ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
જૂનાગઢ આગામી તા.12 થી 15 નવેમ્બર દરમિયાન ગરવા ગિરનારની પરિક્રમા યોજનાર છે. જેમાં આવનાર શ્રદ્ધાળુઓ, અન્નક્ષત્રો ચલાવનાર સંસ્થાઓ અને રાજ્યમાંથી આવતા સાધુ-સંતોઓએ તેમજ ધંધાર્થીઓને જણાવવાનું કે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ સચિવાલય ગાંધીનગરના પરિપત્ર તા. 22/05/2019થી વન્ય પ્રાણી અભયારણ્ય/રાષ્ટ્રીય ઉદ્યાનોના વિસ્તારમાં પ્લાસ્ટિક ઉત્પાદન, પેદાશ, પ્લાસ્ટિક ચીજ વસ્તુઓ, પ્લાસ્ટિક પેકિંગ મટીરીયલ્સ વગેરે લઈને ધંધાર્થીઓ, અન્નક્ષેત્રો, રાજ્યમાંથી આવતા સાધુ સંતોશ્રીઓ અને શ્રદ્ધાળુઓ અભયારણ્ય/રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં પ્લાસ્ટિક સાથે પ્રવેશ કરવા તથા તેને ગમે ત્યાં ફેકવા પર મનાઈ હુકમ ફરવામાં આવે છે. જેના ઉલ્લંઘન બદલ ભારતીય વન સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 29તથા 35 મુજબ ગુન્હો બને છે અને મહત્તમ દંડનીય કાર્યવાહી થઈ શકે. તેમજ તાજેતરમાં નામદાર ગુજરાત હાઇકોર્ટના કાર્યરત પી.આઈ.એલ.નં. 06/2023ના કામે થયેલ દિશા નિર્દેશ મુજબ ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં સ્વચ્છતા જાળવવાની થાય છે તો પરિક્રમા દરમિયાન આવનાર દરેક લોકોને સહકાર આપવા વિનંતી છે તેમ નાયબ વન સંરક્ષક જૂનાગઢ વન વિભાગ દ્વારા જણાવાયું છે.
પરિક્રમા દરમિયાન અભયારણ્યરમાં પ્લાસ્ટિક ચીજ વસ્તુઓ-મટીરીયલ્સ લઇ જવા પર પ્રતિબંધ



