ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરના વી-આર્કેડ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, બીજો માળ એમ.જી.રોડ, વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય ગઈકાલ અચાનક આગ લાગી હતી ફાયર વિભાગને જાણ થતા તુરંત ઘટના સ્થળે પોહચી આગને કાબુમાં લીધી હતી. કાર્યાલયમાં પડેલું સાહિત્ય અને ચીજ વસ્તુ બળીને ખાખ થઇ હતી. આગ લાગવાના બનાવ સંદર્ભે વિશ્વ હિન્દુ પરિષદને શંકા જતા બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી હતી. જેમાં કોઈએ ટાર્ગેટ કરીને આ આગ લગાડી છે કેમકે શટર ખુલ્લું હતુંને તાળું પણ મળ્યું નહી તેમજ અંદરનો કબાટ પણ ખુલ્લો હતો. કાર્યાલયમાં બે અલગ અલગ જગ્યાએ આગ લાગી છે જે આશ્ચર્ય કહેવાય. બી ડિવિઝન પોલીસ આ બાબતે જીણવટ ભરી તપાસ કરે તેવી માંગ કરવામાં આવી હતી જેમને તાળું ખોલ્યું અથવા તોડયું એ બાબતની પોલીસને રજુઆત કરી અને શંકા સ્પદ વ્યક્તિને વહેલી તકે શોધી કાઢે અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિત ફરિયાદ મહાનગરના સહ મંત્રી જયશે ખેસવાણી કરી છે.
જૂનાગઢ VHP કાર્યાલયમાં આગના બનાવ સંદર્ભે પોલીસમાં રાવ
