સરકારને ઘેરવા મોંઘવારી સહિતના અનેક મુદાઓ છે જ તેના પર ધ્યાન આપો: NCP વડાની સલાહ
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં ઝડપથી બદલાઈ રહેલા રાજકીય સમીકરણો છે. અગાઉ ગૌતમ અદાણી મુદે સંયુક્ત સંસદીય તપાસ માટે વિપક્ષોની માંગણીથી અલગ સ્ટેન્ડ લેતા અને સુપ્રીમ કોર્ટ નિયુક્ત કમીટીની તપાસ યોગ્ય છે તેવું જણાવીને મોદી સરકાર માટે રાહત આપનાર એનસીપી નેતા શરદ પવારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીગ્રી મુદે આમ આદમી પાર્ટી તથા અન્ય વિપક્ષોએ જે પ્રશ્નો ઉઠાવ્યા છે.
તેની ટીકા કરતા કહ્યું કે આ કોઈ મુદો જ નથી અને આ પ્રકારના મુદાઓ ઉઠાવવા બદલ વિપક્ષો સામે નારાજગી દર્શાવી હતી. શ્રી પવારે કહ્યું કે વડાપ્રધાનની ડિગ્રી એ કોઈ વિવાદ નવી વિપક્ષો તેમનો સમય બરબાદ કરી રહ્યા છે.
અગાઉ અદાણી મુદે પણ શ્રી શરદ પવારે વિપક્ષોની ટીકા કરી હતી તથા બાદમાં તેમના ભત્રીજા અજીત પવારે પણ આ જ રીતે વિપક્ષોને આકરા શબ્દોમાં ઝાટકયા હતા. શ્રી મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકારને બેરોજગારી-કાયદો વ્યવસ્થા મોંઘવારી જેવા મુદાઓ પર ઘેરવી જોઈએ અથવા તો ધર્મ જાતિના મુદાઓ પર પણ જે લોકો વચ્ચે દિવાલો ઉભી કરવા પ્રયાસ થઈ રહ્યા છે તેના મુદે સરકારને ઘેરવી જોઈએ.
ડિગ્રી જેવા મુદાઓ પર સમય બરબાદ કરવો ખોટો છે. અગાઉ અદાણી-અંબાણી મુદે પણ પવારે કહ્યું હતું કે તેઓનું દેશ પ્રત્યે જે યોગદાન છે તે જોવાવું જોઈએ.
શરદ પવારના આ બદલાતા વલણથી વિપક્ષો આશ્ર્ચર્યમાં તેઓએ બીજી વખત વિપક્ષથી અલગ સ્ટેન્ડ લીધુ છે અને આગામી દિવસોમાં તેઓ કઈ બાજુ જશે તેના પર સૌની નજર છે.