ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
જૂનાગઢ બાગાયત ખાતા હસ્તકની નિશાતબાગ નર્સરી ખાતે વર્ષ 2024-25ના સમયગાળા માટે નાળિયેરીના વાર્ષિક ફળો ઉતારી લઈ જવાના ઇજારા માટે જાહેર હરાજીથી આપવાના થાય છે. જેથી લાગતા વળગતા લોકો, પાર્ટીઓ, ઇજારાદારોને સિઝનલ તથા વાર્ષિક ફળો ઉતારી લઈ જવાના ઇજારાઓ જાહેર હરાજીથી આપવાના થાય છે જાહેર હરાજીનો સમય તા. 20/09/2024ના રોજ 15:00 કલાકે ફળ નર્સરી, રાણીબાગ, માંગરોળ ખાતે રાખવામાં આવેલ છે.
- Advertisement -
રસ ધરાવતા દરેક ઇસમોને હાજર રહેવા જાણ કરવામાં આવે છે. હરાજીની માંગણી કરનાર દરેક ઈસમે રૂ.2000 ડિપોઝિટ જમા કરાવી માંગણી કરી શકશે. જાહેર હરાજીની શરતો બોલીઓ હરાજીના સમયે વાંચી સંભળાવવામાં આવશે. ફળપાકની પરિસ્થિતિ કચેરી સમય દરમિયાન નર્સરીમાં જોઈ શકાશે. તેમ બાગાયત અધિકારી ફળ રોપા ઉછેર કેન્દ્ર માંગરોળની એક અખબારી યાદીમાં જણાવાયું છે.