પિસ્તા તરીકે આપણે જે ખાઈએ છીએ તે પિસ્તાશિયા વેરા તરીકે ઓળખાતા પિસ્તાના વૃક્ષના બીજ છે
પિસ્તા કાજુ પરિવારની વનસ્પતિ છે.અન્ય તમામ ડ્રાયફ્રૂટ કરતા વધુ પૌષ્ટિક અને ગુણકારી હોવા છતાં કાજુ બદામ અંજીર જેટલું પિસ્તાનું ચલણ નથી. તેનું એક કારણ તેનો અનિશ્ચિત સ્વાદ છે, પિસ્તા જો સારી ગુણવત્તાના હોય તો તેનો સ્વાદ ઉત્કૃષ્ઠ હોય છે પરંતુ જો તેની ગુણવત્તા થોડી નબળી હોય તો તેનો સ્વાદ ખાસ રુચિકર હોતો નથી અને એટલે જ તે ખાસ લોકભોગ્ય બન્યા નથી. પરંતુ વાસ્તવમાં પોતાના ગુણ થકી તે સૂકામેવાનો રાજા છે. આયુર્વેદમાં પિસ્તનો વિસ્તૃત ઉલ્લેખ હોવા છતાં દેશની આયુર્વેદ લોબીએ એવું પુરવાર કર્યું નથી કે પિસ્તા મૂળભૂત રીતે ભારતીય મૂળની વસ્તુ છે. બોટનીકલ આર્કીઓલોજી ની દૃષ્ટિએ તેનું મૂળ વતન એશિયા માઇનોર એટલે કે આજના તુર્કી ઈરાન, સીરિયા, લેબનોનનો પ્રદેશ છે. દક્ષિણ રશિયા અને અફઘાનિસ્તાનમાં કાકેશસની ઉત્તરે આવેલા વિસ્તારોમાં પણ તેનો પાક લેવામાં આવતો હોવાના પુરાવા મળ્યા છે. પૂર્વોત્તર ઇરાક નજીક જેરોમ ખાતે ખોદકામ દરમિયાન પુરાતત્વવિદોને તેના 8800 વર્ષ જૂના અવશેષો મળી આવ્યા હતા. ઈસુના 700 વર્ષ પહેલાં સમ્રાટ મેરોડાચ-બાલાદાનના શાસન દરમિયાન બેબીલોનના ઝૂલતા બગીચાઓમાં પિસ્તાના ઝાડ હોવાનો અમુક પ્રાદેશિક સાહિત્યમાં ઉલ્લેખ છે. પિસ્તા અંગે ઈસુના પ્રાગટ્યના પાંચસો વર્ષ પહેલા લખાયેલા ખ્રિસ્તી ધાર્મિક ગ્રંથ ઓલ્ડ ટેસ્ટામેન્ટના 43:11 શ્લોકમાં સૂચક વાત કહેવાઈ છે. ખ્રિસ્તીઓમાં એવી લોકવાયકા છે કે પિસ્તાને આદમ પૃથ્વી પર લઈ આવ્યો હતો અને તેણે તે ઇડેના નામના બગીચામાં વાવ્યા હતા.મધ્યપૂર્વ આસાસના વિસ્તારોમાં ઉદભવ પામી પિસ્તાનું વાવેતર ધીમે ધીમે રાજવી પરિવારોના માનીતા ખોરાક તરીકે અન્ય ગરમ ભૌગોલિક પ્રદેશોમાં ફેલાવા લાગ્યું હતું. બીજી એક દંતકથા એવી પણ છે કે શેબાની રાણીએ પિસ્તાને શાહી મેવા તરીકે જાહેર કર્યા હતા જેથી કરીને સામાન્ય લોકોને માટે તે સહજ રીતે પ્રાપ્ય ન બને. અંગત ઉપયોગ માટે પણ પિસ્તા તેમજ અખરોટ ઉગાડવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. આજથી 3000 વર્ષ પહેલાં સમ્રાટ મેરોડાન બાલડાનના રાજમાં બેબીલોનના જગવિખ્યાત ઝૂલતા બગીચામાં પણ પિસ્તા વાવવામાં આવ્યા હતા અને ઈસુની પ્રથમ સદીમાં સમ્રાટ વિટેલિયસે રોમમાં તેની રાજધાનીમાં પિસ્તાના વૃક્ષનું વાવેતર કરાવ્યું હતું.
પશ્ચિમને ચીન સાથે જોડતા સિલ્ક રૂટ પર અવરજવર કરતા પ્રવાસીઓ પ્રાચીન સમયમાં એક તબક્કે બદામની સાથે પિસ્તા પણ લઈ જવા લાગ્યા હતા. જોકે મધ્ય પૂર્વીય વંશના અમેરિકનો માટે મૂળરૂપે 1880 માં આયાત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ લગભગ 50 વર્ષ પછી નાસ્તાની ચીજ તરીકે બાકીના અમેરિકામાં પ્રથમ વખત પિસ્તા બજારમાં આવ્યા હતા. આજે પિસ્તાના વૃક્ષનું વાવેતર સમગ્ર વિશ્વમાં બહુ મોટા પાયે કરવામાં આવે છે, ખાસ કરીને યુએસ, મધ્ય એશિયા અને મધ્ય પૂર્વમાં પિસ્તાના વૃક્ષ અનુકૂળ પરિસ્થિતિઓમાં એકદમ સખત હોય છે અને શિયાળામાં 10 ઓઈ (14 ઓઋ) અને ઉનાળામાં 48 ઓઈ (118 ઓઋ) વચ્ચેના તાપમાનમાં ટકી શકે છે.
- Advertisement -
પુરુષોની જાતીય સમસ્યાઓ માટે શ્રેષ્ઠ આહાર
પૂર્વોત્તર ઇરાક નજીક જેરોમ ખાતે ખોદકામ દરમિયાન પુરાતત્વવિદોને પિસ્તાના 8800 વર્ષ જૂના અવશેષો મળી આવ્યા હતા
પિસ્તા એ રણની વનસ્પતિ છે અને તેને ખારી જમીન ખૂબ જ માફક આવે છે. પિસ્તાના ઝાડનું આયુષ્ય 150 વર્ષથી વધુ હોય છે. પિસ્તાના ઝાડને પહોળી ફેલાયેલી શાખાઓ હોય છે અને તેની મહત્તમ ઊંચાઈ 9 10 મીટર ( 30 થી 33 ફૂટ) કરતાં વધુ હોતી નથી. તેના પાન 10-20 સેન્ટિમીટર (4-8 ઇંચ) લાંબા પિનેટ પ્રકારના હોય છે. તેનો છોડ એકલિંગાશ્રયી છે (પુરુષ અથવા સ્ત્રી ફૂલો ધરાવે છે). ફૂલો પેનિકલ્સમાં જન્મેલા હોય છે જેમાં 150 થી વધુ ફૂલો હોઈ શકે છે. ફૂલો પવનથી પરાગનિત થાય છે. ક્લસ્ટરોમાં જન્મેલા, ફળ એ ડ્રુપ (અથવા પથ્થરનું ફળ) છે જેમાં વિસ્તૃત બીજ હોય છે, જે ખાદ્ય ભાગ છે. લણણી કર્યા પછી, ફળોને તેમના માંસલ લાલ અથવા પીળાશ પડવાથી છૂટા પાડવા માટે પલાળવામાં આવે છે. ત્યારબાદ પિસ્તાને તડકામાં સૂકવવામાં આવે છે. બીજ, જેને આપણે સૂકા મેવા તરીકે ખાઈએ છીએ તેને વનસ્પતિશાસ્ત્રની વ્યાખ્યા મુજબ નટ ગણી શકાય નહી. ફળમાં સખત, ક્રીમ રંગનું બાહ્ય શેલ હોય છે.
બીજમાં એક વિશિષ્ટ સ્વાદ સાથે, મ્યુવ-રંગીન ત્વચા અને હળવા લીલા રંગનો માવો હોય છે. જ્યારે ફળ પાકે છે, ત્યારે શેલ લીલાથી બદલાઈને પીળા કે લાલ રંગનું થઈ જાય છે અને અચાનક આંશિક રીતે વિભાજીત થઈ જાય છે. દરેક પિસ્તાના ઝાડમાં દર બે વર્ષે સરેરાશ 50 કિલોગ્રામ પિસ્તા આવે છે. પિસ્તા નાના હોય છે, પરંતુ તે એક શક્તિશાળી પોષક આહાર છે. 100 ગ્રામ પિસ્તા 562 કેલરી પૂરી પાડે છે અને તેમાં 67% ચરબી, 20% કાર્બોહાઈડ્રેટ, 13% પ્રોટીન હોય છે. તે એક પ્રોટીન, ડાયેટરી ફાઇબર, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ઝિંક, કોપર, સોડિયમ અને સેલેનિયમ જેવા અનેક ખનિજોનો સમૃદ્ધ સ્ત્રોત છે. તે વિટામિન અ, ઊં, ઈ, ઊ, ઇ6, ઇ1-થાઇમિન, ઇ2-રિબોફ્લેવિન, ઇ3-નિયાસિન, ઇ9-ફોલેટ અને ઇ5-પેન્ટોથેનિક એસિડ જેવા વિટામિનનો પણ સારો સ્ત્રોત છે. પિસ્તા એન્ટીઓક્સીડેન્ટનો પણ સારો સ્ત્રોત છે. તેમાં બદામ અને કાજુ કરતાં વધુ એન્ટીઑકિસડન્ટો હોય છે.
પિસ્તામાં મળતા વિટામિન્સ, મિનરલ્સ, ફેટ્સ અને પ્રોટીન આપણા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. સ્વસ્થની દૃષ્ટિએ જોઈએ તો પિસ્તા હૃદયનું સ્વાસ્થ્ય, વજન વ્યવસ્થાપન, હાયપરટેન્શન અને પાચન સુધારે છે. પિસ્તા કોષોને થતું નુકસાનને પણ અટકાવે છે અને ડાયાબિટીસ તેમજ કેન્સર જેવા રોગના જોખમને ઘટાડવામાં મોટી મદદ કરી શકે છે. અમેરિકનો પિસ્તાનું સલાડ બનાવે છે, જેમાં તાજા પિસ્તા અથવા પિસ્તાની ખીર, વ્હીપ્ડ ક્રીમ અને તૈયાર ફળનો સમાવેશ થાય છે.
ઈરાન અને યુનાઈટેડ સ્ટેટ્સ પિસ્તાના મુખ્ય ઉત્પાદકો છે, જે મળીને કુલ વિશ્વ ઉત્પાદનનો 3/4 હિસ્સો ધરાવે છે. કેલિફોર્નિયા લગભગ તમામ યુનાઇટેડ સ્ટેટ્સ પિસ્તાનું ઉત્પાદન કરે છે, અને તેમાંથી લગભગ અડધાની નિકાસ મુખ્યત્વે ચીન, જાપાન, યુરોપ અને કેનેડામાં થાય છે.
આજની તણાવપૂર્ણ અને સ્પર્ધાત્મક જીવનશૈલીના કારણે માથાનો દુખાવો એક સામાન્ય રોગ બની ગયો છે. દિવસભરના તણાવને કારણે અથવા ખાવાની આદતોમાં ફેરફારને કારણે થાક અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ પણ થાય છે. કમ્પ્યુટર પર કામ કરવાને કારણે પણ માથાનો દુખાવો થાય છે. પિસ્તાના દર્દ નિવારક ગુણો માથાનો દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે. પિસ્તાના બીજનું તેલ માથા પર લગાવવાથી અથવા સૂંઘવાથી માથાનો દુખાવો મટે છે.
આજકાલ ઘણા લોકો ખરતા વાળ, નિર્જીવ વાળ, શુષ્ક વાળની સમસ્યાથી પીડાય છે અને તેઓ તેને દૂર કરવા માટે ઉપાય શોધે છે. તમને ખબર નથી કે પિસ્તા વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે વાળમાંથી જૂ દૂર કરવામાં પણ મદદ કરે છે.
પિસ્તાની છાલમાંથી ઉકાળો બનાવો અને તેનાથી માથું ધોઈ લો. તેનાથી માથાના વાળ મજબૂત થાય છે અને જૂથી પણ રાહત મળે છે.ઘણીવાર ખાવાની આદતોમાં થયેલી ભૂલોથી પેટમાં ખરાબી આવે છે અને તેના કારણે શ્વાસમાં દુર્ગંધ આવવા લાગે છે.
- Advertisement -
પેટ અને આંતરડાની સમસ્યાઓમાં પિસ્તા ઘણા અસરકારક
ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ છે, જે હૃદય રોગની શક્યતા ઘટાડે છે
ક્યારેક પેઢાના રોગને કારણે પણ આવી સમસ્યા થાય છે. આ રોગમાં પિસ્તા ખાવાના ફાયદા જોવા મળે છે. જો પેઢામાં રોગ હોય તો પિસ્તા ચાવવા. તેનાથી શ્વાસની દુર્ગંધની સમસ્યા દૂર થાય છે. હરસ, જેને અંગ્રેજીમાં પાઈલ્સ કહેવાય છે, તે ખૂબ જ પીડાદાયક રોગ છે. જ્યારે રોગ ગંભીર બની જાય છે, ત્યારે ઘામાંથી રક્તસ્રાવ શરૂ થાય છે. દર વખતે જ્યારે પણ આંતરડાની ચળવળ થાય ત્યારે દર્દીને અસહ્ય પીડામાંથી પસાર થવું પડે છે. આ દુખાવાથી રાહત મેળવવા માટે પિસ્તાના ઝાડની છાલને પીસીને મસા પર લગાવો. તેનાથી દુખાવામાં રાહત મળે છે. જે લોકો વારંવાર ઝાડાથી પીડાય છે તેઓ પિસ્તાનો ઉપયોગ કરી શકે છે. પિસ્તાના ઝાડની છાલનો ઉકાળો બનાવો. તેને પીવાથી ઝાડા મટે છે.અટિકેરીયા અથવા શિળસ ફાટી નીકળવામાં ત્વચા પર લાલ ફોલ્લીઓ દેખાવા લાગે છે, જેનાથી ખંજવાળ આવવા લાગે છે. આમાં પિસ્તાના બીજનું તેલ લગાવવાથી ફાયદો થાય છે. શારીરિક નબળાઈના કિસ્સામાં પિસ્તા ખાવાના ફાયદાઓ લઈ શકો છો. તેનાથી શારીરિક અને માનસિક નબળાઈ ઓછી થાય છે. આ માટે પિસ્તાના બીજને શેકીને તેનું સેવન કરો. અનેક વખત ખંજવાળની સમસ્યા કોઈ દવાની આડઅસર અથવા પ્રદૂષણના કારણે અથવા ત્વચામાં શુષ્કતાને કારણે થાય છે. પિસ્તાના ઝાડની છાલનો આ રીતે ઉપયોગ કરવાથી ખંજવાળમાં રાહત મળે છે. પિસ્તાના ઝાડની છાલ અને પાંદડાનો ઉકાળો બનાવો. તેનાથી અસરગ્રસ્ત વિસ્તારને ધોઈ લો. આ શુષ્ક ખંજવાળમાં રાહત આપે છે. યાદશક્તિમાં ઘટાડો જીવન પર ખૂબ જ ખરાબ અસર કરે છે. બાળકો હોય કે વૃદ્ધ, દરેકને પણ આ સમસ્યા થઈ શકે છે. જો બાળકોની યાદ રાખવાની ક્ષમતા નબળી પડી જાય તો તેની અસર તેમના અભ્યાસ પર પડે છે. પિસ્તા યાદશક્તિની ઉણપ જેવી સમસ્યાઓમાં પણ ઉપકારક છે. પિસ્તા, બદામ, નારિયેળ, ખાંડ અથવા સાકાર અને ઘી સમાન માત્રામાં મિક્સ કરો. 2-5 ગ્રામની માત્રામાં તેનું સેવન કરો. આ સાથે ગાયનું દૂધ પીવો. તેનાથી વ્યક્તિને ફાયદો થાય છે. પિસ્તાનું સેવન હૃદય માટે ફાયદાકારક છે કારણ કે એક સંશોધન અનુસાર, તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ છે, જે હૃદય રોગની શક્યતા ઘટાડે છે. પિસ્તનું સેવન કોલોન માટે ફાયદાકારક છે, કારણ કે પિસ્તામાં જોવા મળતા ચોક્કસ પ્રકારના તત્વો કોલોનને મજબૂત બનાવે છે. પિસ્તાના સેવનથી કોલોનની મ્યુકોસ મેમ્બ્રેનમાં બળતરા થતી નથી અને કોલોનને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. પિસ્તાનું સેવન કેન્સરથી બચવામાં મદદરૂપ છે. એક સંશોધન મુજબ પિસ્તામા કેન્સર વિરોધી તત્વો મળી આવે છે જે કેન્સરને રોકવામાં મદદ કરે છે. પિસ્તાનું સેવન કરવું અને પિસ્તાનું તેલ વાળમાં લગાવવું, બંને ફાયદાકારક છે કારણ કે તેમાં જોવા મળતું વિટામિન ઊ વાળને મજબૂત બનાવે છે અને પિસ્તામાં એસ્ટ્રિંજન્ટ ગુણ હોય છે જે માથાની શુષ્કતા દૂર કરે છે અને વાળને મૂળમાંથી પોષણ આપે છે. વાળને મજબૂત બનાવે છે અને ખરતા અટકાવે છે. પિસ્તાનું સેવન વજન ઘટાડવાનો એક સારો ઉપાય ગણી શકાય કારણ કે તેમાં રહેલા ફાઈબર અને અન્ય તત્વો ઝડપથી ભૂખ લાગવાની વૃત્તિને નિયંત્રિત કરે છે. જેના કારણે વારંવાર ખાવાની ઈચ્છા થતી નથી અને તે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આયુર્વેદમાં પિસ્તાના બીજ, છાલ અને પાંદડાનો ઉપયોગ દવા માટે થાય છે. અંગ્રેજીમાં ભાષામાં પિસ્તાનો સૌથી જૂનો રેકોર્ડ 1400 ની આસપાસ છે જેમાં સ્પેલિંગ ‘ાશતફિંભય‘ અને ‘ાશતફિંભશફ‘ છે. પિસ્તા શબ્દ મધ્યયુગીન ઇટાલિયન
પિસ્તામાં હાજર એન્ટીઓક્સિડેન્ટ ગોરી ત્વચાના કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, ફેફસાનું કેન્સર વગેરેની શક્યતા ઘટાડે છે
પિસ્તાચીઓ પરથી આવ્યો છે, જે શાસ્ત્રીય લેટિન પિસ્તાશિયમ અને પ્રાચીન ગ્રીક પિસ્તાકિયોન અને પિસ્તાકે (મધ્ય ફારસીમાંથી) પરથી આવ્યો છે. પર્શિયનમાં, આ શબ્દને પેસ્તેહ તરીકે પ્રમાણિત કરવામાં આવે છે. ઈરાનમાં, પિસ્તાને “સ્માઇલિંગ આલમાંડ” તરીકે ઓળખવામાં આવે છે. ચીનમાં, તેને “હેપી નટ ” કહેવામાં આવે છે. પિસ્તાને “લીલી બદામ” તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાઇનીઝ નવા વર્ષ દરમિયાન ઘણીવાર ભેટ તરીકે આપવામાં આવે છે, પિસ્તા આરોગ્ય, સુખ અને સારા નસીબનું પ્રતીક છે. એનાકાર્ડિયાસી પરિવારના અન્ય સભ્યોની જેમ (જેમાં પોઈઝન આઈવી, સુમેક, કેરી અને કાજુનો સમાવેશ થાય છે), પિસ્તામાં ઉરુશિઓલ હોય છે, જે એલર્જીક પ્રતિક્રિયાઓનું કારણ બની શકે છે. પિસ્તા ની તાસીર ગરમ હોય છે તેથી પુરુષો પિસ્તા નું સેવન કરવાથી પુરુષો ની યૌન ક્ષમતા વધે છે. પિસ્તા પુરુષો ના હોર્મોન પર સકારાત્મક પ્રભાવ નાંખે છે. અને તેમની મર્દાનગી ને વધારે છે. જે પુરુષ પિતા નથી બની શકતા, તેમના માટે પિસ્તા વરદાન રૂપ સાબિત થાય છે. પિસ્તા માં એમિનો એસિડ આર્જિનિન હાજર હોય છે જે સંતાન પ્રાપ્તિ માટે સહાયક હોય છે. પિસ્તા માં હાજર એન્ટીઓક્સીડેન્ટ ગોરી ત્વચા ના કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, ફેફસાઓનું કેન્સર વગેરે ની શક્યતા ને કામ કરે છે. પિસ્તા માં હાજર પૌષ્ટિક તત્વ આપણા શરીર માં હાજર કેન્સર ના કાણો થી લડે છે. અને તેમાં હાજર વિટામિન બી સિક્સ રક્ત કણીકાઓ ની સંખ્યા વધારે છે. ઘણી વખત શરીર માં સોજા આવી જતાં હોય છે. જેનું કારણ છે ખાંટો ખોરાક કે પછી કોઈ જગ્યાએ ઇજા થવી પણ જો આ માટે પિસ્તાનું સેવન કરશો તો તેમાં રહેલ વિટામીન ‘એ’ અને વિટામીન ‘ઈ’ સોજાને ઘટાડે છે. ઘણી વખત શરીર ના વિભિન્ન અંગો પર કોઈ કારણો સાર બળતરા થઇ રહી હોય પછી ભલે તે પેટની બળતરા કે છાતીની બળતરા પણ પિસ્તાનું સેવન કરવાથી બળતરા દૂર થાય છે. સૂકા મેવા ની જેમ પિસ્તા શરીર માં હાજર કોલેસ્ટ્રોલ ની માત્રા ને નિયંત્રણ માં રાખે છે. આ સમયે હાજર ફાઇટો સ્ટેરોલ, એન્ટી ઓક્સીડેન્ટ આપણા દિલ ને સ્વસ્થ રાખવામાં સહાયતા કરે છે. એવામાં હ્ર્દય રોગો થી પીડિત વ્યક્તિઓ ને પિસ્તા ખાવાની સલાહ આપવામાં આવે છે. પિસ્તા શરીર માં હાજર ધમનીઓ માં લોહી ને જમા થવાથી રોકે છે. સુંદર ચહેરા માટે પીસ્તા કોઈ કુદરતી ઔષધી થી ઓછી નથી. ઉંમર વધવાની અસરને અટકાવે અને કરચલી ને ચહેરા ઉપરથી દુર કરવા પીસ્તામાં રહેલા ગુણ સરળતાથી કરે છે. પીસ્તા ખાવાથી ચહેરા ની ચામડી કડક થાય છે. પીસ્તા ખાવાથી મગજ ઝડપી બને છે અને માણસની યાદશક્તિ ઝડપી બને છે. તેથી બાળકોને પીસ્તા જરૂર ખવરાવો. આજ ના સમય માં બગડેલી ખાનપાન ની ટેવો ના ચાલતા બહુ બધા લોકો ના મોટાપા નો શિકાર થવું પડે છે. પિસ્તા માં ઘણા પ્રકારના પ્રોટીન અને ફાઈબર હાજર રહે છે જેમને ખાવાથી આપણને જલ્દી ભૂખ નથી લાગતી. પરંતુ લંચ અથવા ડિનર ના દરમિયાન તેના વધારે સેવન થી બચો નહિ ત્યારે સ્થૂળતા ઘટવાની બદલે વધી શકે છે. વર્તમાન સમય માં ડાયાબિટીનો લગભગ દરેક બીજો વ્યક્તિ ભોગ થઇ રહ્યો છે. એવામાં નિયમિત રૂપ થી એન્ટી ઓક્સીડેંટ અને ફાઈબર યુક્ત પિસ્તા ન સેવન કરવાથી મધુમેહ ના લોકો ને કંટ્રોલ કરવામાં આવી શકે છે. એટલું જ નહિ પરંતુ આ બ્લડ પ્રેશર પર પણ નિયંત્રણ રાખે છે. યુવાની સુધી આપણી આંખો સારી હોય છે. પણ ઉંમર વધવાની સાથે આંખોની નબળાઈ અને બીમારીઓ પણ વધવા લાગે છે. તેવા માં નિયમિત પીસ્તા ખાવા થી આંખો ઉપર કોઈપણ જાતની અસર નહી પડે. આંખો ગઢપણ સુધી તંદુરસ્ત અને નીરોગી રહેશે.