને બાંગ્લાદેશના મેહદી હસન મિરાજથી આગળ રાખે છે. જે 327 પોઇન્ટથી તેની નજીક છે. 36 વર્ષની ઉંમરે પણ જાડેજાનો દબદબો યથાવત છે. જેનાથી સાબિત થાય છે કે, કૌશલ્ય, ફિટનેસ અને અનુકૂલનશીલતા ટોપ પ્રદર્શનને જાળવી રાખવાની ચાવી છે.
વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ જાડેજા લાંબા ફોર્મેટમાં ભારતના સૌથી વરિષ્ઠ ખેલાડીઓમાંથી એક બની ગયો છે. જૂન 2025માં ઇંગ્લેન્ડ સામે આગામી 5 ટેસ્ટ મેચની સિરીઝમાં તેનું નેતૃત્વ અને અનુભવ ટીમ માટે મહત્વનો બની રહેશે.
રવીન્દ્ર જાડેજાએ 80 ટેસ્ટ મેચોમાં 3370 રન બનાવ્યાં છે. તેની બેટિંગ સરેરાશ 34.74 રહી છે. જાડેજાએ પોતાની લોફ્ટ આર્મ સ્પિન બોલિંગથી 323 વિકેટ લીધી છે. બોલિંગમાં જાડેજાની સરેરાશ 24.14 રહી છે. આર. અશ્વિનના સન્યાસ બાદ જાડેજા આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ પર ભારત માટે હુકુમનો એક્કો છે. જાડેજાની પ્રતિસ્પર્ધા વોશિંગ્ટન સુંદર સાથે હશે.