By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયાનું પગલું, વ્હોટ્સઍપ્પ અને ટેલિગ્રામ કોલ પર બેન
    3 days ago
    ટ્રમ્પ આવેશમાં આવીને નિર્ણય લે છે! ‘અમેરિકા પર વિશ્વાસ ન કરી બ્રિક્સ સાથે જોડાવ’: જેફરી સૅક્સ
    3 days ago
    પનામા કેનાલ પર યુએનમાં ચીન અને અમેરિકા વચ્ચે ટક્કર: દુનિયાભરનો 6 ટકા સમુદ્રી વ્યાપાર આ નહેરથી થાય છે
    5 days ago
    તો ભારત સામે યુદ્ધ લડવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં: પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ધમકી
    5 days ago
    અફઘાનિસ્તાન સરહદ પર પાકિસ્તાની સેનાએ 50 આતંકવાદીઓને ઠાર માર્યા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘અમે વિવાદ નહીં, ઉકેલ ઈચ્છીએ છીએ’ રખડતાં કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
    3 days ago
    70 દેશોની જેલોમાં 10,574 ભારતીયો કેદ
    3 days ago
    જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટતાં વિનાશક દૃશ્યો, 10થી વધુ લોકોના મોતની આશંકા
    3 days ago
    કાલથી શરૂ થશે 1 વર્ષ સુધી ચાલે તેવા FASTag Pass, ખરીદવાની જાણો આ સિમ્પલ પ્રોસેસ
    3 days ago
    ફરિયાદી ગોડસેના સગા: રાહુલ ગાંધીએ સાવરકરની ટિપ્પણી પર જીવનો ખતરો હોવાનો દાવો કર્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ
    3 days ago
    8 વર્ષના રિલેશન બાદ રોનાલ્ડો અને જોર્જિના કરશે લગ્ન, સગાઈની તસ્વીર થઈ વાઈરલ
    5 days ago
    દેવયાનીબા ઝાલાએ વર્લ્ડ એથ્લેટિક્સ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું
    5 days ago
    દુષ્કર્મના આરોપમાં પાકિસ્તાની બેટ્સમેનની ધરપકડ, PCBએ સસ્પેન્ડ કરીને કડક કાર્યવાહી કરી
    1 week ago
    ક્રિકેટરોનું વર્કલોડ મેનેજમેન્ટ હવે બોર્ડ નક્કી કરશે
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ચાલો આજે જાણીએ બચ્ચન પરિવારની વહુ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસ ઐશ્વર્યા રાયની નેટવર્થ વિશે
    6 days ago
    કપિલ શર્માના કેનેડા કાફેમાં મહિનામાં બીજી વાર 25થી વધુ ગોળીબાર
    1 week ago
    હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની દિલ્હીમાં હત્યા કરાઈ
    1 week ago
    કાજોલે હિન્દી બોલવાની સ્પષ્ટ ના પાડતા, સોશિયલ મીડિયામાં થઈ ટ્રોલ
    2 weeks ago
    ફિલ્મી કરિયર ઝીરો પણ સંપત્તિની વાત કરવામાં આવે તો 500 કરોડનો માલિક છે અરબાઝ ખાન
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીના છોડ સાથે આવું ક્યારેય પણ ન કરશો
    3 days ago
    ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
    1 week ago
    રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહુર્ત સવારથી શરૂ
    1 week ago
    ભારત સિવાયમાં બીજા આ દેશોમાં પણ ઉજવાય રક્ષાબંધન
    2 weeks ago
    રાખડી આકર્ષિત તો દેખાય છે પણ શું રંગથી પણ કાઈ ફરક પડે છે ? ચાલો જાણીએ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
    3 days ago
    શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
    3 days ago
    રીબડા પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરાવનાર મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહ કેરળથી ઝડપાયો
    5 days ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેન વિક્રમ પુજારાએ જરૂરિયાત વગર એક ડઝન સ્કૂલ પાડીને નવી બનાવી
    6 days ago
    લોધિકાના હરિપર તરવડા ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા, લાખો ટન ખનીજચોરીની આશંકા
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઔષધશાસ્ત્ર: આપણાં આયુર્વેદનો એક દસ્તાવેજી ઇતિહાસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > ઔષધશાસ્ત્ર: આપણાં આયુર્વેદનો એક દસ્તાવેજી ઇતિહાસ
Authorમનીષ આચાર્ય

ઔષધશાસ્ત્ર: આપણાં આયુર્વેદનો એક દસ્તાવેજી ઇતિહાસ

Khaskhabar Editor
Last updated: 2023/09/16 at 12:00 PM
Khaskhabar Editor 2 years ago
Share
12 Min Read
SHARE

આપણાં આયુર્વેદનો એક દસ્તાવેજી ઇતિહાસ અને તેના સમૃદ્ધ ઔષધશાસ્ત્ર બાબતે આપણે સહુ જાણીએ છીએ પણ ભારત સિવાયના વિશ્વમાં પણ હજજારો વર્ષ પહેલાં ચિકિત્સાનું જ્ઞાન હતું

વણલખ્યા ઈતિહાસનું અર્થઘટન કરવું અને તેના ખરેખરા તથ્યોને બરાબર રીતે જાણવા સમજવાનું કામ સહેલું નથી હોતું. તેમાં પણ ચિકિત્સા ક્ષેત્રના સાચા ઇતિહાસને સમજવાનું કામ અનેક પ્રકારની નિપુણતા માંગી લે છે. આપણા આયુર્વેદનું તો ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે અને વળી આયુર્વેદના ઉદભવમાં દિવ્ય અલૌકિક પ્રેરણા સ્ફુરણા જેવી બાબતોની મહત્વપૂર્ણ ભૂમિકા છે , પરંતું ભારત સિવાયના અન્ય દેશોમાં ચિકિત્સાશાસ્ત્રનો વિકાસ ક્રમિક રીતે ટુકડે ટુકડે થયો છે. આમ હજજારો વર્ષ અગાઉની તે બાબતોનો તાગ મેળવવો એક અલગ જ અભિયાન બની રહે છે. પ્રારંભિક કાળના માનવીઓના ચિત્રો, અસ્થીના અવશેષો અને વાઢકાપના સાધનોના અભ્યાસમાંથી તે સમયની ચિકિત્સા બાબતે ઘણું સમજી શકાય છે, તેમ છતાં રોગ અને મૃત્યુની સમસ્યાઓ પ્રત્યેના તેમના માનસિક વલણનું એકદમ ચોકસાઈથી જાણવું મુશ્કેલ છે. શક્ય છે કે, જેમ જેમ તેઓની તર્કબુદ્ધિ વિકસિત થતી ગઈ તેમ તેમ તેઓને નવા નવા પ્રયોગો કરવાની સમજ પ્રાપ્ત થતી ગઈ. તેઓએ ટ્રાયલ એન્ડ એરરની પ્રક્રિયા દ્વારા શોધી કાઢ્યું કે કયા છોડનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય છે, તેમાંથી કયા ઝેરી છે, અને તેમાંથી કયા ઔષધીય મૂલ્ય ધરાવે છે. ડોશી વૈદું કે ઘરેલું ઔષધો , જેમાં મોટાભાગે વનસ્પતિ ઉત્પાદનો અથવા જડીબુટ્ટીઓનો ઉપયોગ સામેલ છે, આ રીતે ઉદ્દભવ્યું છે અને હજુ પણ તે ચાલુ જ છે. ચિકિત્સાશાસ્ત્રએ જ્યારે એક સુવ્યવસ્થિત વિજ્ઞાનનું રૂપ ધારણ નહોતું કર્યું ત્યારે ઘણા સમય પહેલા લોકો મૃત્યુ અને રોગને કુદરતી ઘટના માનતા ન હતા. સામાન્ય બિમારીઓ, જેમ કે શરદી તાવ કે કબજિયાત અસ્તિત્વના ભાગ રૂપે સ્વીકારવામાં આવી હતી અને ઉપલબ્ધ હર્બલ ઉપચારો દ્વારા તેનો સામનો કરવામાં આવતો હતો. જો કે, ગંભીર અને જટિલ રોગોને ખૂબ જ અલગ શ્રેણીમાં મૂકવામાં આવ્યા હતા. તે વખતની પ્રજા એવું માનતી કે આવી વ્યાધિઓના મૂળ અલૌકિક જગતમાં હોય છે. લોકો માનતા કે આવા રોગ પોતાના શત્રુ દ્વારા કરવામાં આવેલ તંત્રમંત્રનું પરિણામ હોય છે. તેઓ માનતા કે આવી વ્યાધિ કોઈ દુષ્ટ રાક્ષસની દૃષ્ટિ, અથવા પોતાનાથી દુભાયેલી કોઈ વ્યક્તિનો શ્રાપ પણ હોઈ શકે. એવી માન્યતાઓ પણ હતી કે દેવ દેવી નારાઝ થાય ત્યારે શરીરમાં હઠીલા રોગ રોપે છે. એવું માનવામાં આવતું કે ગંભીર હઠીલા રોગ તેમને જ થાય જેમણે ખાનગીમાં કોઈ મોટું પાપ કે દુષ્કૃત્ય આચર્યું હોય. આવા રોગોને દૂર કરવાની રીત રસમ પણ એ જ પ્રકારના તંત્રમંત્ર તાવીજ ટોટકાની રહેતી. રોગને શરીરમાંથી બહાર કાઢવાની એક અનોખી પદ્ધતિમાં રોગીની ખોપરીમાં 2.5 થી 5 સેમી પહોળું કાણું પાડવામાં આવતું હતું. તેને – ટ્રેપેનિંગ કહેવામાં આવતું હતું. બ્રિટન, ફ્રાન્સ અને યુરોપના અન્ય ભાગો અને પેરુમાં પ્રાગૈતિહાસિક કાળની અનેક વાંકી ચૂકી ખોપરીઓ મળી આવી છે.

- Advertisement -

પ્રાગૈતિહાસિક અથવા પ્રારંભિક માનવ સમાજમાં ઉપચાર ક્ષેત્રે જાદુ અને ધાર્મિક વિધિઓની મોટી ભૂમિકા હતી

બાહ્ય હર્બલ લેપ કે મોઢેથી લેવાની વનસ્પતિજન્ય દવા સાથે મંત્રોચ્ચાર, નૃત્ય, ગ્રિમિંગ અને જાદુગરની બધી યુક્તિઓ પણ અજમાવવામાં આવતી

આ મહેની અનેક ખોપરીઓનું વિશ્લેષણ કર્યા પછી એવું તારણ નીકળે છે કે તે લોકો ચિકિત્સા હેઠળ હતા. આ પ્રથા હજુ પણ અલ્જેરિયા, મેલેનેશિયા અને કદાચ અન્યત્ર કેટલાક આદિવાસી લોકોમાં અસ્તિત્વમાં છે, જો કે તે ઝડપથી લુપ્ત થઈ રહી છે. પ્રાગૈતિહાસિક અથવા પ્રારંભિક માનવ સમાજમાં ઉપચાર ક્ષેત્રે જાદુ અને ધાર્મિક વિધિઓની મોટી ભૂમિકા હતી. બાહ્ય હર્બલ લેપ કે મોઢેથી લેવાની વનસ્પતિજન્ય દવા સાથે મંત્રોચ્ચાર, નૃત્ય, ગ્રિમિંગ અને જાદુગરની બધી યુક્તિઓ પણ અજમાવવામાં આવતી હતી. આમ આ જગતના પ્રથમ ડોકટરો અથવા “હીલર્સ”, જાદુગર અને તાંત્રિકો હતા. તાવીજ અને ટોટકાનો ઉપયોગ, જે હજુ આજે પણ આધુનિક સમયમાં પ્રચલિત છે, તેના મૂળ પ્રાચીન સમયના ધર્મમાં છે. ઘા અને તૂટેલા હાડકાંની સારવાર ઉપરાંત લોકશાસ્ત્રીય દવા કદાચ ઉપચારની કળાનું સૌથી પ્રાચીન પાસું છે, કારણ કે આદિમ ઉપચાર કરનારાઓએ સમગ્ર વ્યક્તિ, આત્મા તેમજ શરીરની સારવાર કરીને તેમની બુદ્ધિમત્તાનો પરિચય આપ્યો હતો. સારવાર અને દવાઓ કે જેની શરીર પર કોઈ શારીરિક અસર થતી નથી તે દર્દીને સારું અનુભવી શકે છે જ્યારે ઉપચાર કરનાર અને દર્દી બંને તેમની અસરકારકતામાં વિશ્વાસ કરે છે. આ કહેવાતી પ્લાસિબો અસર આધુનિક ક્લિનિકલ દવાઓમાં પણ લાગુ પડે છે.

- Advertisement -

પ્રાચીન ઇજિપ્ત અને મધ્યપૂર્વ
કેલેન્ડરની સિસ્ટમ અસ્તિત્વમાં આવી અને લેખનની શોધ થઈ તે પછી નોંધાયેલ ઇતિહાસને શરૂઆત તરીકે ચિહ્નિત કરવામાં આવે છે પણ પ્રારંભિક જ્ઞાનની કડીઓ ઓછી છે, જેમાં માત્ર ક્યુનિફોર્મ નિશાનોવાળી માટીની ગોળીઓ અને કેટલીક ખાસ મહોરનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ પ્રાચીન ચિકિત્સકો દ્વારા કરવામાં આવતો હતો. મેસોપોટેમીયા ફ્રાન્સમાં લુવર મ્યુઝિયમમાં ચાર હજાર વર્ષ બેબીલોનિયન રાજા કિયાહામ્મુરાબીના કોડ સાથે અંકિત પથ્થરના સ્તંભ રાખવામાં આવ્યો છે. તેના પર અમુક ખાસ કોડ અંકિત કરવામાં આવ્યા છે જે, તે સમયની તબીબી પ્રેક્ટિસને લગતા નિયમો નિર્દિષ્ટ કરે છે. તેમાં આ નિયમો પાળવાના નિષ્ફળ ગયે દંડનો પણ ઉલ્લેખ છે. ઉદાહરણ તરીકે, “જો ડોક્ટરથી ફોલ્લો ફોડતી વખતે દર્દી મરી જશે તો તેના હાથ કાપી નાખવામાં આવશે”; તેમાં એવી પણ સ્પષ્ટતા છે કે આ રીતે મૃત્યુ પામનર વ્યક્તિ જો ગુલામ હોય તો ડોકટરે ફક્ત નવા ગુલામ પૂરા પાડવાના રહેશે! ગ્રીક ઈતિહાસકાર હેરોડોટસે નોંધ્યું હતું કે દરેક બેબીલોનિયન એક કલાપ્રેમી ચિકિત્સક હતો, કારણ કે બીમારને શેરીમાં સુવરવવનો રિવાજ હતો જેથી ત્યાંથી પસાર થતા કોઈપણ વ્યક્તિ સલાહ આપી શકે. બલિ આપનાર પ્રાણીના લીવરનું નિરીક્ષણ કરીને રોગની આગાહી કરવામાં આવતી હતી. આ એક બહુ પ્રચલિત પરંપરા હતી. અલબત્ત ચિકિત્સા ક્ષેત્રે આજે બેબીલોનનું ક્યાંય નામ નથી. જ્યારે પ્રાચીન સમયના ચિકિત્સા ક્ષેત્રે ઇજિપ્તની વાત કરવામાં આવે ત્યારે સ્થિતિ ઘણી સ્પષ્ટ થઈ જાય છે. તે સમયના ત્યાંના ચિકિત્સક તરીકે સહુ પ્રથમ ઈમ્હોટેપનું નામ ઉપસી આવે છે. જે 2600 વર્ષ પહેલાં રાજા જોસરના મુખ્ય પ્રધાન હતા, જેમણે સૌથી જૂના પિરામિડમાંના એક, સક્કારા ખાતેના સ્ટેપ પિરામિડની રચના કરી હતી, અને જેને પછીથી ઈજિપ્તવાસીઓ અને ગ્રીકો દ્વારા દવાના દેવ તરીકે ઓળખવામાં આવ્યા હતા. ગ્રીક દેવતા એસ્ક્લેપિયસ સાથે તેને સમાન સ્થાન આપવામાં આવ્યું હતું. આ બાબતે ચોક્કસ જાણકારી ઇજિપ્તીયન પેપિરીના અભ્યાસમાંથી મળે છે, ખાસ કરીને 19મી સદીમાં શોધી કાઢવામાં આવેલા બે ઇજીપશિયાં ગ્રંથ, એબર્સ પેપિરસ અને એડવિન સ્મિથ પેપિરસ; તેમાં પ્રથમ ગ્રંથમાં મંત્રો અને જાપ સાથેના ઉપચારનું વર્ણન છે, જ્યારે બીજામાં જખ્મો અને અન્ય ઇજાઓની સારવાર પર શલ્ય ચિકિત્સા બાબતે વિસ્તૃત માહિતી છે.

એબર્સ પેપિરસ
અપેક્ષાથી વિપરિત પ્રાચીન સમયના ઇજિપ્તમાં મૃતદેહને ખાસ પ્રકારના લેપ લગાવી સાચવી રાખવાની વ્યાપક પ્રથાએ માનવ શરીર રચનાના અભ્યાસને ખાસ કાઈ પ્રોત્સાહન આપ્યું નથી. જો કે, મમીની જાળવણીના કારણે તે સમયના સામાન્ય રોગો અંગે ખાસ્સુ જાણી શકાયું છે. જેમાં સંધિવા, હાડકાનો ક્ષય, દાંતમાં સડો, મૂત્રાશયની પથરી અને પિત્તાશયની પથરીનો સમાવેશ થાય છે; પરોપજીવી રોગ શિસ્ટોસોમિયાસિસના પુરાવા પણ છે, જે હજુ પણ ખતરો છે. ત્યાં કોઈ સિફિલિસ અથવા રિકેટ્સ ન હોવાનું જણાય છે.

ઘા અને તૂટેલા હાડકાંની સારવાર ઉપરાંત લોકશાસ્ત્રીય દવા કદાચ ઉપચારની કળાનું સૌથી પ્રાચીન પાસું છે

પ્રાચીન ચિકિત્સા વિશેની માહિતીની શોધ કુદરતી રીતે ઇજિપ્તીયન પેપાયરી અને હિબ્રુ સાહિત્યથી શરૂ થાય છે. બાઇબલમાં પ્રાચીન ઈઝરાયેલની તબીબી પદ્ધતિઓ વિશે થોડી માહિતી હોવા છતાં, તે સામાજિક અને વ્યક્તિગત સ્વચ્છતા વિશેની માહિતી વધુ છે ખાણ છે. યહૂદીઓ વાસ્તવમાં જાહેર આરોગ્યમાં અગ્રણી હતા. જોકે એક પ્રકારના પદ્ધતિસરના શરૂઆતીથી લઈને આજના આધુનિક ચિકિત્સા વિજ્ઞાનના આવિર્ભાવના હજજારો વર્ષ પહેલા પણ કુદરતી સ્ત્રોતની વસ્તુઓનો ઔષધીય ઉપયોગ થતો હોવાના વૈજ્ઞાનિક ઢબના પુરાવાઓ છે. વનસ્પતિના વિવિધ ભાગ પ્રાણીઓના અવયવો તેમજ તેના રસ અને નાના જીવોના અંશો મિશ્રિત સંયોજનો હજારો વર્ષોના દસ્તાવેજી માનવ ઇતિહાસ કરતા પણ પ્રાચીન છે. ઈરાકમાં કુર્દીસ્તાનના ઝાગ્રોસ પર્વતમાળામાં શાનિદાર ગુફા સ્થળ પર પેલિયોનથ્રોપોલોજીકલ અભ્યાસ સૂચવે છે કે 60,000 વર્ષ પહેલાં, નિએન્ડરથલ્સ વિવિધ છોડના ઔષધીય ગુણધર્મોથી વાકેફ હોવા જોઇએ. એવું જોવા મળ્યું છે કે કેટલાક ફૂલોની પરાગ્રજોનો ઉપયોગ ઔષધ તરીકે થતો હતો. આ સ્થળ પરની કબરોના ખોદકામ દરમિયાન કેટલીક કબરોમાંથી વનસ્પતિ સંયોજનોના પુરાવા મળ્યા હતા. આપણા સમગ્ર ઉત્ક્રાંતિકાળ દરમિયાન કુદરતી ઉત્પાદનો પેદાશોનો ઔષધ તરીકેનો ઉપયોગ વિવિધ સ્વાસ્થ્ય વિજ્ઞાનનું એક અતૂટ પાસુ છે. આપણા પૂર્વજોના પણ પૂર્વજો આદિકાળથી પીડાને દૂર કરવા માટે અમુક જડીબુટ્ટીઓ ચાવતા હતા, અથવા હીલિંગ કરવા માટે ઘાની આસપાસ પાંદડા વીંટાળતા હતા, કુદરતી ઉત્પાદનો ઘણીવાર બીમારીઓ અને ઇજાઓની સારવારનું એકમાત્ર સાધન હતું. હકીકતમાં, રાસાયણિક સંયોજનો માટે ચોક્કસ પરમાણુઓને લક્ષ્ય બનાવવા માટે મોલેક્યુલર બાયોલોજી અને કોમ્બિનેટરી કેમિસ્ટ્રીના આગમનને પગલે, છેલ્લા દાયકાઓમાં જ કુદરતી ઉત્પાદનોએ દવાની શોધ અને દવાના વિકાસમાં ગૌણ ભૂમિકા ભજવી છે. જો કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં કુદરતી સંયોજનોના ઉપયોગમાં નવેસરથી રસ જોવા મળ્યો છે અને, વધુ અગત્યનું, દવાના વિકાસ માટેના પાયા તરીકે તેમની ભૂમિકા ફરીને પ્રસ્થાપિત થઈ રહી છે. કુદરતી ઉત્પાદનોની વૈવિધ્યસભર જૈવિક પ્રવૃત્તિઓ અને ઔષધીય સંભવિતતાને કારણે, લગભગ દરેક સંસ્કૃતિએ તેમના ઉપયોગનો અનુભવ કર્યો છે, તે ક્ષેત્રે જ્ઞાન વિકસાવ્યું છે. સૌથી જૂના તબીબી ગ્રંથો પ્રાચીન મેસોપોટેમીયામાંથી આવે છે. લગભગ 5000 થી પણ વધુ વર્ષ પહેલાં માટીની સેંકડો પાટી પર ક્યુનિફોર્મમાં આ ગ્રંથ લખાયેલ છે. તેમાં લગભગ 1,000થી વધુ છોડ અને છોડના પદાર્થોનું વર્ણન છે. તેમાં સેડ્રસ પ્રજાતિઓ (દેવદાર) માંથી તેલ, કોમીફોરા મેર્ર (મરહ) માંથી રેઝિન અને ખસખસના બીજ પાપાવર સોમનિફેરમ (ન્યુમેન એટ અલ, 2000) ના બીજનો અર્ક વિગેરેનું નિવેદન છે. આ મહે ઘણી જડીબુટ્ટીઓ અને ફોમ્ર્યુલેશન આજે પણ ઉપયોગમાં લેવાય છે. પ્રાચીન ઇજિપ્તના એબર્સ પેપિરસ, લગભગ 1550 બીસીથી, લગભગ 800 જટિલ પ્રિસ્ક્રિપ્શનો અને 700 થી વધુ કુદરતી એજન્ટો જેવા કે એલોવેરા (કુંવાર), બોસ્વેલિયા કાર્ટેરી (લોબાણ) અને રિસીનસ કોમ્યુનિસ (કેસ્ટર) તેલ (ઝોંગ અને વાન, 1999) ધરાવે છે. . પ્રખ્યાત ગ્રીક ચિકિત્સક, હિપ્પોક્રેટ્સ ઓફ કોસ (સી. 460-377 બીસી) એ 400 થી વધુ કુદરતી એજન્ટો એકત્રિત કર્યા અને તેમના કોર્પસ હિપ્પોક્રેટીકમમાં તેમના ઉપયોગોનું વર્ણન કર્યું. તેમણે રેચક તરીકે કેન્ટાલૂપના રસના ઉપયોગની નોંધ લીધી, ઓર્નિથોગલમ કૌડાટમ (સ્ક્વિલ) ના રસની મૂત્રવર્ધક અસરનું વર્ણન કર્યું અને એનેસ્થેટિક તરીકે એટ્રોપા બેલાડોના અર્કના ઉપયોગની વિગતવાર માહિતી આપી. તેમણે ડાયવર્સ્ટ્રમ આલ્બમ (સફેદ હેલેબોર) ના અર્કનો ઉપયોગ ઇમેટીક તરીકે અને સંધિવાની સારવારમાં સુધારો કરવા માટે ઓલિવ તેલનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ સૂચવ્યું (કાસ્ટિગ્લિયોની, 1985). રોમન ચિકિત્સકોએ આ વ્યાપક જ્ઞાન પર આધાર રાખ્યો અને તેમની પોતાની આંતરદૃષ્ટિ અને અનુભવો ઉમેર્યા. ઙયમફક્ષશીત ઉશજ્ઞતભજ્ઞશિમયત (ભ. 40-90 અઉ) એ ડી મટેરિયા મેડિકાનું સંકલન કર્યું, જેમાં લગભગ 600 છોડમાંથી મેળવેલી દવાઓની માત્રા અને અસરકારકતા વર્ણવવામાં આવી હતી અને યુરોપમાં ફાર્માકોલોજીનો પાયો નાખ્યો હતો (વુર્મથ, 2003). ગેલેન (129-200 એડી), અન્ય એક પ્રખ્યાત ગ્રીક ચિકિત્સક અને ફાર્માસિસ્ટ, 540 છોડમાંથી મેળવેલી દવાઓ રેકોર્ડ કરી અને બતાવ્યું કે હર્બલ અર્કમાં માત્ર ફાયદાકારક ઘટકો જ નહીં, પણ હાનિકારક ઘટકો પણ છે (CAI, 1992; ચાંગ અને જેન, 2004)

You Might Also Like

અમારી પાસે હણહણતું પત્રકારત્વ છે, ‘ખાસ-ખબર’ ભલભલાને દઝાડે છે અને લાયક વ્યક્તિને નિર્મળ શીતળતા આપે છે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વ્યવસાયિક વિશ્ર્વની નવી તકો ઉભી કરતું ક્ષેત્ર

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ…

એઇમ્સ અને હિરાસર એરપોર્ટે રાજકોટને નવી ઓળખ આપી

AI : અલાદ્દીનનો જીન

TAGGED: ayurveda, Pharmacology
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અર્થામૃત: નાનાભાઈની પત્ની, બહેન, પુત્રની પત્ની અને કન્યા-એ ચારે સમાન છે. એને જે કુદૃષ્ટિથી જુએ એને મારવામાં કોઈ પાપ નથી
Next Article પાકિસ્તાનમાં ચર્ચ પર હુમલો કરવા મસ્જિદોમાંથી ઉશ્કેરણી થઈ હતી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

વઢવાણ: પુત્રની સારવાર માટે ગયેલા પરિવારના રહેણાંક મકાનમાં ચોરી

khaskhabarrajkot khaskhabarrajkot 3 days ago
માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિરમાં લલિત ત્રિભંગી મુદ્રામાં બિરાજતાં ભગવાન શ્રીકૃષ્ણ
સોમવારે રામનાથ મહાદેવ મંદિરેથી બપોરે 3.30 કલાકેથી 102મી વર્ણાંગી નીકળશે
રાજકોટ શહેર ભાજપ કાર્યાલયે 79મા સ્વાતંત્ર્ય પર્વે વજુભાઈ વાળાના હસ્તે તિરંગાને સલામી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharyaખાસ-ખબર

અમારી પાસે હણહણતું પત્રકારત્વ છે, ‘ખાસ-ખબર’ ભલભલાને દઝાડે છે અને લાયક વ્યક્તિને નિર્મળ શીતળતા આપે છે

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Hemadri Acharya Dave

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વ્યવસાયિક વિશ્ર્વની નવી તકો ઉભી કરતું ક્ષેત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
મનીષ આચાર્ય

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ…

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?