ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ચોમાસાની સીઝનમાં ગીર જંગલ છોડી સિંહ જેવા વન્ય પ્રાણીઓ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં આવી ચડવાના બનાવો દિવસે દિવસે વધતા જાય છે.અને શહેર અને ગામમાં ઘૂસીને પશુના મારણ કરતા હોવાના કિસ્સામાં વધારો થયો છે.
વીસાવદર શહેરના અંબિકા સોસાયટીમા ગઈકાલ રાત્રીના સમયે જંગલ માંથી એક ડાલામથો સિંહ આવી ચડયો હતો અને ગધેડાનું મારણ કર્યું હતું જયારે રહેણાંક વિસ્તાર વચ્ચે સિંહ આવી ચડતા સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો અને સિંહને જોવા આસપાસના અનેક લોકો દોડી આવ્યા હતા અને ટોળાને ટોળા ઉમટી પડ્યા હતા સિંહ સામાન્ય રીતે ગાય, ભેંસ અને વાછરડીના મારણ કરવાના અનેક બનાવો સામે આવ્યા છે પણ આ વખતે ગધેડો ઝપટે ચડતા સિંહે મારણ કરી મિજબાની મણિ હતી જયારે વિસાવદર રહેણાંક વિસ્તારમાં સિંહ આવી ચડતા સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી હતી અને ત્યાર બાદ સિંહ ત્યાંથી ફરી જંગલ તરફ રવાના થયો હતો અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.