By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    1971માં પાકિસ્તાનની પડખે ઊભું હતું ઈરાન! રાજાના પુત્રની સત્તામાં વાપસીથી ભારતનું વધશે ટેન્શન?
    2 days ago
    ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા
    4 days ago
    ભારત-જર્મની દ્વિ-પક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર
    4 days ago
    ટ્રમ્પની ગૂંડાગીરી
    4 days ago
    ટ્રમ્પનું મોટું નિવેદન: ‘પુતિન વિરુદ્ધ માદુરો જેવી કાર્યવાહીની કોઈ જરૂર નથી'”
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનથી ભારતીયોનું ‘ઓપરેશન એરલિફ્ટ’ આજથી વિદ્યાર્થીઓની ઘરવાપસી શરૂ
    10 hours ago
    ગંગાના પ્રવાહને વાળવા માટે બનાવેલી 14 કિ.મી. લાંબી ટનલ કરોડોના ખર્ચે કાયમ માટે બંધ કરાશે
    10 hours ago
    ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિ: 10 વર્ષમાં 21 લાખ નોકરીઓનું સર્જન
    10 hours ago
    ડિજિટલ એરેસ્ટ અટકાવવા માટે સિમ કાર્ડના નિયમો કડક બનાવાશે
    10 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષાની સંભાવના, ઝરણાં થીજી ગયા
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    12 hours ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    2 days ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    5 days ago
    ભારત સાથેના વિવાદ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટાનનું છલકાયું દર્દ
    7 days ago
    રાજકોટમાં હાર્દિક પંડ્યાનું મેદાનમાં ફરી દેખાયું રૌદ્ર સ્વરૂપ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    2 days ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    4 weeks ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રી રામચરિત માનસનાં જીવનસૂત્રો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > શ્રી રામચરિત માનસનાં જીવનસૂત્રો
AuthorShailesh Sagpariyaધર્મ

શ્રી રામચરિત માનસનાં જીવનસૂત્રો

Khaskhabar Editor
Last updated: 2023/08/05 at 5:32 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

વાલ્મિકીજીનાં મનમાંથી હનુમાનજીએ લખેલા પ્રસંગો હટતા જ નહોતા. એવું કહેવાય છે કે વર્ષો બાદ વાલ્મિકી જ તુલસીદાસજી રૂપે પ્રગટ થયા

હનુમાનજીએ લખેલા જે પ્રસંગો મનમાં રમતા હતા એ લોકભોગ્ય અવધી ભાષામાં ‘શ્રી રામચરિત માનસ’ રૂપે જગતને ભેટ તરીકે મળ્યા

- Advertisement -

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનાં જીવન પર અનેક ‘રામાયણ’ લખાયેલી છે, પરંતુ સૌથી વધુ લોકભોગ્ય રામાયણ ગોસ્વામી તુલસીદાસજીની છે. તુલસીકૃત રામાયણ એટલે જ ‘શ્રી રામચરિત માનસ’. એક એવી કથા છે કે રાવણ વધ પછી પ્રભુ શ્રી રામ અયોધ્યા પરત ફર્યા. ત્યારબાદ શ્રી હનુમાનજી મહારાજ નિયમિત રીતે અમુક સમય માટે એક દુર્ગમ પર્વત પર જતા રહેતા અને પોતાના મજબૂત નખથી પહાડની શીલાઓ પર ભગવાન શ્રીરામનાં વિવિધ જીવનપ્રસંગોનું આલેખન કરતા. આ વાતની જાણ વાલ્મિકીજીને થઈ ત્યારે એમને ઉત્કંઠા જાગી કે, હનુમાનજીની લેખનશૈલી કેવી હશે ? એક દિવસ વાલ્મિકીજી એ દુર્ગમ પર્વત પર પહોંચી ગયા. હનુમાનજીએ પ્રભુ રામજીના જે જીવનપ્રસંગો લખેલા હતા એ વાંચીને વાલ્મિકીજી ખૂબ જ રાજી થયા; પરંતુ થોડી જ વારમાં ચહેરા પરનો એ આનંદ અદૃશ્ય થઈ ગયો. હનુમાનજીએ આમ થવાનું કારણ પૂછ્યું એટલે વાલ્મિકીજીએ કહ્યું, હું પણ પ્રભુ શ્રીરામનાં જીવનપ્રસંગોનો ગ્રંથ ‘રામાયણ’ તૈયાર કરું છું; પરંતુ તમે જે પ્રસંગો લખ્યા છે, એ એટલા રોચક છે કે લોકો મારી ‘રામાયણ’ નહીં વાંચે.

આ સંભાળતા જ હનુમાનજીએ જે જે શીલાઓ પર પ્રસંગો લેખેલા હતા તે શીલાઓ ઉપાડીને સમુદ્રમાં ફેંકી દીધી અને વાલ્મિકીજીને કહ્યું, મારી રચના સમુદ્રમાં પધરાવી દીધી છે. હવે લોકો આપની રચના જ વાંચશે. વાલ્મિકીજીનાં મનમાંથી હનુમાનજીએ લખેલા પ્રસંગો હટતા જ નહોતા. એવું કહેવાય છે કે વર્ષો બાદ વાલ્મિકી જ તુલસીદાસજી રૂપે પ્રગટ થયા અને હનુમાનજીએ લખેલા જે પ્રસંગો મનમાં રમતા હતા એ લોકભોગ્ય અવધી ભાષામાં ‘શ્રી રામચરિત માનસ’ રૂપે જગતને ભેટ તરીકે મળ્યા. રામચરિત માનસમાં કુલ સાત કાંડ છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્ક્ધિધાકાંડ, સુન્દરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ પૈકી શ્રી હનુમાનજી મહારાજની ભક્તિ અને સમર્પણ સાથે જોડાયેલા સુન્દરકાંડનાં પાઠનું હિંદુઓમાં અનેરું મહત્ત્વ છે.

શ્રી રામચરિત માનસની ચોપાઈઓ આપણા સામાજિક જીવન સાથે એવી ગૂંથાયેલી છે કે નામદાર સુપ્રીમ કોર્ટ કે નામદાર હાઇકોર્ટે ચુકાદો આપતી વખતે ઘણી વખત માનસની ચોપાઈઓ પણ ટાંકે છે. તુલસીદાસજીએ વિક્રમ સંવત 1631ની રામનવમીનાં દિવસે ‘શ્રી રામચરિત માનસ’ લખવાનો પ્રારંભ કરેલો અને બે વર્ષ, સાત મહિના અને છવ્વીસ દિવસ બાદ વિક્રમ સંવત 1633ના રામવિવાહનાં દિવસે લેખનકાર્ય પૂર્ણ કરેલું હતું. વાલ્મિકીજીએ જે રામાયણ લખી છે, એમાં શ્રીરામને માનવ તરીકે નિરૂપ્યા છે; જ્યારે તુલસીદાસજીએ જે શ્રી રામચરિત માનસ લખ્યું છે, એમાં શ્રીરામને વિષ્ણુના અવતાર તરીકે નિરૂપ્યા છે એટલે તુલસીજીના શ્રી રામચરિત માનસે લોકોના હદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

- Advertisement -

ભક્તિથી તરબોળ માનસ સાહિત્યની ઉત્તમ કૃતિ ગણાય છે. અત્યંત સરળ રીતે શ્રી તુલસીદાસજીએ ખૂબ ગહન વાતો કરી છે, જે માનવજીવનને ઉન્નત બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં હિંદુઓ વસે છે, ત્યાં ત્યાં શ્રી રામચરિત માનસની કથા પણ થતી રહે છે; જે નવ દિવસ સુધી ચાલે છે. શ્રી રામચરિત માનસમાં ભગવાન શ્રી રામની કથા કહેતા કહેતા ગોસ્વામી તુલસીદાસજીએ પ્રસંગને અનુરૂપ અદ્ભુત જીવનસૂત્રો આપ્યા છે. માનસની અનેક ચોપાઈઓમાંથી વીણેલા મોતી જેવી આ 25 ચોપાઈઓ આપણને સૌને અર્થપૂર્ણ જીવન જીવવાની નવી રાહ બતાવશે એવી પૂરી શ્રદ્ધા છે. (જે હવે દર શનિવારે વાંચવા મળશે)

You Might Also Like

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ

ધ ગ્રેટ બ્રિટનનો ધ ગ્રેટ ’ધી એન્ડ’?

અંગૂઠાના નખ જેવડી માછલી સિંહથી મોટી ગર્જના કરી શકે છે

ઓમકાર અને પ્રાણાયામથી 120 બીમારીઓ થશે દૂર

મનની શક્તિ અપાર

TAGGED: LIFESUTRAS, SHRIRAMCHARITMANAS
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આત્માના અનુભવોનો દઢ સંકલ્પ કરે તે આત્મા અને પરમાત્માને જાણી શકે છે
Next Article હેર ટ્રાન્સપ્લાન્ટ: ફરી “માર્કેટ” લાવતી થેરપી!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

પ્રભાસ તીર્થની પૂણ્યભૂમિ પર સૂરીલી સંધ્યાથી ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની સંગીતમય પૂર્ણાહુતી

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસનું મનરેગા બચાઓ આંદોલન, જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે ધરણા યોજાયા
મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ માટે કલેકટર, ધારાસભ્ય અને ઉતારા મંડળની બેઠક મળી
રાજ્યમાં સૌથી વધુ ઠંડી ગિરનાર પર્વત પર 2.1 ડિગ્રી
મોરબી: આડેધડ પાર્કિંગ કરતા રિક્ષાચાલકો સામે પોલીસની લાલ આંખ: 6 રિક્ષા ડિટેન
લોકગાયક દેવ ભટ્ટના પુત્ર ભવ્ય, પરમની યજ્ઞોપવિત વિધિ યોજાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

ધ ગ્રેટ બ્રિટનનો ધ ગ્રેટ ’ધી એન્ડ’?

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
મનીષ આચાર્ય

અંગૂઠાના નખ જેવડી માછલી સિંહથી મોટી ગર્જના કરી શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?