By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    UNSCમાં ભારતને મોટી સફળતા, પાકિસ્તાનનો પરાજય થયો, ચીને પણ મૌન સાધ્યું
    16 hours ago
    કેલિફોર્નિયામાં એર સ્ટેશન નજીક યુએસ નેવી એફ-35 ફાઇટર જેટ ક્રેશ થયું
    18 hours ago
    ચીનમાં બાળકના જન્મ પર રૂપિયા 1.30 લાખની સહાય: વન ચાઈલ્ડ નીતિએ જન્મદર અડધો કર્યો
    2 days ago
    ‘મેડે-મેડે’, બોઇંગ 787-8, યુએસ ફ્લાઇટનું ટેક ઓફ થયાના થોડા જ સેકન્ડમાં એન્જિન ફેલ થઈ
    2 days ago
    રશિયામાં 8.8ની તીવ્રતાના ભૂકંપથી પેસિફિક સુનામીનું એલર્ટ જાહેર: જાપાન, અમેરિકા ભયમાં
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં મગફળીનું રેકોર્ડબ્રેક વાવેતર : કુલ 77% વાવણી પૂર્ણ
    12 hours ago
    દિલ્હી-રાજસ્થાનમાં ભારે વરસાદનો દોર: નદીઓ છલકાઈ, પૂર જેવી સ્થિતિ, સ્કૂલો બંધ
    12 hours ago
    BRICSના લીધે ટ્રમ્પે ભારત પર લાદ્યો 25% ટેરિફ
    13 hours ago
    ઈરાન – રશિયા પાસેથી ઓઇલ ખરીદવાની ભારતને સજા: ટ્રમ્પે 6 કંપની પર પ્રતિબંધ લગાવ્યો
    13 hours ago
    રાત-દિવસ બેલ્ટથી મારતા, ભોજન ન આપતા, સાધ્વી પ્રજ્ઞાએ જેલમાં અસહ્ય યાતના ભોગવી
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC ઓલરાઉન્ડર્સ રેન્કિંગ્સમાં જાડેજા સતત 1239 દિવસથી નંબર-1
    12 hours ago
    આવતીકાલથી ઓવલ ટેસ્ટ : ભારત માટે ‘કરો યા મરો’નો મુકાબલો
    2 days ago
    ‘બેન સ્ટોક્સ બગડેલા બાળક જેવું વર્તન કરતો હતો… બગાડી નાખે તેવી રમત’
    4 days ago
    ત્રીજા દિવસે ઇંગ્લેન્ડે સાત વિકેટે 544 રન કર્યા, ભારત સામે 186 રનની લીડ મેળવી
    6 days ago
    ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો: રિષભ પંત ચાલુ મેચમાં થયો ઈજાગ્રસ્ત, 6 સપ્તાહ સુધી આરામ કરશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ચંપક ચાચા ખૂબ મોટા પ્રેંકસ્ટર…. મુનમુન દત્તા
    15 hours ago
    ‘અવતાર 3’નું જોરદાર ટ્રેલર રિલીઝ, ફરી એકવાર પેન્ડોરાની જાદુઈ દુનિયામાં લઈ જશે
    2 days ago
    તારક મહેતા શૉના સેટ પર ટોર્ચર……..જેનિફર મિસ્ત્રીએ પ્રોડક્શન હાઉસની પોલ ખોલી
    2 days ago
    ‘સૈયારા’ની જોડી IMDBના ટોપ 10 સેલિબ્રિટિઝની યાદીમાં સામેલ
    4 days ago
    ફિલ્મ વોર 2નું ટ્રેલર રીલીઝ, બંને સ્ટાર્સ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    નાગ પંચમીના દિવસે અપનાવશો આ ઉપાય તો નાગ દેવતા થશે પ્રસન્ન
    3 days ago
    વિશ્ર્વનું એકમાત્ર કાચબા મંદિર : જીવંત કાચબા છે શિવજીનું પ્રતીક
    4 days ago
    શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરવા માટે શિવલિંગ પર જળ ચડાવતી વખતે આ મંત્રોના જાપ કરો
    4 days ago
    શ્રાવણ 2025 : શ્રાવણમાં ઉપવાસ કરો છો ત્યારે આ વાતોનું ખાસ ધ્યાન રાખો
    7 days ago
    ભોળાનાથને રિઝવવાનો મહિનો એટલે પવિત્ર શ્રાવણ માસ
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ RTOનું નવુ બિલ્ડિંગ તૈયાર પરંતુ R&B પાપે ખંઢેર બન્યું !
    3 days ago
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    2 weeks ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    2 weeks ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    3 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નવચેતન: વીસમી સદીનું પ્રથમ સાહિત્યિક માસિક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > નવચેતન: વીસમી સદીનું પ્રથમ સાહિત્યિક માસિક
AuthorBhavy Raval

નવચેતન: વીસમી સદીનું પ્રથમ સાહિત્યિક માસિક

Khaskhabar Editor
Last updated: 2022/10/08 at 6:05 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

નવચેતન અને ચાંપશી ઉદેશી

1 એપ્રિલ, 1922ના રોજ નવચેતન સામયિક શરૂ થયું હતું. લેખક-પત્રકાર ચાંપશી ઉદેશીએ નવચેતન સામયિક એકપણ રૂપિયાની મૂડી વિના શરૂ કર્યું હતું. નવચેતન વીસમી સદીનું પ્રથમ ગુજરાતી સાહિત્યિક માસિક હતું. 1922થી 1940 સુધી તેનું વાર્ષિક લવાજમ છ આના હતું. દૃતિય વિશ્વયુદ્ધ બાદ નવચેતનનું વાર્ષિક લવાજમ સાડા સાત રૂપિયા કરી નાખવામાં આવ્યું હતું. નવચેતન રોયલ આઠ પેજી સાઈઝમાં સચિત્ર વાંચન સાથે 48 પાનાંમાં પ્રગટ થતું હતું. નવચેતનમાં દર અંકે ત્રિરંગી કે દ્વિરંગી ચિત્રો પ્રગટ થતા હતા. નવચેતનની સામગ્રી અને સચિત્રતા એ સમયના માતબાર સામયિકોને પડકાર આપનારી હતી. ખાસ કરીને ગુજરાત સામયિક અને નવચેતન સામયિક વચ્ચે બરાબરની હરિફાઈ જામતી હતી જેમાં ઘણીવાર નવચેતન તો કેટલીકવાર ગુજરાત ચઢિયાતું સાબિત થતું હતું. આ બંને સામયિકોની હરિફાઈનો ભરપૂર ફાયદો તેના ગ્રાહકોને મળતો હતો. ગુજરાતી પત્રકારત્વના માધ્યમથી સાહિત્યનું સ્તર સુધારવામાં, નવોદિતોને લખવાની તક આપવામાં, વાંચકોને અવનવી લેખન સામગ્રી પીરસવામાં નવચેતન અને ગુજરાતી સામયિકની પ્રમુખ ભૂમિકા રહી હતી.

- Advertisement -

નવચેતન સામયિકને સાત વર્ષ પૂર્ણ થયા ત્યા સુધીમાં તે 10000 રૂપિયાની ખોટ કરી ચૂક્યું હતું. દર મહીને પ્રગટ થતું અને 1400 જેટલા ગ્રાહકો ધરાવતું હોવા છતાં ત્રિરંગી ચિત્રો, લેખોની સચિત્રતા, કોલકાતામાં મોંઘી પડતી ગુજરાતી મુદ્રણની છપાઈ વગેરે કારણોસર ચાંપશી ઉદેશી માટે નવચેતન ચલાવવું અઘરું પડી રહ્યું હતું. ચાંપશી ઉદેશીએ આર્થિક કટોકટી અને બીજા વિશ્વયુદ્ધ વચ્ચે 1942થી 1945 સુધી નવચેતન કોલકાતાથી વડોદરા લાવી પ્રગટ કરવાનું શરૂ કર્યું હતું. સાડા ત્રણ વર્ષ સુધી વડોદરામાંથી પ્રગટ થયા બાદ ફરી 1946થી નવચેતન પુન: કોલકાતાથી પ્રગટ થવા માંડ્યું હતું. બે વર્ષ બાદ એટલે કે ઓગષ્ટ, 1948માં ફરી નવચેતનનું નવું સરનામું અમદાવાદ બની ગયું હતું. નવચેતન અમદાવાદથી પ્રગટ થવાનું શરૂ થયા બાદ ચાંપશી ઉદેશીને મુકુંદ શાહનો સાથ-સહકાર મળ્યો હતો. ચાંપશી ઉદેશી અને મુકુંદ શાહની જોડી નવચેતનને નવચેતન આપવામાં સફળ રહી હતી. મુકુંદ શાહે ચાંપશી ઉદેશીની હાજરી અને ગેરહાજરી બંનેમાં નવચેતનને સંપૂર્ણ ન્યાય આપી ગુજરાતી સંસ્કારિતા અને સાહિત્યિક આબોહવાને જીવંત રાખતું સામયિક બનાવ્યું હતું. નવચેતન પછી મુકુંદ શાહ ચાંપશી ઉદેશીના બીજા માનસ પુત્ર કહેવાયા લાગ્યા હતા.
માત્ર સાહિત્યના માસિક તરીકેની જ ઓળખ ન ધરાવે તે માટે નવચેતનમાં ધર્મ, અધ્યાત્મ, વિજ્ઞાન, ભૂગોળ, ગણિત, ઈતિહાસ, શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકળા, ફિલ્મ વિવેચન, રમતગમત આદિ અનેક વિષયો પરના લેખો, વાર્તાઓ, લઘુનવલકથાઓ અને ધારાવાહિક નવલકથાઓ પ્રસિદ્ધ કરવામાં આવતી હતી. નવચેતનમાં કુ.મો. ઝવેરી, ચંદ્રશંકર પંડ્યા, શયદા, હરગોવિંદ કાંટાવાળા, લલિત, ધૂમકેતુ, બરુભાઈ ઉમરવાડીયા, દેશળજી પરમાર, વિજયરાય, આઈ.એસ.જે. તારાપોરવાળા, કેશવશેઠ, કુસુમાકર, મસ્તફકીર, બ.ક. ઠાકોર, રંગીલદાસ કાપડિયા, ગોકુલદાસ રાયચુરા, ધનસુખલાલ મહેતા વગેરે લેખકો શરૂઆતમાં લખતા હતા. નવચેતનમાં રવિશંકર રાવલ, પુરુષોત્તમ દત્તાત્રેય, ધુરંધર, રવિશંકર પંડિત, હેમેન્દ્રનાથ મજુમદાર, કનુ દેસાઈ વગેરે ચિત્રકારો આરંભમાં ચિત્રો દોરતા હતા. ચાંપશી ઉદેશીએ નવચેતન દ્વારા ઘણા નવા લેખકો – પત્રકારો – ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું. નવોદિતોને પ્રોત્સાહન સાથે વાંચકોને શિષ્ટ અને સંસ્કારી વાંચન સામગ્રી પીરસવું એ નવચેતનની નીતિ. અને નવચેતનની કાર્યપ્રણાલી વિશે તો શું કહેવું?

ગુજરાતી પત્રકારત્વની બે સદીના અંતે સો વર્ષની યાત્રા પૂર્ણ કરનારું સામયિક

કોઈ જ સંસ્થા કે ટ્રસ્ટની મદદ વિના માત્ર ગ્રાહકો – લવાજમના આધારે સામયિક ચલાવવું એ અઘરું નહીં, અશક્ય છે, આમ છતાં ચાંપશી ઉદેશીએ એકલા હાથે અશક્યને શક્ય કરી બતાવ્યું હતું

- Advertisement -

વિષયો પરના લેખો, વાર્તાઓ, લઘુનવલકથાઓ અને ધારાવાહિક નવલકથાઓ પ્રસિદ્ધ કરવામાં આવતી હતી. નવચેતનમાં કુ.મો. ઝવેરી, ચંદ્રશંકર પંડ્યા, શયદા, હરગોવિંદ કાંટાવાળા, લલિત, ધૂમકેતુ, બરુભાઈ ઉમરવાડીયા, દેશળજી પરમાર, વિજયરાય, આઈ.એસ.જે. તારાપોરવાળા, કેશવશેઠ, કુસુમાકર, મસ્તફકીર, બ.ક. ઠાકોર, રંગીલદાસ કાપડિયા, ગોકુલદાસ રાયચુરા, ધનસુખલાલ મહેતા વગેરે લેખકો શરૂઆતમાં લખતા હતા. નવચેતનમાં રવિશંકર રાવલ, પુરુષોત્તમ દત્તાત્રેય, ધુરંધર, રવિશંકર પંડિત, હેમેન્દ્રનાથ મજુમદાર, કનુ દેસાઈ વગેરે ચિત્રકારો આરંભમાં ચિત્રો દોરતા હતા. ચાંપશી ઉદેશીએ નવચેતન દ્વારા ઘણા નવા લેખકો – પત્રકારો – ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું. નવોદિતોને પ્રોત્સાહન સાથે વાંચકોને શિષ્ટ અને સંસ્કારી વાંચન સામગ્રી પીરસવું એ નવચેતનની નીતિ. અને નવચેતનની કાર્યપ્રણાલી વિશે તો શું કહેવું?

કોઈ જ સંસ્થા કે ટ્રસ્ટની મદદ વિના માત્ર ગ્રાહકો – લવાજમના આધારે સામયિક ચલાવવું એ અઘરું નહીં, અશક્ય છે. આમ છતાં ચાંપશી ઉદેશીએ એકલા હાથે અશક્યને શક્ય કરી બતાવ્યું હતું. ચાંપશી ઉદેશી કોલકાતામાં હતા ત્યારે તેમણે ગુજરાત ઍમેચ્યોર્સ ક્લબની સ્થાપના કરીને અનેક ગુજરાતી નાટકો ભજવ્યાં હતા અને તેમનું દિગ્દર્શન પણ કર્યું હતું. કોલકાતામાં 1936માં ચાંપશી ઉદેશીએ ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કરી હતી. ચાંપશી ઉદેશી નવચેતન ચલાવવા નાનું-મોટું કઈપણ કામકાજ કરી લેતા હતા.

સાહિત્યિક પ્રવૃત્તિમાંથી જે થોડાઘણા પૈસા મળતા તે ચાંપશી ઉદેશી નવચેતન સામયિકના મુદ્રણ, પ્રકાશન, લેખકોના પુરસ્કાર પાછળ ખર્ચી નાખતા હતા. ચાંપશી ઉદેશીની નવચેતનને ચલાવવા માટેની મહત્વકાંક્ષા એવી કે તેમણે તનતોડ મહેનત કરીને પણ નવચેતનને બંધ પડવા દીધું ન હતું. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ નવચેતનનું પ્રકાશન ચાંપશી ઉદેશીએ મરણ પર્યંત અવિરત ચાલુ રાખ્યું હતું. ચાંપશી ઉદેશીના અવસાન બાદ નવચેતનની સંચાલન – સંપાદનની સઘળી જવાબદારી મુકુંદ શાહે સંભાળી લીધી હતી. આગળ જતા મુકુંદ શાહને સ્વાસ્થ્ય સંબંધી તકલીફ થતા તેમણે નવચેતનની જવાબદારી પ્રીતિ શાહને સોંપી દીધી હતી. બાર વર્ષ સુધી નવચેતનની જવાબદારી સુપેરે સંભાળ્યા બાદ પ્રીતિ શાહે નવચેતનની જવાબદારી રજની વ્યાસને સોંપી દીધી હતી. રજની વ્યાસ બાદ નવચેતનનું સંચાલન – સંપાદન યશવંત મહેતા સંભાળતા આવ્યા છે.

ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશીએ કોલકાતાથી 1 એપ્રિલ, 1922ના રોજ પોતાના તંત્રીપદેથી શરૂ કરેલું નવચેતન સાહિત્યિક માસિકનું પ્રકાશન કરવામાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ચાંપશી ઉદેશીએ પશ્ચિમ બંગાળથી ગુજરાત આવીને નવચેતન સામયિક શરૂ કર્યા બાદ તેને ચાલુ રાખવા માટે એકવાર પત્નીના દાગીના વેચવા પડ્યા હતા તો એક સમયે તેઓ આપઘાત કરવા પણ તૈયાર થઈ ગયા હતા. ચાંપશી ઉદેશીએ નાટ્યસેવા બદલ મળેલો સુવર્ણચંદ્રક મારવાડીને વેંચી નાખેલો, માત્ર નવચેતન ચાલતું રહે તે માટે. રવિશંકર રાવલથી લઈ ઘણા હિતેચ્છુઓએ ચાંપશી ઉદેશીને નવચેતન શરૂ ન કરવા કે આગળ ન ચલાવવાની સલાહ આપી હતી. તમામ અડચણો વચ્ચે ચાંપશી ઉદેશીએ નોંધ્યું હતું કે, ’મારું મન પાછું ફરી ન જાય કે મારાથી હિંમત હારી ન જવાય એ માટે મેં હાથમાં પાણી લઈ સંકલ્પ કર્યો કે ગમે તેટલા કષ્ટો આવે પણ પ્રાણાન્ત સુધી નવચેતનને નિભાવવું ને જીવાડવું.’ ચાંપશી ઉદેશીની આ નોંધ આજે ગુજરાતી પત્રકારત્વની બે સદીના ઈતિહાસમાં અમર બની ગઈ છે. ચાંપશી ઉદેશી ચેતનવંત નથી રહ્યા પરંતુ તેમનું માસિક નવચેતન હજુ પણ ચેતનવંત છે. ગુજરાતી પત્રકારત્વની બે સદીના અંતે સો વર્ષની યાત્રા પૂર્ણ કરનારું સામયિક નવચેતન એ એક એવું સામયિક છે જે શરૂ થતાની સાથે જ બંધ થવાનું હતું, આજે નવચેતન એ એક એવું સામયિક બની ગયું છે જેણે પ્રકાશનના સો વર્ષ પૂર્ણ કરી એકસો એકમાં વર્ષમાં પ્રવેશ કરી લીધો છે!

વધારો : 24 એપ્રિલ, 1892માં મોરબી પાસેના ટંકારા ગામમાં જન્મેલા ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશીનું 26 ફેબ્રુઆરી, 1974 અમદાવાદમાં નિધન થયું હતું. ચાંપશી ઉદેશીએ પહેલા કવિતાઓ લખેલી, પછી નાટકો અને નવલકથાઓ લખ્યા હતા. શિક્ષક બન્યા બાદ સપનું સેવ્યું કે સારું સચિત્ર સામયિક પ્રકાશિત કરવું. પ્રતિજ્ઞા લીધી કે ‘મારા પ્રાણનું અમી મારા માસિક નવચેતનમાં સિંચીશ.’ ગુજરાતી પત્રકારત્વમાં નવચેતન સામયિકના પ્રકાશન સિવાય તેમણે સાહિત્યના ઘણા પુસ્તકો લખ્યાં છે. કાવ્યકલાપ (કાવ્યસંગ્રહ) 1918, જંજીરને ઝણકારે (નવલકથા) 1925, તાતી તલવાર (નવલકથા) 1928, આશાની ઈમારત (નવલકથા) 1930, નસીબની બલિહારી (નવલકથા) 1934, માનવહૈયાં (નવલકથા) 1943, મધુબિંદુ (વાર્તાસંગ્રહ) 1945, સ્મૃતિસંવેદન (આત્મકથા) 1954, જીવનઘડતર (ચિંતનલેખો) 1968, જીવનમાંગલ્ય (ચિંતનલેખો) 1970, જીવનવિકાસ (ચિંતનલેખો) 1973, હૈયું અને શબ્દ (કાવ્યસંગ્રહ) 1973 વગેરે ચાંપશી ઉદેશીના જાણીતા પુસ્તકો છે.

You Might Also Like

વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ સાથે વહીવટી છબરડો

આશિકી ઉર્ફે આસક્તિનું એનાલિસિસ!

વિઝાનો ઈતિહાસ

બોલો હર હર

તને કેમ માપવો મારા નાથ!

TAGGED: chapsiudeshi, JOURNALISM, navchetan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 20000000000000000 કીડી પૃથ્વી પર વ્યક્તિદીઠ 25 લાખ કીડી વસે છે
Next Article કર્મયુધ્ધ: OTT પર મહા(ભારત) સાગા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

એસ.કે. ચોકના ઠક્કર ગૃહ ઉદ્યોગમાંથી 12 કિલો અને રાજશક્તિ ફરસાણમાંથી 10 કિલો દાઝીયું તેલ મળ્યું, નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
લોકમેળામાં ગુજરાત પ્રવાસન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર થશે
સબ રજિસ્ટ્રાર કચેરીમાં સરવે પ 30 લાખથી વધુની રકમના દસ્તાવેજની માહિતી એકત્રિત કરાઇ
શીતળા સાતમે બેડીપરા સ્થિત મંદિરે ભક્તોની ભીડ
ઉમેદવાર હર્ષદ બકરાણિયાએ ફોર્મમાં ગુનાની માહિતી છૂપાવ્યાનો યોગીન છનિયારાની પેનલનો આક્ષેપ
રાજકોટ ST ડિવિઝનને ત્રણ દી’માં 15 નવી સુપર ડિલક્સ બસ મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ સાથે વહીવટી છબરડો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

આશિકી ઉર્ફે આસક્તિનું એનાલિસિસ!

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

વિઝાનો ઈતિહાસ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?