જીવલેણ વાયરસના નિદાન અને સંશોધનની ક્ષમતામાં નોંધપાત્ર વધારો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા. 19
મિશન PM-ABHIM RAJKOT હેઠળ BSL-3 લેબોરેટરીની સ્થાપના માટે એઈમ્સ હોસ્પિટલ રાજકોટ અને HLL Lifecare India વચ્ચે MOU પર હસ્તાક્ષર થયા 18 જુલાઈ 2024- ગુજરાત રાજ્ય અને સૌરાષ્ટ્રના પ્રદેશ માટે એક સીમાચિહ્નરૂપ વિકાસમાં વધુ એક મેમોરેન્ડમ બાયોસેફટી લેવલ-3 (BSL-3) લેબોરેટરીના નિર્માણ માટે એઈમ્સ રાજકોટ અને PSU કંપની HLL Lifecare Ltd. વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર હેઠળ અંદાજે 14 કરોડની અંદાજપત્રીય ફાળવણી સાથે આ સુવિધા 18 મહિનાની અંદર સ્થાપિત કરવામાં આવશે.
- Advertisement -
એમ.ઓ.યુ. રાજકોટ એઈમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેકટર પ્રો. ડો. કર્નલ સી.ડી.એસ. કટોચ વતી ડેપ્યુટી ડિરેકટર એડમિન કર્નલ પુનીતકુમાર અરોરા અને વિભાગના વડા ડો. કર્નલ અશ્ર્વિની અગ્રવાલે હસ્તાક્ષર કર્યા હતા. માઈક્રોબાયોલોજીના અને વાયરસ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી (VRDL)અને BSL-3 લેબોરેટરીના પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર(PI) HLL Lifecare Ltd.નું પ્રતિનિધિત્વિ કરતા શ્રી સબરીનાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
આ મહત્ત્વપૂર્ણ ઘટના એઈમ્સ રાજકોટ અને સમગ્ર ગુજરાત રાજ્ય માટે નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે. કારણ કે તે આ ગુજરાત પ્રથમ BSL-3 પ્રયોગશાળા હશે. આ અત્યાધુનિક સુવિધાની સ્થાપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ છે. વચગાળામાં એઈમ્સ રાજકોટ ખાતે વાયરસ સંશોધન અને નિદાન પ્રયોગશાળા (VRDL) ખૂબ જ ટૂંક સમયમાં કાર્યરત થવાની તૈયારીમાં છે. જે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, જાપાનીઝ એન્સેફાલીટીસ, ઓરી, હેપેટાઈટીસ, ઈન્ફલ્યુએન્ઝા, સીઓવીઆઈડી સહિતના વાયરસની વિશાળ શ્રેણી માટે અદ્યતન ડાયગ્નોસ્ટિક ક્ષમતાઓ પ્રદાન કરે છે. કોવિડ-19 વગેરે આ અત્યાધુનિક સુવિધા વાઈરલ ઈન્ફેકશનની વહેલાસર તપાસ અને વ્યવસ્થાપનમાં મહત્ત્વપૂર્ણ સહાય પૂરી પાડશે. જાહેર આરોગ્ય પરિણામોમાં નોંધપાત્ર સુધારો કરશે. વધુમાં નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી (NIV)એ માટે પરવાનગી આપી છે.