ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ છેલ્લા ચાર વર્ષથી રિસ્ટોરેશન કામગીરી સબબ ઉપરકોટ કિલ્લો બંધ હતો ત્યારે ઐતિહાસિક ઉપરકોટને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારે 2જી ઓકટોબર સુધી ઉપરકોટ કિલ્લો નિ:શુલ્ક પ્રવેશ ની જાહેર થતા ગઈકાલ શહેરીજનો અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં કિલ્લા ખાતે ઉમટી પડયા હતા અને અંદાજે 7 હજારથી વધુ લોકોએ ઉપરકોટ કિલ્લાની મુલાકાત લીધી અને ભારે ભીડ થતા પોલીસ તંત્રને પણ મુશ્કેલી ઉભી થઇ હતી જયારે કિલ્લા બહાર વાહનો થપા લાગી ગયા હતા ઐતિહાસિક વિસરાસત ધરાવતો ઉપરકોટ કિલ્લાને નવા રંગરૂપ સાથે જે રીતે બનાવામાં આવ્યો છે ત્યારે લોકોને જોવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને હકડેઠઠ મેદની જોવા મળી હતી હજુ આજે અને આવતીકાલે રવિવારના રોજ હજુ વધુ પ્રવાસીઓ હાજરોની સંખ્યામાં ઉમટી પડશે.
જૂનાગઢ ઉપરકોટ ખુલતા સાથે જ પ્રથમ દિવસે 7 હજારથી વધુ લોકો ઉમટી પડયા
