પહેલગામ હુમલાને પગલે સિંધુ જળ સમજુતી રદ કર્યા બાદ…
પાકિસ્તાને ભારતને ચાર પત્રો લખ્યા : ભારતનો એક જ જવાબ – જયાં સુધી પાક. આતંકવાદ પર લગામ નહીં મૂકે, ત્યાં સુધી સિંધુ જળ સમજુતી સ્થગીત રહેશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.09
પહેલગામની આતંકી ઘટના બાદ સિંધુ જળ સમજૂતીને સ્થગીત કરવાના ભારતના નિર્ણય બાદ પાકિસ્તાનમાં બેચેની વધી રહી છે. પાકિસ્તાન આ સમજુતી લાગુ કરવા માટે ભારતને અત્યાર સુધીમાં ચાર-ચાર પત્ર લખી ચૂકયું છે. જલશક્તિ મંત્રાલયને લખેલા આ પત્રો આગળ વિચાર માટે વિદેશ મંત્રાલયને મોકલ્યા છે, દરમિયાન ભારત સરકાર સ્પષ્ટ કરી ચૂકી છે કે આતંકવાદ ચાલુ રહેવાને લઈને આ સંધી હાલ સ્થગીત જ રહેશે. ઉલ્લેખનીય છે કે, પહેલગામ હુમલા પહેલા ત્રણ મુખ્ય નદીઓ સિંધુ, ચિનાબ અને ઝેલમથી મળતા મોટાભાગના પાણીનો ઉપયોગ ભારત પોતાના અનુસાર કરી રહ્યું છે. સમજુતી અંતર્ગત મોટાભાગનું (80 ટકાથી વધુ) પાકિસ્તાન જતું હતું. આ ઉપરાંત રાવી, સતલજ, બિયાસનું પાણી પણ ભારત પોતાના હિસાબે છોડશે કે બંધ કરશે. બીજી બાજુ પાકિસ્તાનના લોકો પણ સિંધુમાં જળને લઈને પાક. સરકાર પર દબાણ કરી રહ્યા છે, તેને લઈને દેખાવો પણ થયા છે.