પોરબંદરમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા – રાજુ ઓડેદરાએ નામાંકન પત્ર ભર્યું
ક્રાંતિ સભામાં લલિત વસોયાએ ભાજપ પર કર્યા આકરા પ્રહારો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર તા.17
પોરબંદરના સુદામા ચોક ખાતે કોંગ્રેસના ઉમેદવારોએ ક્રાંતિ સભા યોજ્યા બાદ જિલ્લા કલેકટર કે.ડી.લાખાણી તેમજ પ્રાંત અધિકારી સંદીપ જાદવ સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી ગઈકાલે પોરબંદરની મુખ્ય બજાર સુદામા ચોક ખાતે પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઇ વસોયા અને વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર રાજુભાઈ ઓડેદરાના સમર્થનમાં ક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં અને કોંગ્રેસના આગેવાનો સહિતના કાર્યકર્તાઓએ જીતનો દાવો કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણી તથા પોરબંદર લોકસભા બેઠકમાં જંગી બહુમતીથી કોંગ્રેસ વિજેતા બનશે તેવો આશાવાદ દર્શાવીને વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.
પોરબંદર લોકસભા બેઠકના કોગ્રેસના ઉમેદવાર લલીત વસોયા અને પોરબંદર વિધાનસભા બેઠકના ઉમેદવાર રાજુ ઓડેદરાએ નામાંકન પત્ર ભર્યું હતું ત્યાર બાદ લલીત વસોયાએ એવુ જણાવ્યુ હતુ કે હું સાચો સનાતની હિન્દુ છું, રામનુ નામ લેવા વાળો હિન્દુ છું,રામના નામે મત માંગવા વાળો હિન્દુ નથી અને રામના નામે નહીં મારા કામના નામે મત માંગુ છું અને વધુમા એવુ પણ જણાવ્યું હતુ કે સામેની પાર્ટી જે પધ્ધતિથી ચુંટણી લડશે તે જ પધ્ધતિથી હું ચુંટણી લડવાનો છું પોરબંદર જીલ્લો કોગ્રેસ મુકત થયો છે તેના જવાબમા લલીત વસોયાએ એવુ જણાવ્યુ હતું કે ખોટી અને મોટી વાતો કરવા ટેવાયેલા લોકો કોગ્રેસ મુકતની ભારત વાતો કરી રહ્યા બે માસ પહેલા પોરબંદર લોકસભા બેઠકના બે ઉમેદવારો કોગ્રેસમાંથી ભાજપમા ગયા છે .તેમ છતા મોટી સંખ્યામા કોગ્રેસના કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા તે અમારી તાકત છે. વસોયાએ એવુ પણ જણાવ્યું હતું કે ગુજરાતની 26 બેઠકો ભાજપ -કોગ્રેસ અને આપના કુલ 52 ઉમદવારો ફોર્મ ભરવાના છે. તેની મિલ્કતના આંકડા સામે આવશે તેમા સૌથી ગરીબ ઉમેદવાર હું છું પરંતુ પાણીદાર નેતા છું.લોકોના પ્રશ્નો માટે તાકાતથી લડીશ અને તેનો નિર્ણય લાવીશ ક્ષત્રિય સમાજનો વિરોધને લઇ એવુ જણાવ્યુ હતુ કે ક્ષત્રિયોનુ સ્ટેન્ડ નકકી છે. પ2સોતમ રૂપાલાને બદલાવામા નહીં આવેતો ભાજપ વિરોધમા મતદાન ક2શે તો પોરબંદર લોકસભા બેઠક પર મને ફાયદો થશે અંતમા એવુ પણ જણાવ્યું હતું કે પોરબંદરના અણઉકેલ પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરીશ.