By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા
    2 days ago
    ભારત-જર્મની દ્વિ-પક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર
    3 days ago
    ટ્રમ્પની ગૂંડાગીરી
    3 days ago
    ટ્રમ્પનું મોટું નિવેદન: ‘પુતિન વિરુદ્ધ માદુરો જેવી કાર્યવાહીની કોઈ જરૂર નથી'”
    5 days ago
    ટ્રેમ્પ ટેરિફ ટેરિફ કરતા રહ્યા અને ભારત માટે ચીન બન્યું સૌથી મોટું નિકાસ બજાર
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોન્ટ્રાક્ટ કર્મચારીઓ નિયમિત સ્ટાફ સમાન વેતનનો દાવો કરી શકશે નહીં: સુપ્રીમ કોર્ટ
    2 days ago
    કોર મોંઘવારી 28 મહિનામાં સૌથી વધુ 4.8 ટકા વધી : જાન્યુઆરીમાં રડાવશે
    2 days ago
    ઈરાન સાથે વેપાર કર્યો તો તાત્કાલિક 25% ટેરિફ લગાવીશું: ટ્રમ્પની જાહેરાત
    2 days ago
    જે લોકો રખડતાં કૂતરાને ખવડાવે છે તેઓ તેને ઘરે લઈ જાય: જઈ
    2 days ago
    શ્રમ મંત્રીએ ઝડપી વાણિજ્ય કંપનીઓને 10-મિનિટની ડિલિવરી બ્રાન્ડિંગ છોડી દેવાનો આદેશ આપ્યો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    3 days ago
    ભારત સાથેના વિવાદ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટાનનું છલકાયું દર્દ
    5 days ago
    રાજકોટમાં હાર્દિક પંડ્યાનું મેદાનમાં ફરી દેખાયું રૌદ્ર સ્વરૂપ
    7 days ago
    KKR-મુસ્તફિઝુર રહેમાન પંક્તિ સમજાવ્યું: કોણ વાંધો ઉઠાવી રહ્યું છે અને વિરોધ પાછળ શું છે
    2 weeks ago
    2026 માટે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમનું સંપૂર્ણ સમયપત્રક: મેચ, શ્રેણી, વિરોધ, સમય અને મહિનો તપાસો
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    4 weeks ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નવચેતન: વીસમી સદીનું પ્રથમ સાહિત્યિક માસિક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > નવચેતન: વીસમી સદીનું પ્રથમ સાહિત્યિક માસિક
AuthorBhavy Raval

નવચેતન: વીસમી સદીનું પ્રથમ સાહિત્યિક માસિક

Khaskhabar Editor
Last updated: 2022/10/08 at 6:05 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

નવચેતન અને ચાંપશી ઉદેશી

1 એપ્રિલ, 1922ના રોજ નવચેતન સામયિક શરૂ થયું હતું. લેખક-પત્રકાર ચાંપશી ઉદેશીએ નવચેતન સામયિક એકપણ રૂપિયાની મૂડી વિના શરૂ કર્યું હતું. નવચેતન વીસમી સદીનું પ્રથમ ગુજરાતી સાહિત્યિક માસિક હતું. 1922થી 1940 સુધી તેનું વાર્ષિક લવાજમ છ આના હતું. દૃતિય વિશ્વયુદ્ધ બાદ નવચેતનનું વાર્ષિક લવાજમ સાડા સાત રૂપિયા કરી નાખવામાં આવ્યું હતું. નવચેતન રોયલ આઠ પેજી સાઈઝમાં સચિત્ર વાંચન સાથે 48 પાનાંમાં પ્રગટ થતું હતું. નવચેતનમાં દર અંકે ત્રિરંગી કે દ્વિરંગી ચિત્રો પ્રગટ થતા હતા. નવચેતનની સામગ્રી અને સચિત્રતા એ સમયના માતબાર સામયિકોને પડકાર આપનારી હતી. ખાસ કરીને ગુજરાત સામયિક અને નવચેતન સામયિક વચ્ચે બરાબરની હરિફાઈ જામતી હતી જેમાં ઘણીવાર નવચેતન તો કેટલીકવાર ગુજરાત ચઢિયાતું સાબિત થતું હતું. આ બંને સામયિકોની હરિફાઈનો ભરપૂર ફાયદો તેના ગ્રાહકોને મળતો હતો. ગુજરાતી પત્રકારત્વના માધ્યમથી સાહિત્યનું સ્તર સુધારવામાં, નવોદિતોને લખવાની તક આપવામાં, વાંચકોને અવનવી લેખન સામગ્રી પીરસવામાં નવચેતન અને ગુજરાતી સામયિકની પ્રમુખ ભૂમિકા રહી હતી.

- Advertisement -

નવચેતન સામયિકને સાત વર્ષ પૂર્ણ થયા ત્યા સુધીમાં તે 10000 રૂપિયાની ખોટ કરી ચૂક્યું હતું. દર મહીને પ્રગટ થતું અને 1400 જેટલા ગ્રાહકો ધરાવતું હોવા છતાં ત્રિરંગી ચિત્રો, લેખોની સચિત્રતા, કોલકાતામાં મોંઘી પડતી ગુજરાતી મુદ્રણની છપાઈ વગેરે કારણોસર ચાંપશી ઉદેશી માટે નવચેતન ચલાવવું અઘરું પડી રહ્યું હતું. ચાંપશી ઉદેશીએ આર્થિક કટોકટી અને બીજા વિશ્વયુદ્ધ વચ્ચે 1942થી 1945 સુધી નવચેતન કોલકાતાથી વડોદરા લાવી પ્રગટ કરવાનું શરૂ કર્યું હતું. સાડા ત્રણ વર્ષ સુધી વડોદરામાંથી પ્રગટ થયા બાદ ફરી 1946થી નવચેતન પુન: કોલકાતાથી પ્રગટ થવા માંડ્યું હતું. બે વર્ષ બાદ એટલે કે ઓગષ્ટ, 1948માં ફરી નવચેતનનું નવું સરનામું અમદાવાદ બની ગયું હતું. નવચેતન અમદાવાદથી પ્રગટ થવાનું શરૂ થયા બાદ ચાંપશી ઉદેશીને મુકુંદ શાહનો સાથ-સહકાર મળ્યો હતો. ચાંપશી ઉદેશી અને મુકુંદ શાહની જોડી નવચેતનને નવચેતન આપવામાં સફળ રહી હતી. મુકુંદ શાહે ચાંપશી ઉદેશીની હાજરી અને ગેરહાજરી બંનેમાં નવચેતનને સંપૂર્ણ ન્યાય આપી ગુજરાતી સંસ્કારિતા અને સાહિત્યિક આબોહવાને જીવંત રાખતું સામયિક બનાવ્યું હતું. નવચેતન પછી મુકુંદ શાહ ચાંપશી ઉદેશીના બીજા માનસ પુત્ર કહેવાયા લાગ્યા હતા.
માત્ર સાહિત્યના માસિક તરીકેની જ ઓળખ ન ધરાવે તે માટે નવચેતનમાં ધર્મ, અધ્યાત્મ, વિજ્ઞાન, ભૂગોળ, ગણિત, ઈતિહાસ, શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકળા, ફિલ્મ વિવેચન, રમતગમત આદિ અનેક વિષયો પરના લેખો, વાર્તાઓ, લઘુનવલકથાઓ અને ધારાવાહિક નવલકથાઓ પ્રસિદ્ધ કરવામાં આવતી હતી. નવચેતનમાં કુ.મો. ઝવેરી, ચંદ્રશંકર પંડ્યા, શયદા, હરગોવિંદ કાંટાવાળા, લલિત, ધૂમકેતુ, બરુભાઈ ઉમરવાડીયા, દેશળજી પરમાર, વિજયરાય, આઈ.એસ.જે. તારાપોરવાળા, કેશવશેઠ, કુસુમાકર, મસ્તફકીર, બ.ક. ઠાકોર, રંગીલદાસ કાપડિયા, ગોકુલદાસ રાયચુરા, ધનસુખલાલ મહેતા વગેરે લેખકો શરૂઆતમાં લખતા હતા. નવચેતનમાં રવિશંકર રાવલ, પુરુષોત્તમ દત્તાત્રેય, ધુરંધર, રવિશંકર પંડિત, હેમેન્દ્રનાથ મજુમદાર, કનુ દેસાઈ વગેરે ચિત્રકારો આરંભમાં ચિત્રો દોરતા હતા. ચાંપશી ઉદેશીએ નવચેતન દ્વારા ઘણા નવા લેખકો – પત્રકારો – ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું. નવોદિતોને પ્રોત્સાહન સાથે વાંચકોને શિષ્ટ અને સંસ્કારી વાંચન સામગ્રી પીરસવું એ નવચેતનની નીતિ. અને નવચેતનની કાર્યપ્રણાલી વિશે તો શું કહેવું?

ગુજરાતી પત્રકારત્વની બે સદીના અંતે સો વર્ષની યાત્રા પૂર્ણ કરનારું સામયિક

કોઈ જ સંસ્થા કે ટ્રસ્ટની મદદ વિના માત્ર ગ્રાહકો – લવાજમના આધારે સામયિક ચલાવવું એ અઘરું નહીં, અશક્ય છે, આમ છતાં ચાંપશી ઉદેશીએ એકલા હાથે અશક્યને શક્ય કરી બતાવ્યું હતું

- Advertisement -

વિષયો પરના લેખો, વાર્તાઓ, લઘુનવલકથાઓ અને ધારાવાહિક નવલકથાઓ પ્રસિદ્ધ કરવામાં આવતી હતી. નવચેતનમાં કુ.મો. ઝવેરી, ચંદ્રશંકર પંડ્યા, શયદા, હરગોવિંદ કાંટાવાળા, લલિત, ધૂમકેતુ, બરુભાઈ ઉમરવાડીયા, દેશળજી પરમાર, વિજયરાય, આઈ.એસ.જે. તારાપોરવાળા, કેશવશેઠ, કુસુમાકર, મસ્તફકીર, બ.ક. ઠાકોર, રંગીલદાસ કાપડિયા, ગોકુલદાસ રાયચુરા, ધનસુખલાલ મહેતા વગેરે લેખકો શરૂઆતમાં લખતા હતા. નવચેતનમાં રવિશંકર રાવલ, પુરુષોત્તમ દત્તાત્રેય, ધુરંધર, રવિશંકર પંડિત, હેમેન્દ્રનાથ મજુમદાર, કનુ દેસાઈ વગેરે ચિત્રકારો આરંભમાં ચિત્રો દોરતા હતા. ચાંપશી ઉદેશીએ નવચેતન દ્વારા ઘણા નવા લેખકો – પત્રકારો – ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું. નવોદિતોને પ્રોત્સાહન સાથે વાંચકોને શિષ્ટ અને સંસ્કારી વાંચન સામગ્રી પીરસવું એ નવચેતનની નીતિ. અને નવચેતનની કાર્યપ્રણાલી વિશે તો શું કહેવું?

કોઈ જ સંસ્થા કે ટ્રસ્ટની મદદ વિના માત્ર ગ્રાહકો – લવાજમના આધારે સામયિક ચલાવવું એ અઘરું નહીં, અશક્ય છે. આમ છતાં ચાંપશી ઉદેશીએ એકલા હાથે અશક્યને શક્ય કરી બતાવ્યું હતું. ચાંપશી ઉદેશી કોલકાતામાં હતા ત્યારે તેમણે ગુજરાત ઍમેચ્યોર્સ ક્લબની સ્થાપના કરીને અનેક ગુજરાતી નાટકો ભજવ્યાં હતા અને તેમનું દિગ્દર્શન પણ કર્યું હતું. કોલકાતામાં 1936માં ચાંપશી ઉદેશીએ ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કરી હતી. ચાંપશી ઉદેશી નવચેતન ચલાવવા નાનું-મોટું કઈપણ કામકાજ કરી લેતા હતા.

સાહિત્યિક પ્રવૃત્તિમાંથી જે થોડાઘણા પૈસા મળતા તે ચાંપશી ઉદેશી નવચેતન સામયિકના મુદ્રણ, પ્રકાશન, લેખકોના પુરસ્કાર પાછળ ખર્ચી નાખતા હતા. ચાંપશી ઉદેશીની નવચેતનને ચલાવવા માટેની મહત્વકાંક્ષા એવી કે તેમણે તનતોડ મહેનત કરીને પણ નવચેતનને બંધ પડવા દીધું ન હતું. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ નવચેતનનું પ્રકાશન ચાંપશી ઉદેશીએ મરણ પર્યંત અવિરત ચાલુ રાખ્યું હતું. ચાંપશી ઉદેશીના અવસાન બાદ નવચેતનની સંચાલન – સંપાદનની સઘળી જવાબદારી મુકુંદ શાહે સંભાળી લીધી હતી. આગળ જતા મુકુંદ શાહને સ્વાસ્થ્ય સંબંધી તકલીફ થતા તેમણે નવચેતનની જવાબદારી પ્રીતિ શાહને સોંપી દીધી હતી. બાર વર્ષ સુધી નવચેતનની જવાબદારી સુપેરે સંભાળ્યા બાદ પ્રીતિ શાહે નવચેતનની જવાબદારી રજની વ્યાસને સોંપી દીધી હતી. રજની વ્યાસ બાદ નવચેતનનું સંચાલન – સંપાદન યશવંત મહેતા સંભાળતા આવ્યા છે.

ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશીએ કોલકાતાથી 1 એપ્રિલ, 1922ના રોજ પોતાના તંત્રીપદેથી શરૂ કરેલું નવચેતન સાહિત્યિક માસિકનું પ્રકાશન કરવામાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ચાંપશી ઉદેશીએ પશ્ચિમ બંગાળથી ગુજરાત આવીને નવચેતન સામયિક શરૂ કર્યા બાદ તેને ચાલુ રાખવા માટે એકવાર પત્નીના દાગીના વેચવા પડ્યા હતા તો એક સમયે તેઓ આપઘાત કરવા પણ તૈયાર થઈ ગયા હતા. ચાંપશી ઉદેશીએ નાટ્યસેવા બદલ મળેલો સુવર્ણચંદ્રક મારવાડીને વેંચી નાખેલો, માત્ર નવચેતન ચાલતું રહે તે માટે. રવિશંકર રાવલથી લઈ ઘણા હિતેચ્છુઓએ ચાંપશી ઉદેશીને નવચેતન શરૂ ન કરવા કે આગળ ન ચલાવવાની સલાહ આપી હતી. તમામ અડચણો વચ્ચે ચાંપશી ઉદેશીએ નોંધ્યું હતું કે, ’મારું મન પાછું ફરી ન જાય કે મારાથી હિંમત હારી ન જવાય એ માટે મેં હાથમાં પાણી લઈ સંકલ્પ કર્યો કે ગમે તેટલા કષ્ટો આવે પણ પ્રાણાન્ત સુધી નવચેતનને નિભાવવું ને જીવાડવું.’ ચાંપશી ઉદેશીની આ નોંધ આજે ગુજરાતી પત્રકારત્વની બે સદીના ઈતિહાસમાં અમર બની ગઈ છે. ચાંપશી ઉદેશી ચેતનવંત નથી રહ્યા પરંતુ તેમનું માસિક નવચેતન હજુ પણ ચેતનવંત છે. ગુજરાતી પત્રકારત્વની બે સદીના અંતે સો વર્ષની યાત્રા પૂર્ણ કરનારું સામયિક નવચેતન એ એક એવું સામયિક છે જે શરૂ થતાની સાથે જ બંધ થવાનું હતું, આજે નવચેતન એ એક એવું સામયિક બની ગયું છે જેણે પ્રકાશનના સો વર્ષ પૂર્ણ કરી એકસો એકમાં વર્ષમાં પ્રવેશ કરી લીધો છે!

વધારો : 24 એપ્રિલ, 1892માં મોરબી પાસેના ટંકારા ગામમાં જન્મેલા ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશીનું 26 ફેબ્રુઆરી, 1974 અમદાવાદમાં નિધન થયું હતું. ચાંપશી ઉદેશીએ પહેલા કવિતાઓ લખેલી, પછી નાટકો અને નવલકથાઓ લખ્યા હતા. શિક્ષક બન્યા બાદ સપનું સેવ્યું કે સારું સચિત્ર સામયિક પ્રકાશિત કરવું. પ્રતિજ્ઞા લીધી કે ‘મારા પ્રાણનું અમી મારા માસિક નવચેતનમાં સિંચીશ.’ ગુજરાતી પત્રકારત્વમાં નવચેતન સામયિકના પ્રકાશન સિવાય તેમણે સાહિત્યના ઘણા પુસ્તકો લખ્યાં છે. કાવ્યકલાપ (કાવ્યસંગ્રહ) 1918, જંજીરને ઝણકારે (નવલકથા) 1925, તાતી તલવાર (નવલકથા) 1928, આશાની ઈમારત (નવલકથા) 1930, નસીબની બલિહારી (નવલકથા) 1934, માનવહૈયાં (નવલકથા) 1943, મધુબિંદુ (વાર્તાસંગ્રહ) 1945, સ્મૃતિસંવેદન (આત્મકથા) 1954, જીવનઘડતર (ચિંતનલેખો) 1968, જીવનમાંગલ્ય (ચિંતનલેખો) 1970, જીવનવિકાસ (ચિંતનલેખો) 1973, હૈયું અને શબ્દ (કાવ્યસંગ્રહ) 1973 વગેરે ચાંપશી ઉદેશીના જાણીતા પુસ્તકો છે.

You Might Also Like

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ

ધ ગ્રેટ બ્રિટનનો ધ ગ્રેટ ’ધી એન્ડ’?

અંગૂઠાના નખ જેવડી માછલી સિંહથી મોટી ગર્જના કરી શકે છે

ઓમકાર અને પ્રાણાયામથી 120 બીમારીઓ થશે દૂર

મનની શક્તિ અપાર

TAGGED: chapsiudeshi, JOURNALISM, navchetan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 20000000000000000 કીડી પૃથ્વી પર વ્યક્તિદીઠ 25 લાખ કીડી વસે છે
Next Article કર્મયુધ્ધ: OTT પર મહા(ભારત) સાગા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ગીર સોમનાથના તાલાલા ખાતે થશે 26મી જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણી થશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
તાલાલાનાં રસુલપરા ગીર ગામે હિંસક દિપડાએ પરપ્રાંતિય શ્રમજીવી પર હુમલો કરતા મોત
પતંગબાજી, ઊંધિયું અને જીવદયાના ત્રિવેણી સંગમ સાથે મકરસંક્રાંતિ ઉજવશે
ધ્રાંગધ્રાના હરિપર ગામે મંજૂર થયેલી ૠઈંઉઈનું સ્થળ બદલવાની માંગ
ધ્રાંગધ્રાના ધ્રુમઠ ગામે નદીમાં ગેરકાયદે રેતી ચોરી સામે ઉચ્ચસ્તરે રજૂઆત
વાઇબ્રન્ટ સમિટમાં સિરામિક ક્ષેત્રે રૂપિયા 1460 કરોડના ખઘઞ: મોરબીમાં હાઈ-ટેક લેબોરેટરી બનશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

ધ ગ્રેટ બ્રિટનનો ધ ગ્રેટ ’ધી એન્ડ’?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
મનીષ આચાર્ય

અંગૂઠાના નખ જેવડી માછલી સિંહથી મોટી ગર્જના કરી શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?