ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સુરતના તનિષ્કા ટુરના નામે ટુર પેકેજનો વ્યવસાય કરીને જૂનાગઢમાં લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર હર્ષિલ લખમણભાઈ જાદવ સામે બી.ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો હતો અને હર્ષિલ જાદવને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેના રિમાન્ડ મેળવી ઢોરમાર માર્યો હતો અને કેસ હલાવો કરવા પરિવાર પાસે 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને હર્ષિલ જાદવને શરીરના અંદરના ભાગે ઇજાઓ થતા તેને સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઢોર માર મારવામાં હર્ષિલનું મોત થતા જૂનાગઢ બી.ડિવિઝન પીએસઆઇ મુકેશ મકવાણા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો અને ત્યાર પીએસઆઇ ફરાર થઇ ગયેલ ત્યારે એલસીબી અને એસઓજી પોલીસે મકવાણાને ઝડપી પડી કોર્ટમાં રજુ કરતા એક દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા હતા પોલીસે એક દિવસના રિમાન્ડ દરમિયાન ક્યાં ક્યાં છુપાયા સહીતની વિગત મેળવી આગળની વધુ તપાસ શરુ કરી છે.
જૂનાગઢ હત્યાના ગુનામાં PSI મકવાણા એક દિવસના રિમાન્ડ પર
