By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકા ભૂતકાળમાં પણ બર્ફીલા ટાપુ ગ્રીનલૅન્ડને ખરીદવાનો પ્રયાસ કરી ચૂક્યું છે, 10 કરોડ ડૉલરની કરી હતી ઑફર
    10 hours ago
    ચિલીના જંગલોમાં પ્રચંડ આગમાં 18 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
    11 hours ago
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    2 days ago
    1971માં પાકિસ્તાનની પડખે ઊભું હતું ઈરાન! રાજાના પુત્રની સત્તામાં વાપસીથી ભારતનું વધશે ટેન્શન?
    4 days ago
    ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાન પર સાયબર એટેક
    9 hours ago
    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નિશ્ર્ચિત
    9 hours ago
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    2 days ago
    ભારતીય રેલ્વે દ્વારા ઐતિહાસિક અપગ્રેડની યોજના, જાણો વધુ
    2 days ago
    ઈરાનથી ભારતીયોનું ‘ઓપરેશન એરલિફ્ટ’ આજથી વિદ્યાર્થીઓની ઘરવાપસી શરૂ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    જો બાંગ્લાદેશનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન 2026 માં T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની સમીક્ષા કરશે
    10 hours ago
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    3 days ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    4 days ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    1 week ago
    ભારત સાથેના વિવાદ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટાનનું છલકાયું દર્દ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    4 days ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ નાગરિક બૅન્કે પાટણના અરજદારોના આક્ષેપો નકારી કાઢયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ નાગરિક બૅન્કે પાટણના અરજદારોના આક્ષેપો નકારી કાઢયા
રાજકોટ

રાજકોટ નાગરિક બૅન્કે પાટણના અરજદારોના આક્ષેપો નકારી કાઢયા

Khaskhabar Editor
Last updated: 2024/01/11 at 3:57 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

હાલમાં વિવિધ માધ્યમમાં વાઈરલ રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. અંગેના સત્યથી વેગળા સમાચાર અંગે સ્પષ્ટતા

ખાસ-ખબર સંવાદદાતા
હાલમાં વિવિધ માધ્યમો અને ખાસ કરીને સોશ્યલ મીડિયામાં રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. અંગેના સત્યથી વેગળા સમાચાર વાઈરલ થયા છે તે ધ્યાને આવતાં રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.એ આ અંગે સ્પષ્ટતા કરી છે.
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા ઇ.સ. 2014-15માં પાટણના ખાતેદાર મુકેશભાઈ ખેમચંદભાઈ પટેલ અને જ્યોત્સનાબેન મુકેશભાઈ પટેલના સંયુક્ત નામે મંજૂર કરાયેલા રૂા. 18.45 કરોડના ધિરાણમાં નિયમિત હપ્તા ન ભરાતા જુન 2019માં બંને ખાતાઓ આર.બી.આઈ.ના નિયમાનુસાર આ બંને ધિરાણો એન.પી.એ. જાહેર થયા હતા. ત્યારબાદ બેંક દ્વારા ધી સરફેસી એક્ટ 2002ની જોગવાઈ અનુસાર રિકવરીની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહી માટે પાટણ જિલ્લા કલેકટર દ્વારા જાન્યુઆરી 2021માં ધિરાણની સિક્યુરિટી પેટે રહેલી તમામ મિલકતોનો કબજો મેળવી બેંકને સોંપી આપવા માટે મામલતદાર (પાટણ શહેર)ને અધિકૃત કરતો ઓર્ડર કરી આપવામાં આવી હતી. જેના અનુસંધાને મામલતદાર પાટણ શહેર દ્વારા તા. 5 એપ્રિલ અને તા. 6 એપ્રિલ 2022ના રોજ તમામ ચાર મિલકતનો કબજો લઈ બેંકને સોંપી આપવામાં આવી હતી. દરમિયાન ખાતેદારો દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી, જે અપીલમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેઓની કડક શબ્દોમાં આલોચના કરી તેમને કોઈ રાહત આપી ન હતી. ખાતેદારો દ્વારા આ અપીલ પરત ખેંચી લેવામાં આવી હતી.
વધુમાં ત્યારબાદ બેંક દ્વારા કાયદા મુજબ કબ્જે લીધેલ તમામ મિલકતોની કબજા નોટીસ તા. 9-4-2022ના રોજ ત્યારબાદ વેલ્યુએશન મુજબ આવેલ સંદર્ભિત મિલકતની પ્રથમ વેચાણ જાહેરાત રૂા. 4,13,87,000 માટે, તા. 31-8-2022ના રોજ, દ્વિતીય વેચાણ જાહેરાત રિઝર્વ કિંમતમાંથી 10 ટકા રકમ ઘટાડી રૂા. 3,72,48,300 માટે તા. 25-11-2022ના રોજ અગ્રણી અંગ્રેજી તથા ગુજરાતી અખબારોમાં પ્રસિદ્ધ કરાયેલી અને તેની નકલો પણ ખાતેદારો તેમજ તેમના જામીનોને મોકલી આપવામાં આવી હતી. દ્વીતીય જાહેરાતના અનુસંધાને બેંકને મળેલી ઓફર પૈકી સંદર્ભિત મિલકત માટે વિનોદભાઈ એસ. પટેલ (જે બેંકની જાણ અનુસાર ખાતેદાર મુકેશભાઈ પટેલ દ્વારા જ રજૂ કરાયેલ) દ્વારા ઓફર કરેલ રકમ રૂા. 5,13,00,000થી વધી રૂા. 8,00,00,000 કરી આપવામાં આવ્યા જે પ્રથમ દ્રષ્ટિએ શંકાસ્પદ જણાયેલ, પરંતુ બેંકનો હેતુ રિકવરીનો હોય તેમનું ટેન્ડર માન્ય રાખવામાં આવ્યું હતું પરંતુ તેઓ દ્વારા નિયત સમય મર્યાદામાં બાકીની રકમ ભરપાઈ કરવામાં આવેલી ન હોઈ તેઓ દ્વારા ટેન્ડર સાથે જમા કરાવેલી 10 ટકા મુજબની રકમ રૂા. 37,24,900 જપ્ત કરી ખાતેદારના ખાતામાં જમા આપી મિલકતની ઓકશન રદ કરવામાં આવ્યું છે.
ત્યારબાદ વેચાણના વધુ એક પ્રયત્ન માટે નિયમાનુસાર રિઝર્વ કિંમતમાંથી 10 ટકા રકમ ઘટાડી રૂા. 3,35,23,470માં વેચવા માટે ફરીથી વેચાણ જાહેરાત તા. 4-2-2023ના રોજ અગ્રણી અખબારોમાં પ્રસિદ્ધ કરી હતી. નકલો પણ ખાતેદારો તેમજ તેમના જામીનોને મોકલી આપવામાં આવી હતી. ઉપરોક્ત વેચાણ જાહેરાતના અનુસંધાને બેંકને સંદર્ભિત મિલકત પેટે એકમાત્ર ટેન્ડર રૂા. 3,36,00,000નું મળેલું, જે નિયમાનુસાર રિઝર્વ કિંમત કરતાં વધુ રકમનું હોય બેંક દ્વારા માન્ય રાખી નિયમાનુસારની બાકીની રકમ નિયત સમય મર્યાદામાં ભરપાઈ થયેથી ટેન્ડરની ફેવરમાં બેંક દ્વારા તા. 21-3-2023ના રોજ વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવ્યો હતો. આમ બેંક દ્વારા મિલકતના કબજા તથા વેચાણની લગતી તમામ કાર્યવાહી ધી સરફેસી એક્ટ 2002ની જોગવાઈઓના ચુસ્તપણે પાલન કર્યા બાદ જ તથા દરેક તબક્કે છથી સાત અધિકારીઓની ચકાસણી બાદ પારદર્શક રીતે જ કરવામાં આવેલી હોય કોઈપણ જાતની ક્ષતિ હોવાની શક્યતા રહેતી નથી. વધુ એક વિગત, સીઆઈડી (ગાંધીનગર) સમક્ષ ડિસેમ્બર 2023માં ખાતેદાર દ્વારા અરજી કરવામાં આવતાં, બેંક દ્વારા ઉપરોક્ત હકીકતો મુજબ સીઆઈડીને પણ દસ્તાવેજી આધારા-પુરાવાઓ સાથે જવાબ પાઠવેલ છે.
દરમિયાન નવેમ્બર 2023માં (એટલે કે સંદર્ભિત મિલકત વેચાણ થઈ ગયાના 8 માસ બાદ) ખાતેદાર મુકેશભાઈ ખેમચંદભાઈ પટેલ તથા પાટણના એક અખબારના તંત્રી બેંકે રૂબરૂ મળવા આવ્યા અને તેઓએ મામુલી રકમ એટલે કુલ બાકી રકમ અંદાજિત રૂા. 20 કરોડની સામે ફકત રૂા. બે કરોડ જમા કરાવી બેંક દ્વારા હજુ પણ ન વેચેલ પાટણ સ્થિત કોલેજની મિલકતો કે જેનો કબ્જો જિલ્લા કલેકટર પાટણના ઓર્ડરના અન્વયે બેંકને મળેલો હોય તેના લોક ખોલી કબજો પરત સોંપવા માટે માગણી કરી હતી. આ માગણી નિયમાનુસાર બેંક માટે શક્ય ન હોવાથી અસ્વીકાર કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અરજદાર દ્વારા નામદાર ડી.આર.ટી.માં ફાઈલ કરાયેલ એસ.એ.-377-2022માં પણ તા. 1-11-2023ના રોજ ખાતેદારો દ્વારા અંદાજિત રૂા. બે કરોડ ભરી પાટણની કોલેજવાળી મિલકતના તાળા ખોલી આપવાની અરજી પણ નકારી કાઢવામાં આવી હતી. વધુમાં બેંક દ્વારા લેણી રકમની વસુલાત માટે અરજદારો પર ચેક રિટર્નના એકથી વધુ કેસ કરવામાં આવેલા છે જે પૈકી અમુક કેસોમાં નામદાર હળવદ કોર્ટ દ્વારા અરજદારોને રકમ ભરપાઈ કરવાના હુકમ ઉપરાંત સજા પણ ફટકારવામાં આવી છે.
અરજદારોની વખતોવખતની વિવિધ માગણીઓ વિવિધ અદાલતો દ્વારા સમયાંતર નકારી કાઢવામાં આવી છે. પાટણના અખબાર દ્વારા અધુરી અને એકતરફી માહિતી સાથે વિગતો પ્રસિદ્ધ કરવામાં આવી છે તેના જવાબદારો સામે બેંક દ્વારા નિયમાનુસાર કાનુની કાર્યવાહી કરવામાં આવનાર છે તેવું અંતમાં જણાવ્યું હતું.

- Advertisement -

You Might Also Like

આબુમાં હેલ્થ સાયન્સ લાઈબ્રેરી એસો.ની રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે

ધારાસભ્ય ઉદય કાનગડના ત્રણ વર્ષ પૂર્ણ: ‘જનસેવાનું સરવૈયું’ પુસ્તકનું વિમોચન

રાજકોટમાં એશિયાનો સૌથી મોટો સ્વદેશી ગાયનો ‘કેટલ શૉ’ યોજાશે

રેસકોર્સ ફનસ્ટ્રીટ : 2 હજાર બાળકોએ વિસરાયેલી 30 રમતનો આનંદ માણ્યો

સિવિલ પરિસરમાં બિનજરૂરી પડ્યા પાથર્યા રહેતાં શખ્સોને બહાર કઢાયા

TAGGED: Patan, petitioners, RajkotNagrikBank
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કાર ઉપર બેસી રીલ્સ બનાવનાર ચાર કોલેજિયન છાત્રો સહિત પાંચની ધરપકડ
Next Article માતૃમંદિર કોલેજનાં છાત્રોએ એલચી, લવિંગ, અક્ષતમાંથી 350 ફૂટનો હાર બનાવ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

માળિયા (મિં): વીજ લાઈન મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ: રાસંગપર પાસે હાઈવે પર ચક્કાજામ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
મોરબી: ક્રાઈમ બ્રાંચે રૂપિયા 6.55 લાખના મુદ્દામાલ સાથે બે ડ્રગ્સ પેડલરોને ઝડપ્યા
ઉન્નત હિમશિખરો નીચે ઘૂઘવતા ગરમ પાણીના ગુપ્ત મહાસાગરો ગ્લોબલ વોર્મિગનું સાચું કારણ
પંચનાથ હોસ્પિટલના સેવાના 5 વર્ષ: અબોલ સેવા અને સચોટ સારવારનો પર્યાય
આબુમાં હેલ્થ સાયન્સ લાઈબ્રેરી એસો.ની રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે
ધારાસભ્ય ઉદય કાનગડના ત્રણ વર્ષ પૂર્ણ: ‘જનસેવાનું સરવૈયું’ પુસ્તકનું વિમોચન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આબુમાં હેલ્થ સાયન્સ લાઈબ્રેરી એસો.ની રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

ધારાસભ્ય ઉદય કાનગડના ત્રણ વર્ષ પૂર્ણ: ‘જનસેવાનું સરવૈયું’ પુસ્તકનું વિમોચન

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

રાજકોટમાં એશિયાનો સૌથી મોટો સ્વદેશી ગાયનો ‘કેટલ શૉ’ યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?