દેશને મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો સૌથી મોટો પડકાર
ખાસ-ખબર સંવાદદાતા
ભારતના પાડોશી દેશ શ્રીલંકા આઝાદી પછી ભયંકર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે ત્યાં બીજી બાજુ રાજકીય કટોકોટીનો સામનો કરી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે આજે શ્રીલંકાને નવા વડાપ્રધાન મળી ગયા છે. યુનાઇટેડ નેશનલ પાર્ટીના નેતા રાનિલ વિક્રમસિંઘે આજે શ્રીલંકાના નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા. રાનિલ વિક્રમસિંગઘે 1994થી યુનાઈટેડ નેશનલ પાર્ટીના પ્રમુખ રહ્યા છે. અત્યાર સુધીમાં 4 વાર શ્રીલંકાની વડાપ્રધાન રહી ચૂક્યા છે. 73 વર્ષીય વિક્રમસિંઘે ધારાશાસ્ત્રીનો અભ્યાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, 70ના દશકમાં રાનિલે રાજનીતિમાં પગ મૂક્યો હતો. અને પ્રથમવાર 1977માં સાંસદ ચૂંટાય આવ્યા હતા. 1993માં પ્રથમવાર પ્રધાનમંત્રી બન્યા તે અગાઉ ઉપ વિદેશમંત્રી, યુવા અને રોજગાર મંત્રી સહિત કેટલાય મંત્રાલય સંભાળી ચૂક્યા છે. એટલું જ નહીં સંસદમાં બે વાર વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે.
શ્રીલંકાના ચાર વખત વડાપ્રધાન રહી ચૂકેલા વિક્રમસિંઘેને ઓક્ટોબર 2018માં તત્કાલિન રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ વડાપ્રધાન પદ પરથી હટાવી દીધા હતા. જો કે બે મહિના પછી સિરીસેનાએ તેમને ફરીથી વડાપ્રધાન બનાવ્યા. સત્તાધારી શ્રીલંકા પોદુજાના પેરામુના, વિરોધ પક્ષ સામગી જના બાલવેગયા અને અન્ય કેટલાક પક્ષોએ સંસદમાં તેમની બહુમતી સાબિત કરવા માટે વિક્રમસિંઘેને સમર્થન
દર્શાવ્યું છે.