રોજ બરોજ નવા કેસોનો આંકડો વધી રહ્યો છે. તેમાં સંસદ ભવન અને સુપ્રીમ કોર્ટ પણ બાકાત નથી.
અત્યાર સુધી સંસદ ભવનમાં 700થી વધુ કર્મી કોરોનાની ચપેટમાં આવી ગયા છે. તેમાંથી મોટા ભાગના asymptomatic (કોઇ લક્ષણ વિનાના) જણાયા. સંસદ પર કોરોનાએ કહેર વર્તાવતા 31 જાન્યુઆરીથી શરુ થનારા બજેટ સત્ર અંગે પણ અધિકારીઓ મુંઝવણમાં મૂકાયા છે.
રાજ્ય સભાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે 4 ડિસેમ્બરથી અત્યાર સુધી સંસદ ભવનમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. તેમાંથી 718 લોકો પોઝિટિવ જણાયા. તેમાં રાજ્યસભા સચિવાલયના 204 અને બાકીના લોકસભા સચિવાલય અને સંસદના કર્મીઓ છે.
- Advertisement -
ત્રણ દિવસમાં જ 318 કેસ વધ્યા
નોંધનીય છે કે 9 જાન્યુઆરીએ સંસદમાં આશરે 400 લોકો સંક્રમિત હતા. નવો આંકડો 718નો છે. જે દર્શાવે છે કે છેલ્લા ત્રણ દિવસમાં જ 318 એટલે 43 ટકા કેસ સંસદ ભવનમાં જ વધી ગયા.
મોટાભાગના કર્મીઓને વર્ક ફ્રોમ હોમ
- Advertisement -
આ અંગે અધિકારીઓના જણાવ્યા મુજબ લોકસભા અને રાજ્યસભાનાં એક તૃત્યાંશ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરી દેવાયા છે. બંને ગૃૃોના 50 ટકા અધિકારીઓ, અવર સચિવ/કાર્યકારી અધિકારી પદથી નીચેના કર્માચારીઓને જાન્યુઆરીનાં સુધી ઘરેથી જ કામ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
બેજટ સત્ર યોજવો કે નહીં?
રાજ્યસભાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કોરોનાની ત્રીજી લહેરની વચ્ચે સંસદમાં બજેટ સત્ર કેવી રીતે યોજવા અંગે મંથન ચાલી રહ્યું છે. રાજયસભા અધ્યક્ષ વેંકૈયા નાયડુએ લોકસભા અધ્યક્ષ ઓમ બિડલા સાથે આ અંગેની સ્થિતિની સમીક્ષા કરી છે. તેમણે બંને ગૃહોના મહાસચિવોને વિકલ્પો શોધવાનું કહ્યું છે.
અનેક વિકલ્પો પર વિચાર
અધિકારીના જણાવ્યા મુજબ બજેટ સત્ર યોજનવા અનેક વિકલ્પો પર વિચાર થઇ રહ્યો છે. પરંતુ મહિનાના અંતે કોવિડની સ્થિતિ કેવી રહે છે, તેના પર અંતિમ વિકલ્પની નિર્ભરતા છે. 25 અથવા 26 જાન્યાઆરી બંને ગૃહોના અધ્યક્ષની એક બેઠક મળશે. તેમાં બજેટ સત્ર કેવી રીતે યોજવો તે નક્કી કરાશે.