By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એક પોડકાસ્ટમાં એલોન મસ્કે કહ્યું, “મારો જીવનસાથી અડધો ભારતીય છે, મારા પુત્રનું મધ્યમ નામ શેખર છે”
    1 day ago
    ચક્રવાત દિતવાહ: શ્રીલંકામાં ફસાયેલા ભારતીય નાગરિકોની છેલ્લી બેચને બહાર કાઢવામાં આવી છે
    1 day ago
    ઈઝરાયેલના નેતન્યાહુએ વર્ષોથી ચાલેલા ભ્રષ્ટાચારના કેસમાં માફી માંગી
    1 day ago
    દક્ષિણ થાઈલેન્ડમાં પૂરના કારણે ઓછામાં ઓછા 145 લોકોના મોત થયા
    3 days ago
    નૌકાદળના MH-60R હેલિકોપ્ટર ફ્લીટ સપોર્ટ માટે ભારતે US સાથે ₹7,995 કરોડનો સોદો કર્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં મોટો હોબાળો… રાવલપિંડીમાં કલમ 144 લાગુ
    4 hours ago
    નલિયા 10 ડિગ્રી સાથે ઠંડુંગાર
    4 hours ago
    ડિજિટલ જાળ : ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઊંઘ, થાક અને લાલચનો ઉપયોગ કરી મગજને ખરીદી તરફ દોરી જાય છે
    5 hours ago
    ગુજરાતની મતદાર યાદીમાં 90% જઈંછ કામગીરી પૂર્ણ: 40 લાખ મતદારોના નામ કપાશે!
    5 hours ago
    હવે તલાટી મંત્રીઓ રખડતાં શ્ર્વાન ક્યાં રહે છે તે જગ્યાઓ શોધશે !
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો, વિક્રમજનક SMAT સદી ફટકારી
    6 hours ago
    રોમાંચક મેચમાં ભારતનો ડંકો: આફ્રિકાને 17 રને હરાવી સિરિઝમાં 1-0ની લીડ
    1 day ago
    કોમનવેલ્થ-2030: ગુજરાત સરકાર ખાસ કંપની સ્થાપશેઃ હર્ષ સંઘવી ચેરમેન બનશે
    1 day ago
    ‘બસ ને ફોર્મ રમી રહ્યો છું..’: વિરાટ કોહલીએ રાંચીની પરાક્રમી હોવા છતાં ટેસ્ટ વાપસીની અફવાઓને ફગાવી દીધી
    1 day ago
    ‘કોચિંગ છોડ દે, વર્લ્ડ કપ ભૂલ જા’: ગૌતમ ગંભીર પર ચાહકોનો વિરોદ્ધ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    4 days ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    5 days ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    5 days ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    6 days ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    1 week ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    1 week ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હવે રેલવેમાં 24 કલાક પહેલાં જ બનશે વેઇટિંગ લિસ્ટ ચાર્ટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > હવે રેલવેમાં 24 કલાક પહેલાં જ બનશે વેઇટિંગ લિસ્ટ ચાર્ટ
રાષ્ટ્રીય

હવે રેલવેમાં 24 કલાક પહેલાં જ બનશે વેઇટિંગ લિસ્ટ ચાર્ટ

Khaskhabar Editor
Last updated: 2025/06/11 at 4:45 PM
Khaskhabar Editor 6 months ago
Share
6 Min Read
SHARE

ટૂંક સમયમાં દેશના અન્ય ભાગોમાં લાગુ થશે: ટ્રેન ઉપડવાના 24 કલાક પહેલા ક્ધફર્મ ટિકિટ થઇ કે નહિ તે જાણી શકાશે

રેલ્વેએ યાત્રિકોની સુવિધા માટે પહલ કરી: વેઇટિંગ લિસ્ટ ચાર્ટ 4 નહીં 24 કલાક પહેલા તૈયાર થશે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે એક સારા સમાચાર છે. રેલવે હવે એક નવો નિયમ લાવવાનું વિચારી રહી છે. આનાથી મુસાફરોને ટ્રેનમાં સીટ મેળવવામાં થતી મુશ્કેલી ઓછી થશે. નવા નિયમ મુજબ, રેલવે ટ્રેન ઉપડવાના 24 કલાક પહેલા ચાર્ટ જારી કરવાની યોજના બનાવી રહી છે. આવી સ્થિતિમાં, મુસાફરો 24 કલાક પહેલા જ તેમની સીટની સ્થિતિ જાણી શકશે.

હાલમાં ટ્રેન ઉપડવાના 4 કલાક પહેલા જ ખબર પડે છે કે તમારી સીટ ક્ધફર્મ છે કે નહીં. આનાથી દૂરથી આવતા મુસાફરોને ઘણી મુશ્કેલી પડે છે. તેઓ છેલ્લી ઘડી સુધી જાણતા નથી કે તેમની ટિકિટ ક્ધફર્મ છે કે નહીં. તમને જણાવી દઈએ કે ચાર્ટમાં કયા મુસાફરને કઈ સીટ મળી છે તેની માહિતી હોય છે.

રેલ્વેના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ યોજના 6 જૂનથી રાજસ્થાનના બિકાનેર ડિવિઝનમાં શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી કોઈ સમસ્યા આવી નથી. તેમણે કહ્યું, અમે થોડા વધુ અઠવાડિયા સુધી તેનો પ્રયાસ કરીશું. આનાથી ખબર પડશે કે કોઈ સમસ્યા છે કે નહીં. જો કોઈ સમસ્યા ઊભી થાય છે, તો તેને કેવી રીતે ઉકેલવી.

- Advertisement -

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ઘણી વખત મુસાફરોને સ્ટેશન પર પહોંચવાના થોડા કલાકો પહેલા ખબર પડે છે કે તેમની વેઇટિંગ લિસ્ટ ટિકિટ ક્ધફર્મ નથી. આનાથી તેમને ઘણી મુશ્કેલી પડે છે. 24 કલાક અગાઉથી જારી કરાયેલ ચાર્ટ લોકોને તેમની મુસાફરીનું આયોજન કરવામાં મદદ કરશે અને તણાવ પણ ઘટાડશે રેલ્વે અધિકારીઓ કહે છે કે આ નવી સિસ્ટમ મુસાફરોને તેમની મુસાફરીનું વધુ સારી રીતે આયોજન કરવામાં મદદ કરશે. ઉદાહરણ તરીકે, 100 કિમી કે તેથી વધુ અંતરેથી આવતા મુસાફરોને સ્ટેશન પર પહોંચવા માટે વધુ સારી માહિતી અને સમય મળશે. આનાથી છેલ્લી ઘડીની મુશ્કેલી ઓછી થશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નવો નિયમ છેલ્લી ઘડીએ મુસાફરી કરવાનું અને તત્કાલ ટિકિટ બુક કરાવવાનું આયોજન કરનારાઓને અસર કરશે નહીં. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રેન ઉપડવાના 24 કલાક પહેલા તત્કાલ ટિકિટ બુક કરવામાં આવતી હોવાથી, એક દિવસ પહેલા સંપૂર્ણ ચાર્ટ જાહેર કરવામાં કોઈ સમસ્યા નહીં રહે. હજુ સુધી સ્પષ્ટ નથી કે રેલવે ક્ધફર્મ રિઝર્વેશન ધરાવતા મુસાફરોની બીજી અને ત્રીજી યાદી જાહેર કરશે કે નહીં. કારણ કે શકય છે કે ઘણા મુસાફરો ક્ધફર્મ ટિકિટ હોવા છતાં છેલ્લા 24 કલાકમાં તેમનું બુકિંગ રદ કરે. એક સૂત્રએ જણાવ્યું હતું કે પહેલા પાયલોટ પ્રોજેક્ટ પૂર્ણ થવા દો, ત્યારબાદ મુસાફરોના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.

અગાઉ રેલ્વે રિઝર્વેશન ચાર્ટ સામાન્ય રીતે બે વાર તૈયાર કરવામાં આવતા હતા. પહેલો ચાર્ટ ટ્રેનના નિર્ધારિત પ્રસ્થાન સમયના ચાર કલાક પહેલા તૈયાર કરવામાં આવતો હતો અને બીજો અથવા અંતિમ, ચાર્ટ ટ્રેન પ્રસ્થાનના 30 મિનિટ પહેલા તૈયાર કરવામાં આવતો હતો. રેલવેને આશા છે કે મુસાફરોને આ નવો નિયમ ગમશે.

આ નવી વ્યવસ્થાની શરૂઆત 6 જૂનથી બીકાનેર ડિવિઝનમાં એક ટ્રેન પર પ્રયોગ તરીકે શરૂ કરી દીધી છે. રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બદલાવના શરૂઆતી ચાર દિવસમાં તેની અસર એકદમ સકારાત્મક જોવા મળી. મુસાફરોને ઘણી રાહત મળી અને તેમને યાત્રાનો પ્લાન કરવામાં વધારે સ્પષ્ટતા અને સમય મળ્યો છે.
અત્યાર સુધી રેલવે વેઇટિંગ લિસ્ટનો અંતિમ ચાર્ટ ટ્રેન ચાલવાના 2.5થી 4 કલાક પહેલા બનતો હતો. તેનાથી યાત્રીઓને આ નક્કી કરવામાં ખૂબ જ ઓછો સમય મળી શકતો હતો કે તેઓ યાત્રા કરી શકશે કે નહીં. પણ જો ચાર્ટ એક દિવસ પહેલા બની જશે, તો યાત્રી ફ્લાઇટ, બસ અથવા બીજી ટ્રેન જેવા વૈકલ્પિક સાધનોનો ઉપયોગ કરવા વિશે વિચારી શકે છે.

આ વ્યવસ્થા ખાસ કરીને એ રૂટ્સ પર વધારે ફાયદાકારક હશે, જ્યાં વેઇટિંગ લિસ્ટ હંમેશા લાંબી રહે છે, જેમ કે દિલ્હીથી બિહાર, ઉત્તર પ્રદેશ, બંગાળ અથવા યૂપી-બિહારથી મુંબઈ અને ગુજરાત વચ્ચે ચાલતી ટ્રેનો. આ રૂટ્સ પર હંમેશા વેઇટિંગ લિસ્ટ 400 સુધી પહોંચી જાય છે અને ટિકિટ રિગ્રેટ સ્ટેટસમાં આવી જાય છે. રેલવેના જણાવ્યા અનુસાર, એક દિવસ પહેલા ચાર્ટ તૈયાર થવાથી કોચની સંખ્યા વધારવા, કોલોની ટ્રેન ચલાવવા અને યાત્રીઓ માટે અતિરિક્ત વ્યવસ્થા કરવામાં પણ મદદ મળશે. જ્યારે રેલવેને પહેલાથી એ જાણકારી હશે કે કેટલા યાત્રી સફર કરશે અને કેટલા વેઇટિંગમાં છે, તો તે તેના અનુસાર પોતાનો પ્લાન બનાવી શકશે. રેલવેએ એવું પણ સ્પષ્ટ કર્યું છે કે આ નવી પહેલથી હાલના ટિકિટમાં કોઈ બદલાવ નહીં કરવામાં આવે. તત્કાલ ટિકિટ બુકિંગ અને અન્ય રિઝર્વેશન નિયમ પહેલા જેવા જ રહેશે. 21 મેના રોજ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે બીકાનેરનો -વાસ કર્યો હતો. જ્યાં સ્થાનિક રેલવે અધિકારીઓએ તેમને આ સૂચન આપ્યું હતું કે, ચાર્ટ તૈયાર કરવાની સમય સીમા વધારવામાં આવે. રેલ મંત્રીને આ વિચાર પસંદ આવ્યો અને તેમણે તરત તેને મંજૂરી આપી દીધી.

બીકાનેર ડિવિઝનમાં સફળ ટ્રાયલ બાદ રેલવે હવે તેને દેશના અન્ય ભાગમાં પણ લાગૂ કરવાનો પ્લાન બનાવી રહ્યું છે. ખાસ કરીને એ રુટસ પર જ્યાં વેઈટિંગ લિસ્ટ વધારે રહે છે અને યાત્રીઓની ભીડ વધારે હોય છે એટલે કે રેલવેની આ પહેલ ન ફક્ત યાત્રીઓ માટે યાત્રાનો પ્લાન બનાવવો સરળ થઈ જશે. પણ રેલવેને પણ ભીડભાડવાળી ટ્રેનોને મેનેજ કરવામાં મદદ મળશે. જો આ પ્રયોગ સફળ રહ્યો તો આવનારા સમયમાં દરેક યાત્રીને કમસે કમ એક દિવસ પહેલા આ જાણકારી મળી શકશે કે તેમની ટિકિટ ક્ધફર્મ થઈ કે નહીં.

You Might Also Like

પાકિસ્તાનમાં મોટો હોબાળો… રાવલપિંડીમાં કલમ 144 લાગુ

નલિયા 10 ડિગ્રી સાથે ઠંડુંગાર

ડિજિટલ જાળ : ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઊંઘ, થાક અને લાલચનો ઉપયોગ કરી મગજને ખરીદી તરફ દોરી જાય છે

ગુજરાતની મતદાર યાદીમાં 90% જઈંછ કામગીરી પૂર્ણ: 40 લાખ મતદારોના નામ કપાશે!

હવે તલાટી મંત્રીઓ રખડતાં શ્ર્વાન ક્યાં રહે છે તે જગ્યાઓ શોધશે !

TAGGED: Railways
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરેન્દ્રનગર જિલ્લામાં બે અલગ સ્થળોએ અકસ્માતમાં એકનું મોત
Next Article એક્સિયોમ-4 મિશનનું પ્રક્ષેપણ ટેકનિકલ ખામીને કારણે મુલતવી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો 2025 સંપન્ન: 5 દિવસમાં 11 લાખ જેટલી જનમેદની ઉમટી

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના પ્રવર્તમાન મંદિરની સંપૂર્ણતાને 30 વર્ષ પૂર્ણ થયા
ગીર સફારી બુકિંગની ફેક વેબસાઇટ બનાવી ફ્રોડ કરનાર રાશિદખાન5 દી’ રિમાન્ડ પર
લોએજના યુવકને જુગાર રમાડી રૂ. 60 લાખ પડાવ્યા, ધમકી આપી રૂ.1 કરોડની ઉઘરાણી અને ચેઇનની લૂંટ
જૂનાગઢ મહાપાલિકાના ઘન કચરા નિકાલમાં કડદો!
પાકિસ્તાનમાં મોટો હોબાળો… રાવલપિંડીમાં કલમ 144 લાગુ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પાકિસ્તાનમાં મોટો હોબાળો… રાવલપિંડીમાં કલમ 144 લાગુ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

નલિયા 10 ડિગ્રી સાથે ઠંડુંગાર

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

ડિજિટલ જાળ : ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઊંઘ, થાક અને લાલચનો ઉપયોગ કરી મગજને ખરીદી તરફ દોરી જાય છે

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?