વિજયનગર સોસાયટીના લોકોએ કલેક્ટરને રજુઆત કરીને રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના રવાપર રોડ ઉપર આવેલી વિજયનગર સોસાયટીનો મુખ્ય રોડ બાજુની સોસાયટીના લોકો દ્વારા બંધ કરી દેવામાં આવતા વિજયનગર સહિતની આજુબાજુની સોસાયટીઓના લોકોને અવર-જવર કરવામાં ભારે મુશ્કેલી પડે છે જેથી આ સોસાયટીના લોકોએ કલેકટરને રજુઆત કરીને રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી છે.
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિજયનગર 1, 2 સોસાયટીના લોકોએ કલેકટરને રજુઆત કરીને જણાવ્યું હતું કે, વિજયનગર 1, 2 સોસાયટીના લોકોનો જ્યાંથી છેલ્લા 35 વર્ષથી અવરજવર કરવાનો મુખ્ય માર્ગ છે એ માર્ગ બાજુની સોસાયટીના લોકોએ બંધ કરો દીધો છે જો કે બે વર્ષ અગાઉ પણ આ સોસાયટીનો મુખ્ય રસ્તો બંધ કરો દેવામાં આવ્યો હતો ત્યારે તંત્ર દ્વારા આ રસ્તાને ખુલ્લો કરવામાં આવ્યો હતો પરંતુ હવે ફરી પાછા 10 દિવસ પહેલા આ વિજયનગર સોસાયટીનો રસ્તો બંધ કરી દેવામાં આવતા આ સોસાયટીના લોકો સહિત આજુબાજુની સોસાયટીના લોકોને અવર-જવર કરવામાં ભારે હાલાકી પડે છે અને લોકોને ફરી ફરીને જવું પડે છે જેથી સોસાયટીના લોકોએ કલેક્ટરને રજુઆત કરીને તેમની સોસાયટીનો બંધ કરેલો રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી છે.
મોરબીના રવાપર રોડ પર વિજયનગરનો રસ્તો બાજુની સોસાયટીએ બંધ કરી દેતા રહીશોને હાલાકી
