વકીલો દ્વારા મામલતદારને લેખિતમાં આવેદન આપ્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
માણાવદર મામલતદાર કચેરીમાં વિવિધ બાબતોની જમીન એન્ટ્રીઓમાં પૈસા વગર કામ ન થતું હોવાની રજૂઆતો ઘણા સમયથી થઈ રહ્યું એવા છતાં તંત્ર દ્વારા કેમ પગલાં ભરાતા નથી ત્યારે સમયસર કામ ન થતું હોવાથી આજરોજ માણાવદર મામલતદારને વકીલો દ્વારા આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
- Advertisement -
ત્યારે છઅઊં વિભાગના નાયબ મામલતદાર તાલુકાનાં ગામની જુદી જુદી જમીનની લે – વેંચ કે નામફેર, નામ કમી જેવા કામોની અરજી કરવામાં આવે છે. પરંતુ આવી અરજીમાં વ્હાલા દવલાની નીતિ નાયબ મામલતદાર (સુપર) સનત પંડ્યા દ્વારા કરવામાં આવતી કામગીરી સામે ફરિયાદો ઊઠી છે. આ અંગે ખેડૂતોએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરેલ હતી. જમીન એન્ટ્રીમાં મામલતદાર કચેરીના છઅઊં વિભાગમાં ખાનગી વહીવટ કરો તો નિયમ ના નડે જો કોય ખેડૂત કે અરજદાર ખાનગી વહીવટ ના કરે તો તેને નિયમો બતાવવામાં આવતા હોવાની ચોકાવનારી ફરિયાદ થાય છે વ્હાલા દવલાની નીતિ થાય છે વહીવટ કરો તો 34 થી 45 દી મંજુર કરવામાં આવી છે ત્યારે અમુક નોંધો 51 થી 61 દિવસે પણ થયેલ નથી થાય તેવી ફરિયાદો ઉઠી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ નાયબ મામલતદાર (સુપર) સનત પંડ્યા વિસાવદર મુકામે ફરજ બજાવતા હતા ત્યારે તેના પ્રાંત અધિકારીના હુકમની પણ અવગણના કરવામાં આવી હતી. ત્યારે આવા અધિકારીને તાત્કાલિક બદલી કરીને તેની તમામ મિલકતો તેમજ બેંક બેલેન્સ અને સ્થાવર મિલ્કતનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે તો આ અધિકારીની પોલ ખુલી શકે તેમ છે. આ અધિકારી વિરુદ્ધ અનેકવાર ધારાસભ્ય તેમજ કલેકટર, પ્રાંત અધિકારીને પણ રજૂઆત કરેલ છે છતાં પણ કોઈ પ્રકારનું નિરાકરણ આવેલ નથી. આવા અધિકારીને અહીંથી તાત્કાલિક બદલી કરવાની માંગ કરવામાં આવી છે.
આ અંગે એડવોકેટ હાર્દિકભાઈ ગાથાએ જણાવ્યું હતું કે છઅઊં વિભાગના નાયબ મામલતદાર (સુપર) દ્વારા અનેક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા છે.ત્યારે આ અધિકારીની તપાસ કરીને બદલી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. તેમજ આ અંગે એડવોકેટ ભાવિન રાઠોડએ જણાવ્યું હતું કે આ અધિકારીને પૈસા આપો તો તાત્કાલિક કામ થાય અમુક એન્ટ્રીની નોંધ 34માં દિવસે તો અમુક કામો 64માં દિવસ સુધી કરવામાં નથી આવી. આ અધિકારીઓનું વર્તન પણ યોગ્ય નહિ હોવાનું પણ જણાવ્યું હતું.