ચૈત્ર માસમાં માધવપુર ગામે સદીઓથી ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગનો મેળો આયોજીત કરાય છે
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.19
- Advertisement -
પોરબંદર જિલ્લાના માધવપુર ગામે ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીના લગ્ન પ્રસંગનો મેળો દર વર્ષે ચૈત્ર માસમા યોજાય છે જેને છેલ્લા થોડા વર્ષોથી રાષ્ટ્રીય મેળા તરીકે ઉજવવામાં આવે છે પરંતુ આ વખતે તે સમયમાં ચુંટણીની આચાર સંહિત લાગુ પડતી હોવાથી આ મેળામાં પણ આચારસંહિતાની અમલવારી કરાશે. ભગવાન શ્રી કૃષ્ણ વિદર્ભમાંથી રાજકુમારી રૂક્ષ્મણીજીનું હરણ કરી પોરબંદરના માધવપુર ગામે આવ્યા હતા અને અહીં તેમણે રૂક્ષ્મણીજી સાથે વિવાહ કર્યા હતા. તે પ્રસંગની યાદમાં માધવપુર ગામે સદીઓથી ચૈત્ર માસમાં આ લોકમેળો આયોજીત કરાય છે. થોડા વર્ષોથી આ મેળાની ઉજવણી રાષ્ટ્રીય મેળા તરીકે કરવામાં આવે છે અને તેમાં રાજયના મુખ્યમંત્રીથી લઇ કેન્દ્રીય મંત્રીઓ પણ હાજરી આપવા આવે છે.
પરંતુ આ વખતે આ મેળો 17 થી 21 એપ્રીલની વચ્ચે યોજાવાનો હોય અને તે વખતે ચુંટણી નોમીનેશનની પ્રક્રિયા ચાલતી હશે જેથી મેળાની ઉજવણીમાં પણ આચારસંહિતાનો અમલ કરવાનો રહેશે. મોટા ભાગે આ મેળામાં પદાધિકારીઓ હાજરી આપશે નહીં પરંતુ બંધારણીય વડાઓ આવી શકે તેમ છે.