ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં રખડતા ઢોર નિયંત્રણ કાયદાનો વિરોધ ઉઠ્યો છે. જૂનાગઢમાં પણ કોંગ્રેસ અને માલધારી સમાજે કલેકટરને આવેદન પત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો. વિધાનસભામાં ગૃહમાં રખડતા ઢોર નિયંત્રણ કાયદો પસાર કરાયો છે. જેના પગલે માલધારી સમાજમાં રોષ જોવા મળ્યો છે. તેમજ આ કાયદો પરત ખેંચવા માંગ ઉઠી છે. જૂનાગઢમાં પણ કોંગ્રેસ અને માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી કાયદો પરત ખેંચવા માંગી કરી હતી અને સુત્રોચ્ચાર કર્યા હતાં. તેમજ ગુજરાત માલધારી સેલનાં ઉપપ્રમુખ રાણાભાઇ કોડીયાતરે ઘાસ ડેપો બનાવવાની માંગ કરી હતી. બીજી તરફ દૂધનાં ભાવમાં વધારો થતો નથી તે અંગે પણ રજૂઆત કરાઈ હતી.