By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર ટ્રમ્પના કડક પગલાં સામે શિકાગોમાં વિરોધ પ્રદર્શન, 1000થી વધુની ધરપકડ
    5 hours ago
    પાકિસ્તાનનાં રક્ષામંત્રીએ કહ્યું, યુદ્ધ થયું તો ભારત પોતાના જ તૂટી ગયેલા વિમાનોની નીચે દટાઈ જશે
    6 hours ago
    લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યોએ કેનેડામાં હરીફના ઘરે અંધાધૂંધ ગોળીબાર
    7 hours ago
    ઈરાનમાં હવે 10,000 રિયાલની વેલ્યૂ 1 થઈ ? જાણો શા માટે
    8 hours ago
    હમાસ ગાઝા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇલેક્ટ્રિક વાહનો હવે ચુપચાપ પસાર નહીં થાય, અવાજ જરૂરી
    5 hours ago
    દાર્જિલિંગમાં ભૂસ્ખલન: 23નાં મોત
    5 hours ago
    કટકમાં દુર્ગા વિસર્જન દરમિયાન હિંસા, વાહનો સળગાવાયા-દુકાનોમાં તોડફોડ
    5 hours ago
    બિહારમાં ચૂંટણી બ્યૂગલ
    5 hours ago
    ICUમાં મોતનું તાંડવ, 8નાં મોત
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
    2 days ago
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    1 week ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    1 week ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    1 week ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેતા રજનીકાંત આધ્યાત્મિક યાત્રા પર નીકળ્યા, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો
    6 hours ago
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    4 days ago
    શિલ્પા અને રાજને થાઈલેન્ડ ત્રણ દિવસના વેકેશન પર જવાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
    4 days ago
    શ્રદ્ધા કપૂરે એનિમેટેડ ફિલ્મ ‘છોટી સ્ત્રી’ની જાહેરાત કરી
    1 week ago
    દિલજીત -પરિણિતીની અમર સિંહ ચમકીલા માટે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ માટે નોમિનેટ
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે શરદ પૂર્ણિમા અને ભદ્રા ,પંચકનો અશુભ પડછાયો પણ રહેશે
    7 hours ago
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    5 days ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    2 weeks ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
    શક્તિ અને આરાધનાના પર્વનો પ્રારંભ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    1 week ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    2 weeks ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    2 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ નાગરિક બૅન્કે પાટણના અરજદારોના આક્ષેપો નકારી કાઢયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ નાગરિક બૅન્કે પાટણના અરજદારોના આક્ષેપો નકારી કાઢયા
રાજકોટ

રાજકોટ નાગરિક બૅન્કે પાટણના અરજદારોના આક્ષેપો નકારી કાઢયા

Khaskhabar Editor
Last updated: 2024/01/11 at 3:57 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

હાલમાં વિવિધ માધ્યમમાં વાઈરલ રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. અંગેના સત્યથી વેગળા સમાચાર અંગે સ્પષ્ટતા

ખાસ-ખબર સંવાદદાતા
હાલમાં વિવિધ માધ્યમો અને ખાસ કરીને સોશ્યલ મીડિયામાં રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. અંગેના સત્યથી વેગળા સમાચાર વાઈરલ થયા છે તે ધ્યાને આવતાં રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.એ આ અંગે સ્પષ્ટતા કરી છે.
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા ઇ.સ. 2014-15માં પાટણના ખાતેદાર મુકેશભાઈ ખેમચંદભાઈ પટેલ અને જ્યોત્સનાબેન મુકેશભાઈ પટેલના સંયુક્ત નામે મંજૂર કરાયેલા રૂા. 18.45 કરોડના ધિરાણમાં નિયમિત હપ્તા ન ભરાતા જુન 2019માં બંને ખાતાઓ આર.બી.આઈ.ના નિયમાનુસાર આ બંને ધિરાણો એન.પી.એ. જાહેર થયા હતા. ત્યારબાદ બેંક દ્વારા ધી સરફેસી એક્ટ 2002ની જોગવાઈ અનુસાર રિકવરીની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહી માટે પાટણ જિલ્લા કલેકટર દ્વારા જાન્યુઆરી 2021માં ધિરાણની સિક્યુરિટી પેટે રહેલી તમામ મિલકતોનો કબજો મેળવી બેંકને સોંપી આપવા માટે મામલતદાર (પાટણ શહેર)ને અધિકૃત કરતો ઓર્ડર કરી આપવામાં આવી હતી. જેના અનુસંધાને મામલતદાર પાટણ શહેર દ્વારા તા. 5 એપ્રિલ અને તા. 6 એપ્રિલ 2022ના રોજ તમામ ચાર મિલકતનો કબજો લઈ બેંકને સોંપી આપવામાં આવી હતી. દરમિયાન ખાતેદારો દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી, જે અપીલમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેઓની કડક શબ્દોમાં આલોચના કરી તેમને કોઈ રાહત આપી ન હતી. ખાતેદારો દ્વારા આ અપીલ પરત ખેંચી લેવામાં આવી હતી.
વધુમાં ત્યારબાદ બેંક દ્વારા કાયદા મુજબ કબ્જે લીધેલ તમામ મિલકતોની કબજા નોટીસ તા. 9-4-2022ના રોજ ત્યારબાદ વેલ્યુએશન મુજબ આવેલ સંદર્ભિત મિલકતની પ્રથમ વેચાણ જાહેરાત રૂા. 4,13,87,000 માટે, તા. 31-8-2022ના રોજ, દ્વિતીય વેચાણ જાહેરાત રિઝર્વ કિંમતમાંથી 10 ટકા રકમ ઘટાડી રૂા. 3,72,48,300 માટે તા. 25-11-2022ના રોજ અગ્રણી અંગ્રેજી તથા ગુજરાતી અખબારોમાં પ્રસિદ્ધ કરાયેલી અને તેની નકલો પણ ખાતેદારો તેમજ તેમના જામીનોને મોકલી આપવામાં આવી હતી. દ્વીતીય જાહેરાતના અનુસંધાને બેંકને મળેલી ઓફર પૈકી સંદર્ભિત મિલકત માટે વિનોદભાઈ એસ. પટેલ (જે બેંકની જાણ અનુસાર ખાતેદાર મુકેશભાઈ પટેલ દ્વારા જ રજૂ કરાયેલ) દ્વારા ઓફર કરેલ રકમ રૂા. 5,13,00,000થી વધી રૂા. 8,00,00,000 કરી આપવામાં આવ્યા જે પ્રથમ દ્રષ્ટિએ શંકાસ્પદ જણાયેલ, પરંતુ બેંકનો હેતુ રિકવરીનો હોય તેમનું ટેન્ડર માન્ય રાખવામાં આવ્યું હતું પરંતુ તેઓ દ્વારા નિયત સમય મર્યાદામાં બાકીની રકમ ભરપાઈ કરવામાં આવેલી ન હોઈ તેઓ દ્વારા ટેન્ડર સાથે જમા કરાવેલી 10 ટકા મુજબની રકમ રૂા. 37,24,900 જપ્ત કરી ખાતેદારના ખાતામાં જમા આપી મિલકતની ઓકશન રદ કરવામાં આવ્યું છે.
ત્યારબાદ વેચાણના વધુ એક પ્રયત્ન માટે નિયમાનુસાર રિઝર્વ કિંમતમાંથી 10 ટકા રકમ ઘટાડી રૂા. 3,35,23,470માં વેચવા માટે ફરીથી વેચાણ જાહેરાત તા. 4-2-2023ના રોજ અગ્રણી અખબારોમાં પ્રસિદ્ધ કરી હતી. નકલો પણ ખાતેદારો તેમજ તેમના જામીનોને મોકલી આપવામાં આવી હતી. ઉપરોક્ત વેચાણ જાહેરાતના અનુસંધાને બેંકને સંદર્ભિત મિલકત પેટે એકમાત્ર ટેન્ડર રૂા. 3,36,00,000નું મળેલું, જે નિયમાનુસાર રિઝર્વ કિંમત કરતાં વધુ રકમનું હોય બેંક દ્વારા માન્ય રાખી નિયમાનુસારની બાકીની રકમ નિયત સમય મર્યાદામાં ભરપાઈ થયેથી ટેન્ડરની ફેવરમાં બેંક દ્વારા તા. 21-3-2023ના રોજ વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવ્યો હતો. આમ બેંક દ્વારા મિલકતના કબજા તથા વેચાણની લગતી તમામ કાર્યવાહી ધી સરફેસી એક્ટ 2002ની જોગવાઈઓના ચુસ્તપણે પાલન કર્યા બાદ જ તથા દરેક તબક્કે છથી સાત અધિકારીઓની ચકાસણી બાદ પારદર્શક રીતે જ કરવામાં આવેલી હોય કોઈપણ જાતની ક્ષતિ હોવાની શક્યતા રહેતી નથી. વધુ એક વિગત, સીઆઈડી (ગાંધીનગર) સમક્ષ ડિસેમ્બર 2023માં ખાતેદાર દ્વારા અરજી કરવામાં આવતાં, બેંક દ્વારા ઉપરોક્ત હકીકતો મુજબ સીઆઈડીને પણ દસ્તાવેજી આધારા-પુરાવાઓ સાથે જવાબ પાઠવેલ છે.
દરમિયાન નવેમ્બર 2023માં (એટલે કે સંદર્ભિત મિલકત વેચાણ થઈ ગયાના 8 માસ બાદ) ખાતેદાર મુકેશભાઈ ખેમચંદભાઈ પટેલ તથા પાટણના એક અખબારના તંત્રી બેંકે રૂબરૂ મળવા આવ્યા અને તેઓએ મામુલી રકમ એટલે કુલ બાકી રકમ અંદાજિત રૂા. 20 કરોડની સામે ફકત રૂા. બે કરોડ જમા કરાવી બેંક દ્વારા હજુ પણ ન વેચેલ પાટણ સ્થિત કોલેજની મિલકતો કે જેનો કબ્જો જિલ્લા કલેકટર પાટણના ઓર્ડરના અન્વયે બેંકને મળેલો હોય તેના લોક ખોલી કબજો પરત સોંપવા માટે માગણી કરી હતી. આ માગણી નિયમાનુસાર બેંક માટે શક્ય ન હોવાથી અસ્વીકાર કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અરજદાર દ્વારા નામદાર ડી.આર.ટી.માં ફાઈલ કરાયેલ એસ.એ.-377-2022માં પણ તા. 1-11-2023ના રોજ ખાતેદારો દ્વારા અંદાજિત રૂા. બે કરોડ ભરી પાટણની કોલેજવાળી મિલકતના તાળા ખોલી આપવાની અરજી પણ નકારી કાઢવામાં આવી હતી. વધુમાં બેંક દ્વારા લેણી રકમની વસુલાત માટે અરજદારો પર ચેક રિટર્નના એકથી વધુ કેસ કરવામાં આવેલા છે જે પૈકી અમુક કેસોમાં નામદાર હળવદ કોર્ટ દ્વારા અરજદારોને રકમ ભરપાઈ કરવાના હુકમ ઉપરાંત સજા પણ ફટકારવામાં આવી છે.
અરજદારોની વખતોવખતની વિવિધ માગણીઓ વિવિધ અદાલતો દ્વારા સમયાંતર નકારી કાઢવામાં આવી છે. પાટણના અખબાર દ્વારા અધુરી અને એકતરફી માહિતી સાથે વિગતો પ્રસિદ્ધ કરવામાં આવી છે તેના જવાબદારો સામે બેંક દ્વારા નિયમાનુસાર કાનુની કાર્યવાહી કરવામાં આવનાર છે તેવું અંતમાં જણાવ્યું હતું.

- Advertisement -

You Might Also Like

સરગમી ડાયરામાં લોકસાહિત્યની રમઝટ બોલી : રાજકોટવાસીઓ અભિભૂત

રાજકોટમાં ઉમિયા યુવા ટ્રસ્ટ દ્વારા 21મો શરદોત્સવ, 25,000 પાટીદાર પરિવારો એકસાથે દૂધ પૌઆની રંગત માણશે

લોધિકાના ઔદ્યોગિક વિસ્તારને જોડતા 6.20 કિ.મી. રોડ માટે રૂ. 8.80 કરોડ મંજૂર

સામાજિક સુરક્ષામાં ભારતની ‘ઉત્કૃષ્ટ સિદ્ધિ’: ડૉ. મનસુખ માંડવિયાને મલેશિયામાં ISSA એવોર્ડ 2025 એનાયત

વેલ્વેટ વિસ્ટા સ્પામાં ચાલતા લોહીના વેપલાનો પર્દાફાશ કરતી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ

TAGGED: Patan, petitioners, RajkotNagrikBank
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કાર ઉપર બેસી રીલ્સ બનાવનાર ચાર કોલેજિયન છાત્રો સહિત પાંચની ધરપકડ
Next Article માતૃમંદિર કોલેજનાં છાત્રોએ એલચી, લવિંગ, અક્ષતમાંથી 350 ફૂટનો હાર બનાવ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સરગમી ડાયરામાં લોકસાહિત્યની રમઝટ બોલી : રાજકોટવાસીઓ અભિભૂત

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજુલાના વાવેરા ગામે 31મા નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતિ: 300 બાળાઓને સાડી વિતરણ
મોટા ભમોદ્રા ગામે દીપડાના હુમલામાં 5 વર્ષીય બાળકીનું મોત
રાજકોટમાં ઉમિયા યુવા ટ્રસ્ટ દ્વારા 21મો શરદોત્સવ, 25,000 પાટીદાર પરિવારો એકસાથે દૂધ પૌઆની રંગત માણશે
લોધિકાના ઔદ્યોગિક વિસ્તારને જોડતા 6.20 કિ.મી. રોડ માટે રૂ. 8.80 કરોડ મંજૂર
વાવાઝોડાને લઈને દરિયામાં કરંટ, પોરબંદર બંદરે 3 નંબરનું સિગ્નલ યથાવત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સરગમી ડાયરામાં લોકસાહિત્યની રમઝટ બોલી : રાજકોટવાસીઓ અભિભૂત

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

રાજકોટમાં ઉમિયા યુવા ટ્રસ્ટ દ્વારા 21મો શરદોત્સવ, 25,000 પાટીદાર પરિવારો એકસાથે દૂધ પૌઆની રંગત માણશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

લોધિકાના ઔદ્યોગિક વિસ્તારને જોડતા 6.20 કિ.મી. રોડ માટે રૂ. 8.80 કરોડ મંજૂર

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?