કોરોનાના કારણે ત્રણ વર્ષ બાદ બે દિવસની કવાયત શરૂ થઇ
1600 કિ.મીનો સાગર કાંઠો ધરાવતા રાજ્યના કચ્છથી વલસાડની દરિયાઇ સીમા પર આજથી સુરક્ષા એજન્સીઓએ બે દિવસની ‘ઓપરેશન સાગર સુરક્ષા કવચ’ કવાયત શરૂ કરી છે. જેમાં 12 જિલ્લાના સાગકરકાંઠાને આવતી લેવાશે. દરિયા કિનારો સુરક્ષા દૃષ્ટિએ અતિ સંવેદનશીલ માનવામાં આવે છે. જેમાં 1192 માં મુંબઇ સીરીયલ બ્લાસ્ટ હોય કે, 26-11નો હુમલો જે માટે ગુજરાતના દરિયાઇ માર્ગનો ઉપયોગ થયો છે. 26-11 ના હુમલા બાદ દરીયા કિનારાની સુરક્ષા કરતી એજન્સી વચ્ચે સંકલન નહી હોવાનુ એક કારણ સામે આવ્યુ હતુ. જે બાદથી કોસ્ટગાર્ડ દ્રારા વર્ષમાં બે વખત તમામ સુરક્ષા એજન્સીઓ સાથે મોટી કવાયત કરવામાં આવે છે.
નેવી, કોસ્ટગાર્ડ, કસ્ટમ, જીએમબી, ફિશરીસ, મરીન પોલીસ, ઈંઇ,રો, પોલીસ સહીતની એજન્સીઓ આ ઓપરેશનમાં જોડાઇ છે. દરીયાની અંદર, દરીયા કાંઠે, તેમજ દરીયા કિનારા પર આવેલા વિસ્તારોમાં કોઈ ઘુષણખોરી કે હથિયાર લઈને પહોચે તો સુરક્ષા જવાનોએ અન્ય એજન્સી સાથે કેવી રીતે સંકલન કરી શકે, તે માટે મોક ડ્રિલ યોજાશે.આ દરમ્યાન જવાનો ડમી આંતકીને પકડવામાં સફળ થયા તો ઈનામ માટે રૂપિયા 100 આપવામાં આવે છે. પરંતુ જો સુરક્ષામાં ચુક સામે આવે તો તે એજન્સી કે સુરક્ષા જવાનને વધુ સર્તક રહેવા માટે ઠપકો મળે છે.