UNOમાં કથા કરનારા પ્રથમ સંત
AIથી મોરારિબાપુના જ અવાજમાં અંગ્રેજીમાં કથાનું ટ્રાન્સલેશન થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.24
ઞગઘ એટલે યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશનના અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત હેડ્કવાટર્સમાં મોરારિબાપુની કથાનું આયોજન થવું એ ન માત્ર ભારત પણ અધ્યાત્મિક જગત માટે વિશેષ આનંદની વાત છે. યુએનઓ તે આંતરરાષ્ટ્રીય દેશોનું સંગઠન છે જેમાં 193 દેશો સદસ્ય છે. ભારતના કોઈ કથાકાર જ નહીં પણ કોઈપણ અધ્યાત્મિક વિભૂતિને આ પ્રકારનો અવસર મળ્યો નથી કે યુએનઓ હેડક્વાર્ટરમાં સત્સંગ કરી શકે. મોરારિબાપુની આ 940મી રામકથા છે. રામકથાકાર મોરારિબાપુની 9 દિવસની રામકથાનું આયોજન 27 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી અમેરિકા સ્થિત યુએનઓ હેડક્વાર્ટરમાં કરવામાં આવ્યું છે.
મોરારિબાપુ આ માટે ન્યૂયોર્ક પહોંચી ગયા છે. આ કથાનું આયોજન એ દર્શાવે છે કે પશ્ર્ચિમી દેશોમાં ભારતીય પરંપરા, સનાતન ધર્મ અને ભારતીય દર્શન પ્રત્યે દુનિયાના દેશોની દ્રષ્ટિ ઉદારતાભરી છે. આ કથાની મંજૂરી મળવી એ જ દર્શાવે છે કે, દુનિયાના દેશો એમ માની રહ્યા છે કે, રામ ચરિત માનસ ગ્રંથમાં જે લખવામાં આવ્યું છે તેનાથી સમાજને, દુનિયાને નવો શાંતિનો પથ મળશે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આ કથા એ દોરમાં થવા જઈ રહી છે જ્યારે એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે તો બીજી તરફ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે. આ લડાઈમાં હજારો લોકો માર્યા ગયા છે. એટલું જ નહીં, બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ જેવા દેશ આંતરિક હિંસાનો શિકાર બની રહ્યા છે. એવામાં સત્ય, પ્રેમ અને કરુણાની વાત કરનારા કથાકાર મોરારિબાપુની રામકથા યુએનઓ હેડક્વાર્ટરમાં થવા જઈ રહી છે જે દુનિયાને રામ ચરિત માનસમાંથી શાંતિનો સંદેશો પાઠવશે.
- Advertisement -
ભારતમાં કથાનું લાઈવ પ્રસારણ ક્યારે અને ક્યાં જોઈ શકાશે?
મોરારિબાપુની કથા ન્યૂયોર્કના યુનાઈટેડ નેશન્સના હેડક્વાર્ટરમાં થવા જઈ રહી છે. ભારત અને અમેરિકાના સમય અલગ અલગ છે એટલે ભારતમાં ક્યારે અને કઈ યુટ્યુબ ચેનલમાં કથા જોવા, સાંભળવા મળશે તે નોંધી રાખો. યુટ્યુબ ચેનલનું નામ છે- VEDIC Channel Chitrakoot Dham Talgajarda. તેમજ માનો કે તમારે આસ્થા ટીવી ચેનલમાં લાઈવ પ્રસારણ જોવું હોય તો 28 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી ભારતીય સમય મુજબ સવારે 9:30 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી જોઈ શકાશે.