સફાઈ મહાઝુંબેશમાં 165 ટન કચરાનો નિકાલ કરાયો: 147 ઘરમાં ફોગિંગની કામગીરી કરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
રજી ઓકટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે શ્રદ્વાજંલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જનઆંદોલનની ઉજવણીના કરવામાં આવે તે તેમજ આ દિવસને સ્વચ્છ ભારત દિવસ (જજઉ)તરીકે ઉજવવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત શહેરના વોર્ડ નં. 1થી 18માં વન-ડે, વન-વોર્ડ મુજબ સફાઇ મહાઝુંબેશ તા. 27-12-2023 થી તા. 1-4-2024 સુધી હાથ ધરવામાં આવનાર છે. જે અંતર્ગત તા. 3-1-2024ના રોજ વોર્ડ નં. 6માં નિર્મળ ગુજરાત-2.0 અંતર્ગત સફાઈ મહાઝુંબેશ યોજવામાં આવેલ. આ સફાઈ મહાઝુંબેશમાં 165 ટન ઘન કચરાનો નિકાલ કરવામાં આવેલ. આવતીકાલે તા. 4ના રોજ વોર્ડ નં.8માં નિર્મળ ગુજરાત-2.0 અંતર્ગત સફાઈ મહાઝુંબેશ હાથ ધરવામાં આવશે.
વોર્ડ નં. 6માં સીતારામ મેઈન રોડ, દૂધની ડેરીની પાછળની દિવાલ, નેશનલ હાઈ-વે, સર્વિસ રોડ, સાગરનગર, પદ્યુમન પાર્ક રોડ, ટ્રાન્સપોર્ટનગર, મહીકા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર અને દૂધસાગર રોડ વિગેરે વિસ્તારમાંથી 165 ટન જેટલા ઘન કચરાના જથ્થાનો નિકાલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ગોકુલનગર પાસે અને સંતકબીર રોડ પાસે વોકળા સફાઈની કામગીરી પણ કરવામાં આવેલ. કુલ-357 સફાઈ કર્મચારીઓ, 05 ઉંઈઇ, 05 ડમ્પર, 07 ટ્રેક્ટર અને 17 ટીપર દ્વારા કામગીરી કરવામાં આવેલ.
આ વોર્ડના વિવિધ વિસ્તારના 17 ખાડામાં પમ્પ દ્વારા છંટકાવની કામગીરી કરવામાં આવેલ. આ જ વોર્ડમાં 147 ઘરોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવેલ. 220 ઘરમાં મચ્છરના પોરા નાશ કરવાની કામગીરી કરવામાં આવેલ. 78 સ્થળોએ ગપ્પી માછલીનું વિતરણ કરવામાં આવેલ. આ જ વોર્ડના સીતારામ સોસાયટી, શ્યામનગર, સંજયનગર, શ્રી રણછોડનગર, રાજારામ સોસાયટી, આકાશદીપ સોસાયટી અને આજી ડેમ ચોકડીના વિસ્તારમાં જન જાગૃતિ માટે પત્રિકા વિતરણની કામગીરી આપવામાં આવી. બાંધકામ શાખા દ્વારા આ વોર્ડના સરદાર પટેલ કોલોની, સદગુરુ રણછોડનગર, વલ્લભનગર ખાતેના વિસ્તારમાં 11 નંગ સ્ક્રીન ચેમ્બરની સફાઇની કામગીરી કરવામાં આવેલ.ગાર્ડન શાખા દ્વારા આ વોર્ડના વિવિધ વિસ્તારમાંથી 07 ટ્રેક્ટર મારફત ઝાડ પાન તથા ડાળીઓના કચરાનો નિકાલ કરવામાં આવેલ તેમજ આ જ વોર્ડમાં ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર અને વોર્ડ ઓફિસ પાસેના પ્લોટ સહીત અન્ય 08 ખુલ્લા પ્લોટમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ.