આજથી 18મી લોકસભાનું સત્ર શરૂઆત
પ્રધાનમંત્રી મોદીએત્રીજી વખત સાંસદ તરીકે લીધા શપથ
- Advertisement -
પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબ તમામ સાંસદોને શપથ લેવડાવ્યાં
ભર્તૃહરિ મહતાબે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા હતા
- Advertisement -
આજથી 18મી લોકસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે. સૌથી પહેલા આ સત્રમાં તમામ સાંસદોની શપથ ગ્રહણ સમારોહ યોજાયો. જેમાં પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબ તમામ સાંસદોને શપથ લેવડાવ્યાં. આ સાથે સ્પીકર પદ માટે પણ ચૂંટણી થશે. આ સૌની વચ્ચે ભર્તૃહરિ મહતાબે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા હતા.
વડાપ્રધાન મોદીએ સાંસદ તરીકે શપથ લઈ લીધા બાદ પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબે રાધા મોહન સિંહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ફગ્ગન સિંહ, ગૃહમંત્રી અમિત શાહને શપથ અપાવ્યા હતા. તેમના બાદ નવા સાંસદોને શપથ અપાવવામાં આવ્યા હતા.
સંસદના પ્રથમ સત્રની હોબાળા સાથે શરૂઆત
18મી લોકસભાના પ્રથમ સત્રની શરૂઆત થઈ ચૂકી છે. વિપક્ષે શરૂઆતથી જ હોબાળો મચાવવાની શરૂઆત કરીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સતત ત્રીજી વખત સાંસદ તરીકે શપથ લીધા હતા. હવે પીએમ મોદી બાદ અન્ય મંત્રીઓ પણ શપથ લેશે.
વિપક્ષ અંગે શું બોલ્યાં પીએમ મોદી?
પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે દેશને એક જવાબદાર વિપક્ષની જરૂર છે. અમે આશા રાખીએ છીએ કે વિપક્ષ દેશના લોકતંત્રની ગરીમાને જાળવી રાખશે. જનતા આશા રાખે છે કે વિપક્ષ સારા પગલાં ભરશે. દેશને એક સારા વિપક્ષની જરૂર છે. અમે બધાને સાથે લઈને ચાલવા માગીએ છીએ. નવા સાંસદોને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. નવા ચુંટાયેલા સાંસદોનું સ્વાગત કરીએ છીએ. નવી ગતિ, નવી ઊંચાઇ મેળવવા આપણે સૌએ સાથે મળીને કામ કરવું પડશે.
વડાપ્રધાન મોદીએ ઈમરજન્સી કાળનો ઉલ્લેખ કરી કોંગ્રેસને ઘેરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત સત્તા સંભાળ્યા બાદ આજે પહેલીવાર સંસદની બહાર સંબોધન કર્યું હતું. 18મી લોકસભાના પ્રથમ સત્રની શરૂઆત પહેલા તેમણે કહ્યું કે નવા સંકલ્પો સાથે કામ કરશે આ 18મી લોકસભા. તેમણે કહ્યું કે આવતીકાલે 25 જૂન છે અને તે દિવસે દેશમાં ઈમરજન્સી કાળ એટલે કે ઈન્દિરા ગાંધીની સરકાર દ્વારા લાગુ કરાયેલી કટોકટીને 50 વર્ષ પૂરાં થઇ જશે. દેશને એક કેદખાનું બનાવી દેવામાં આવ્યું હતું. લોકતંત્ર માટે 25 જૂનનો દિવસ ભૂલી જવાનો દિવસ છે. લોકતંત્ર પર એ ઘટના એક કલંક સમાન.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચ્યા
પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબ સંસદ ભવન માટે રવાના થઈ ગયા છે. આજથી સંસદનું સત્ર શરૂ થઈ રહ્યું છે. આજે સૌથી પહેલું કામ સાંસદોને શપથ લેવડાવવાનું છે.
આ વખતે સત્રનો કેવો છે એજન્ડા?
રાષ્ટ્રપતિ 27 જૂને સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. ત્યારપછી રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા 28 જૂને શરૂ થશે. વડાપ્રધાન 2 અથવા 3 જુલાઈએ ચર્ચાનો જવાબ આપશે. આ સત્ર 24 જૂનથી 3 જુલાઈ સુધી ચાલશે અને 10 દિવસમાં કુલ 8 બેઠકો યોજાશે.